________________
વચનામૃત-વિવેચન
૨૩૧ અનાદિકાળથી નીચે માર્ગ–અવળે રસ્તે ચાલે છે, પણ સત્સંગ કરે તો ઊંચે રસ્તે ચઢે. મુમુક્ષુ થયું હોય તેને જ્ઞાનનાં વચને આગળ દોરે છે, સંસારની પાર લઈ જાય. સંસારથી છૂટવાની લય લાગી હોય તે એને જ્ઞાનીનાં વચન મીઠાં લાગે.
૧૦. વિચારદશા પ્રગટે તે પછી આત્મજ્ઞાન થાય. સંસાર અસાર છે એમ લાગે છે ત્યાગની ઈચ્છા થાય. સંસાર જીવને બચાવે એ નથી એમ જેને હોય તેને આત્મવિચાર થાય. જે સંગ થયો છે તેનો વિયોગ થવાને છે. સંસારની વસ્તુઓ અનિત્ય અને અસાર છે, નાશવંત છે, એમ જાણું તેના પ્રત્યેથી મોહ ઘટે તો આત્મવિચાર થાય.
“ ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન;
અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજ ભાન. ” એ ભાન કરી લેવાનું છે. આત્મા એાળખાય તો શાશ્વતપણું પ્રાપ્ત કરાય. જીવને વૈરાગ્ય હોય તે પછી ક્રોધમાનમાયાભ કરે નહીં. મારે મારો આત્મા સંભાર એમ થાય. વૈરાગ્ય ઉપશમ હોય તે આત્મવિચાર જાગે. અનિત્યવસ્તુની વચ્ચે જીવ ઊભે છે. શરીર ક્ષણે ક્ષણે પલટાયા કરે છે, પણ મોહને લઈને એમનું એમ જ છે એમ લાગે છે. બધી વસ્તુ અનિત્ય છે. જગત બધું ફરતું છે. બધાંય દુઃખી છે. ક્યાંય સુખ નથી. દગો છે.
જ્યારે સંસારને વિશ્વાસ મનમાંથી નીકળી જાય ત્યારે આત્મવિચાર ઊગે. સુખી થવું હોય તે સંસારને પૂંઠ દેવાની છે. આત્મા નિત્ય પદાર્થ છે, પણ અનિત્ય પદાર્થના મેહમાં પડી છે તેનો એને વિચાર નથી. અનિત્યમાં મેહ કરશે તો બધા મનુષ્યભવ નકામે જશે. સાચી વસ્તુ પ્રાપ્ત કરવા પુરુષાર્થ કરવાનું છે. જગતની વસ્તુઓ અનિત્ય છે, અશરણ છે, અસાર છે અને અનંતકાળ સુધી રઝળાવનાર છે. હવે એની સામે થવું છે, એ સાથે ન આવે. મૂકીને જવાનું છે માટે તેમાં રહીને જે કરવાનું છે તે ચૂકવું નહીં. પ્રભુશ્રીજી કહેતા કે ઝબકે મેતી પરાવી લેવું. ક્ષણિક વસ્તુઓમાં ચિત્ત રાખે છે, તો એના જે બીજો મૂર્ખ કોણ? મારું કઈ નથી એમ ભરતને થયું તે કેવળજ્ઞાન થયું. પણ જીવને નાશવંત વસ્તુ અત્યંતપણે અસાર ભાસતી નથી. ભાસે તે એ છેતરામણીમાં ઊભો ન રહે. સંસાર પ્રત્યેની રુચિ ઊઠે તે આત્માને વિચાર જાગે.
૧૧. સંસારનું સ્વરૂપ અત્યંતપણે અસાર, અનિત્ય લાગ્યું છે, તેથી જ્ઞાનીને છૂટવાની ભાવના થયા કરે છે. જેમ કેઈને કાંટો વાગે ત્યારે થાય કે ક્યારે કાંટે કાઢે? એમ જ્ઞાનીને પરિગ્રહ ક્યારે છડું, પરિગ્રહ કયારે છડું, એમ થાય છે. જ્ઞાની જાગે છે, અજ્ઞાની ઊંઘે છે. કર્મના ઉદયે જ એમને એ વેપાર કરે પડે છે. તેમ છતાં મારે જ વાંક છે એમ જુએ છે. જીવ બળવાન થાય તે બધું ખરેડી નાખે, પણ જીવ બળ કરતો નથી. સંસારમાં રહેવું અને મેક્ષ થવા કહેવું એ બનવું અસુલભ છે. ઉપાધિ વધે તેમ દુઃખ થાય છે કે આ કયારે છૂટશે, કયારે છૂટશે?
ત્યાં આવ્યો રે ઉદય કારમો, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે; જેમ જેમ તે હડસેલિયે, તેમ વધે ન ઘટે એક રંચ રે. ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org