SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેચન ૨૨૯ કરી લેવું છે. આવી સામગ્રી ફરી મળવી દુર્લભ છે. દેહ છૂટી જાય તે બીજા ભવમાં કંઈ સાંભરે નહીં. જીવે અહીં કંઈ ઘસારો કરી મૂક્યો હોય તે બીજા ભાવમાં પણ કામ આવે. કેઈક વખતે મનુષ્યભવ મળે છે. ફરી ફરી મળવાનું નથી. મનુષ્યભવમાં જ્ઞાનીને ચોગ થયે, તેમાં પણ જીવ કરતા નથી તો પછી બીજા ભવમાં ક્યાં કરશે ? “ બે ચાર ભવ વધારે થશે એવું કરવાનું નથી. બીજે રૂપાદિ પાંચ વિષયમાં ખેંચાય છે, ત્યાંથી પાછો વળે તે સદ્દવિચાર જાગે. હવે છેતરાવું નથી. આત્મા પ્રગટે એવો આત્મજોગ બને તે મનુષ્યભવમાં જીવ ધારે તે કરી શકે. પણ આંખ વગર આમથી આમ અથડાય એના જેવું છે. મનુષ્યભવ મળે છે, તેમાં આત્માનું કામ ન કરું તે ક્યારે કરીશ? માટે મરતાં પહેલાં આત્મજ્ઞાન કરી લેવું, એ જે હૃદયમાં એટી જાય તે કામ થઈ જાય. મનુષ્યભવની ખરી કિંમત આ શ્રદ્ધા કરી લેવી એ છે. એ કામ આ ભવમાં જ થાય છે. જે કમાણી કરેલી હોય તે બીજા ભવમાં પણ થાય, પણ આ મનુષ્યભવમાં થાય તેવું ન થાય. જીવ જે ભાવના રાખે કે મારે આ ભવમાં એટલું કરવું છે તે પછી એનાં કારણે મેળવે. જ્યાં સુધી આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી મારું જીવવું નકામું છે એવી લગની ન લાગે ત્યાં સુધી નિશ્ચય થતું નથી. આવી સામગ્રી, મનુષ્યભવ, સત્પરુષને વેગ, બોધ મળે અને લાભ ન લે, પ્રમાદમાં રહે તે ફરી એવી સામગ્રી મળવી દુર્લભ છે. - એ માટે નિર્મળ વિચારની જરૂર છે. વૈરાગ્ય ઉપશમ હોય તે નિર્મળતા થાય. અત્યારે જીવને મલિનતા છે. વિપરીતતા ટળે, મિથ્યાત્વ મંદ પડે તે નિર્મળ વિચાર આવે. નિર્મળ વિચારની પહેલી જરૂર છે. એ થવા સત્સંગ, સદ્બોધની જરૂર છે. “તારી સમજણ ઉપર મૂક મીઠું અને તાણ ચેકડી.” પોતાની કલ્પના મૂકી જ્ઞાની કહે તે જ માનવું તે નિર્મળ વિચાર આવે, જ્ઞાની સાચું કહે છે એમ મનાય. અત્યારે તે અસત્સં. ગના એવા સંસ્કાર પડયા છે કે પરને જાણે, તેમાં તણાઈ જાય. આ અસત્સંગનો ઘેરાવ વિશેષ છે, તે દૂર કરવા સત્સંગની જરૂર છે. સત્સંગે જીવને બળ મળે છે અને અસત્સગના સંસ્કારો ઘસાઈ જાય છે. નિર્મળ વિચાર જ્ઞાનીના યોગ વિના થતા નથી. સત્સંગ કરે ત્યારે એવા વિચાર આવે. નિર્મળ વિચાર આવવા જ્ઞાનીને વેગે વૈરાગ્ય ઉપશમ વધારવાના છે. વિરાગ્ય–ઉપશમ વધે તે વિચારની નિર્મળતા થાય. તેથી થાય કે આ સંસારનો સંગ મને બંધન કરે છે, મારે અસંગ થવાનું છે. આ જગતમાં કશું કામનું નથી, જ્ઞાનીએ કહ્યું તે કરવાનું છે. “હું કેણું , ક્યાંથી થયે, શું સ્વરૂપ છે મારું ખરું? કેના સંબંધે વળગણ છે? રાખું કે એ પરિહરું? એના વિચાર વિવેકપૂર્વક શાંતભાવે જે કર્યા, તે સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાન્તતત્વ અનુભવ્યા.” કષાય દૂર કરી નિર્મળ વિચાર કરે, વિવેક કરી આત્મવિચાર કરે તે હમણાં જ તેને આત્મજ્ઞાન થાય. સંગને લીધે જીવ ભૂલ્ય છે. જીવને નવરા રહેવું ગમતું નથી. કંઈ ને કંઈ લાવીને નાખે. હવે અસંગ થવાનું છે. જીવ શાથી ઘેરાયેલ છે ? અસત્સંગ અને અસસંગ બેય વસ્તુઓમાં જીવ ઘેરાયા છે. તેથી વિચાર જાગતો નથી. સત્સંગને આશ્રય કરે તે છૂટે. જીવ હીનસત્વ થયે છે તેથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy