SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ બધામૃત દેષ છે. “ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહસમાન.” એવું તાદામ્યપણું છે ત્યાં સુધી મેક્ષ દૂર છે. જેમ દેહમાં જીવ તન્મય થાય છે, તેમ કપડાં ઘરેણામાં પણ “મારાં કપડાં ઘરેણાં સારાં છે” એમ તલલીન થાય છે. પરવસ્તુમાં તન્મય થાય તેથી પોતાનું ભાન રહેતું નથી. તન્મય થાય તેટલો મોક્ષ દૂર થાય. અને ક્ષણવાર પણ પિતે દેહાદિથી ભિન્ન છે, એમ થાય તે મોક્ષ એને દૂર નથી. જીવને મેક્ષે જવું છે નહીં, વાત કરે છે. સંક૯૫વિકલ્પ, રાગદ્વેષથી આત્મા બધે અવરાઈ જાય છે. સત્સંગ વગર સમજાતું નથી કે “આ મારું સ્વરૂપ છે.” પિતાનું નહી તેમાં માથું મારે છે. તન્મય થઈ ગયો છે. હું સ્ત્રી છું, પુરુષ છું' એમ માને છે એ બધું તન્મયપણું છે. અને એ જ્યાં સુધી છે ત્યાં સુધી મેક્ષ દૂર છે. પર છે તે હું ને મારું નહીં, એમ થશે ત્યારે મોહ મંદ થશે. પર વસ્તુમાં તન્મય થવાથી આસક્તિ થઈ જાય છે, એ જ કર્મનું બીજ છે. “હું ને મારું' નીકળે તો મોક્ષ એની પાસે આવે. પરવસ્તુના પરિચયથી પાછા હઠવાનું છે. અન્ય પરિચયમાં જીવ તે જ થઈ જાય છે. એથી પાછા વળે તે આત્મજ્ઞાન થાય. ૮. પુરુષને વેગ થાય પછી એને આત્માને લક્ષ થાય છે. કર્મો આવી આવી ને જાય છે. સમજણ મોટી વસ્તુ છે. અસમજ અને અજ્ઞાન એ જ સંસારનું મોટું કારણ છે. કર્મની વિચિત્રતા ગહન છે, સમજાય એવું નથી. “ગહન વાત છે શિષ્ય આ, કહી સંક્ષેપે સાવ.” ઘડીકમાં કેવા ભાવ થઈ જાય! કશું કહેવાય નહીં. જ્ઞાનીને ગે પિતાની પરિણતિ પ્રત્યે વૃત્તિ કરવાની છે, તે આત્મા નિર્મળ થાય, આત્મજ્ઞાન થાય; બધું થાય. ભાવ કર્યા વગર તે કશું થાય નહીં. જ્ઞાની પ્રત્યે વિશ્વાસ હોય તે જ્ઞાનીનું મનાય. મારો જ વાંક છે એમ જીવને થાય તે સવળે થયો કહેવાય. છૂટવા માટે જ જીવવું છે. અજ્ઞાન, રાગદ્વેષ એ કર્મબંધનાં કારણ છે. માટે એથી અગ્નિથી પણ વધારે ડરવાનું છે. આપણે વાંક ન હોય તે કઈ આપણને પજવે નહીં. પુણ્ય પાપ બેયથી છૂટવું છે, એવું જ્ઞાનીને યોગે થાય છે. હવે નવાં કર્મ ન બંધાય એવું કરવું છે. સાચા યેગે જીવ છૂટી ગયો તે મનુષ્યભવ સફળ થઈ જાય. આટલી સામગ્રી ફરી મળવી મુશ્કેલ છે. દશ દુષ્ટતે મનુષ્યભવ દુર્લભ કહ્યો છે. જ્ઞાનીને એગ થયે, માર્ગ દેખાડ્યો, મરણ મળ્યું તે આ ભવમાં નથી કરતો, તે પછી બીજા ભવમાં ક્યાંથી થાય ? માટે મરણ, વૃદ્ધાવસ્થા, રોગ, વેદના આવી નથી, ત્યાંસુધી કંઈક કરી લેવું. “મુખ્ય અંતરાય હોય તે તે જીવને અનિશ્ચય છે” (૮૨૬). નિશ્ચય હોય તો ગમે ત્યારે કમ તો ફરવાનાં છે. નિશ્ચય જેણે કર્યો તે મેક્ષે ગયા છે. જે જે આપણા દેષ છે તે જ્ઞાની બતાવે છે. તે ઓળખી ટાળે તે મુમુક્ષુ થાય અને એથી મોક્ષ થાય. જીવ પિતાના ઘરમાં પેસતો નથી. બહારનું બહાર દેખે છે. એક ક્ષણ પણ અંતભેદ થાય તે પછી ભૂલે ન પડે. પછી “બધું છેતરનારું છે” એમ લાગે. જીવનું અંતર ભેદાયું નથી. પાતાળનું પાણી નીકળે તો એને ઘેર ફો થયો કહેવાય, નહીં તે ખાડો છે. જીવ બાહ્ય વસ્તુઓમાં આ દિવસ ખૂટી થાય છે. રાગદ્વેષમોહિની ગ્રંથી ભેદાઈ જાય તે અંતર્ભેદ થાય. સત્સંગની ખેંચ રાખવાની જરૂર છે. કંઈક આ ભવમાં થાય તેટલું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy