SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેચન ૨૨૭ આત્મજાગૃતિ થાય તો મોક્ષ ! એ પણ સદ્ગુરુને યેગ, સદ્દવિચાર, સપુરુષાર્થ હોય તે થાય. પુરુષને અવલંબને “હું દેહ નથી” એ દઢ કરવાનું છે. એમાં ઉલ્લાસ આવે તે કર્મ ખસે છે. પ્રભુશ્રીજી કહેતા કે કેટી કમ જતાં રહ્યાં. સત્પરુષના બધે મિથ્યાત્વનાં દળિયાં ખસે છે અને વીતરાગતા આવે ત્યારે સ્વરૂપસ્થિરતારૂપે ચારિત્ર આવે છે. આત્મજ્ઞાનીને વેગ હોય અને સત્પરુષાર્થ હોય તો ક્ષણમાં અંતદજાગૃતિ થાય. ક્ષણવાર પણ આત્મજ્ઞાન થઈ જાય તે મોક્ષ થાય. ક્ષણવાર પણ પોતાનું સ્વરૂપ સમજાયું તે પછી આનંદ આવે. તેથી બીજું ઈચ્છે નહીં. આ તે ઊંઘે છે તેથી હુંટાય છે. જાગતું હોય તે ચાર ન પેસે. “આત્માને આટલું જ પૂછવાની જરૂર છે, કે જે મુક્તિને ઈચ્છે છે તે સંકલ્પવિકલ્પ, રાગદ્વેષને મૂક.” (૩૭). ક્ષણવાર પણ જે સમ્યકત્વની સ્પર્શના થાય તે પછી આત્મા એાળખાય. પછી એ આત્માનું સંપૂર્ણ સ્વરૂપ પ્રગટે, તે મોક્ષ છે. પુરુષને યોગ, એની શ્રદ્ધા થાય તે તથારૂપગ કહેવાય. સત્પરુષે કહ્યું તે મનાયું તે મોક્ષનું બીજ થયું. આત્મજોગ બનવા જ્ઞાની અને તેની ઓળખાણ એ બે છે. એાળખાણ થાય તે માહાત્મ્ય લાગે. જીવને મહાત્મા પ્રત્યે મોહ જ ન આવ્યું. બાહ્ય વસ્તુઓનું જીવને માહાત્મ્ય છે, તેથી પુરુષનું માહાસ્ય લાગતું નથી. અનંતકાળથી જે કરતા આવ્યા છીએ તે ન કરવું. જે નવિ જાણ્યું તે જાણું, જે જાણ્યું તે નવિ જાણું.” ૭. અંદર બીજી સાંસારિક વસ્તુઓની ઈચ્છા થાય છે, ત્યાંસુધી મેક્ષ થવામાં વાર છે. અંદરથી બીજી વાસનાઓ સર્યા કરે છે, ત્યાં સુધી એને મેક્ષ જોઈ નથી; નહીં તે મોક્ષ પાસે જ છે. હમણાં જ સહજ, માથાકૂટ કર્યા વગર, આત્મજ્ઞાન પ્રગટે. જ્ઞાનીના વેગ વિના જીવ જાગતું નથી. ન જાગે ત્યાં સુધી પિતે જેરૂપ નથી તેરૂપ માને. હું રૂપાળું છું, ગોરો છું, એમ માને છે તે ઊંધી ઈટ છે. જાગૃત થાય તો ભૂલે ન પડે, ત્યાગવાનું છે તેમાં બુદ્ધિ ન રાખે. મોક્ષ, કેવળજ્ઞાન, સમકિત બધું આત્મામાં છે. પણ એની વૃત્તિ એમાં નથી, બાહા દષ્ટિ છે તેથી જે દેખે તેમાં તન્મય થાય છે, પરવસ્તુમાં પરિણમી જાય છે. પોતાના આત્મામાં રહે તો મેક્ષ છે. “મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા.' સ્વસ્થતાથી શુદ્ધ થાય. કેવલી ભગવાન ત્રણ લોકને જુએ પણ તે રૂપે પરિણમે નહીં, પણ આ જીવને થોડું જ્ઞાન છે તેય જે દેખે તેમાં તણાઈ જાય છે. જાગૃત રહે તે સારું, નહીં તે દૃષ્ટિ જ્યાં પરવસ્તુમાં પરિણમે ત્યાં ત્યાં પાછા ભવ લેવા પડે. “દેહ તે હું' એમ થયું તો પછી ફરી દેહ એને મળે. ભાવ વગર ક્રિયા થતી નથી. અજ્ઞાનભાવનું ફળ દુઃખ જ આવે છે. મોહનિદ્રામાં સૂવે છે એ જ અજ્ઞાનભાવ છે. અજ્ઞાન છે એ જ મોટામાં મોટો દેશ છે. લોકે ક્રિયા જુએ, પણ મોટે દોષ અજ્ઞાન છે. અજ્ઞાનદશા હોય ત્યાંસુધી અજ્ઞાનભાવ છે. અજ્ઞાનભાવથી સંસાર ઊભે છે. જીવને ભાવ કરતાં આવડતું નથી. આત્માનું હિત થાય તે કરવું છે, એવો ભાવ આવ જોઈએ. પરપદાર્થમાં જ્યાં સુધી જીવ તન્મય છે, ત્યાં સુધી તેટલો મોક્ષ કર છે. તાદાભ્યપણું જેટલું હોય તેટલાં કર્મ બંધાય. જેવાં કર્મ ઉદય આવે તે જીવ થઈ જાય છે, તલ્લીન થઈ જાય છે, તે હું છું એમ થઈ જાય છે. એ માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy