________________
૨િ૨૬
બેધામૃત પ્રગટે. આત્માનું સુખ પ્રગટે તે પેલું સુખ ન રહે. એટલા માટે આરંભ પરિગ્રહ એ છે કરવા કહ્યું. એ રસ્તે આત્મજ્ઞાન થાય. આત્મજ્ઞાન થાય એટલી દરેક મનુષ્યને સમજણશક્તિ છે, પણ એને ગરજ નથી. સત્સંગ હોય તો એને સમજણ થાય. આત્મા પરવસ્તુમાં ખેંચાય છે. એટલે આરંભ પરિગ્રહ ઓછો હોય તેટલો ઓછો ખેંચાય. તદ્દન ન ખેંચાય તે પિતાના સ્વરૂપમાં રહે. ઘણાય કહે છે કે, મને આમજ્ઞાન થયું છે. તેમને પૂછવું કે તમને સમાધિસુખ છે? સમાધિ એટલે શાંતિ હોય તે આત્મજ્ઞાન કહેવાય આત્મા શાશ્વત છે, નાશ પામી જાય એવું નથી. આત્માનું માહામ્ય લાગ્યું હોય તો “આત્માથી સૌ હીન” લાગે. આવ્યું તેય શું? ગયું તોય શું? એમ લાગે. આત્મસમાધિમાં સમભાવ રહે. આત્માને જાણે તો એને સહજસુખ પ્રગટે. બહારની વસ્તુઓ ઉપર પછી એને આધાર ન રહે. આત્માનું સુખ તે કાયમ રહે છે. આત્મસમાધિ પ્રગટે એટલે શાંતિ થાય. ભય, ચિંતા ફિકર મટી જાય. આ મારું છે એમ લાગે તેથી ભય, ચિંતા ઊભી થાય છે. નહીં તે શાંતિ થાય. આત્મજ્ઞાન થાય તે એની વૃત્તિ ક્ષણે ક્ષણે આત્મામાં જાય. સમ્યક્ત્વ પ્રગટે તે નિર્જરા થાય. સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ બધાં નિજારાના કારણ છે.
૬ આત્મજ્ઞાન કરવું હોય તે યથાર્થ જગની જરૂર છે. જીવની ગ્યતા અને સાચા પુરુષનો વેગ એ બે જોઈએ, તે આત્મા જણાય. “જીવના અનધિકારીપણાને લીધે તથા
પુરુષના યુગ વિના સમજાતું નથી.” (૫૫). અજ્ઞાનીને આશ્રયે વતે તે મોહ વધે. જ્ઞાનીને આશ્રયે રહેવાનું છે. જ્ઞાનીની દશા, કથા, ચરિત્ર એમાં ચિત્ત રાખવાની જરૂર છે. તથારૂપ ગમાં બનેની યોગ્યતા જોઈએ. જ્યાં દીવો હોય ત્યાં વાટ અડે તે દીવો પ્રગટ થાય. પિતાને આત્માથનાં લક્ષણે બધાં હોય અને પુરુષનો યુગ થાય, બેધ મળે, એમના હૃદયને એાળખે ત્યારે તથારૂપ ગ થયો કહેવાય. તો દી થાય. કૃપાળુદેવનું હદય નિથ હતું. એ ઓળખવું બહુ અઘરું છે. એ ઓળખાય તે દીરે દી થાય. પ્રભુશ્રીજી કહેતા કે ગાયના શીંગડાની અણી પર રાઈને દાણે રહે એટલી વાર સમકિતની સ્પર્શના થાય, એટલી જે જાગૃતિ થાય તે વહેલે મડે મેક્ષે જાય. ખરું પુરુષનું એાળખાણ થયું તો જરૂર મોક્ષ થાય. અંતર ભેદાયું તે ગ્રંથી ભેદાય. પિતાનું ભાન થયું તે મોક્ષ દૂર નથી. પુરુષના સ્વરૂપનું ભાન થાય તે પિતાનું ભાન થાય. પછી મોક્ષ દૂર નથી, વહેલે મોડે મોક્ષે જવાનું છે. આત્માનું ભાન થાય તો મારું તારું કંઈ ન થાય. અજ્ઞાનને લઈને એવું થાય છે. શાશ્વત વસ્તુનું ભાન થાય તો નાશવંતની ઈચછા ન રહે. જ્ઞાનીપુરુષ એક ક્ષણ માગે છે કે તું એક ક્ષણ જાગ.
કેટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગૃત થતાં સમાય;
તેમ વિભાવ અનાદિ, જ્ઞાન થતાં દૂર થાય.” એક ક્ષણભર જાગૃત થાય તે જાગી ગયો. સ્વપ્નામાં દુઃખ થતું હોય, પણ જાગ્યો તો કશું ન રહે. તેમ આત્મા જાગે તે જગતનું દુઃખ એને ન રહે. જ્ઞાનીને ગે એને જાગૃતિ અને મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે. પછી પુરુષાર્થ પિતાને કરવાનું છે. એક ક્ષણ પણ જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org