________________
વચનામૃત-વિવેચન
૨૨૫ પિતાના સ્વચ્છ વર્તે તે મેક્ષ ન થાય. લોક વિદ્વાન કહે પણ એને શા કામનું? કોને રાજી કરવા જીવે ઘણું કર્યું છે. “લોક મૂકે પિક, મને મારું કરવા દે.” જે જાગૃત હાય તે બીજાના દેષ ન જુએ. જાગતે હોય તે છેતરાય નહીં. આખા જગતને જાણે પણ આત્માને ન જાયે તે કંઈ કામનું નહી. જે કંઈ જાણવું તે આત્મા જાણવા માટે. ભણવું શીખવું તે આત્માને માટે કરવાનું છે. જાણનાર પ્રત્યે ઉપગ રાખવાનું છે. જાણે તેમાં રાગદ્વેષ ન થવા દે, તે ખરું જાણ્યું કહેવાય. જાણ્યું છે, તે બધું છોડવાનું છે. આત્મા છૂટે એ નથી. બધું જાણીને, વાંચીને, ભણીને, આત્માનું જ્ઞાન કરવાનું છે.
છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ.” એ ગ્યતા આધ્યે સમજાય. પ્રભુશ્રીજી કહેતા “તારી વારે વાર, યોગ્યતા લાવે.” એ ચગ્યતા પિતાને લાવવાની છે. આત્મા ન જા તે બધું ભણેલું અજ્ઞાન છે. અજ્ઞાનથી સવિવેક પામ દુર્લભ છે. અજ્ઞાન હોય ત્યાં સુધી સદ્દવિવેક ન આવે. ભર્યો પણ ગણ્ય નહીં. શાસ્ત્રો ભણી જાય, પણ જ્ઞાની કહે તે જીવ ગણકારતો નથી. શિયાળામાં પાક કરીને ખાય છે તેથી શરીરમાં પુષ્ટિ આવે છે, તેમ જ્ઞાનીના વચને એને અંદર પચે તો આત્મા પુષ્ટ થાય અને શાંતિ મળે. વાત છે માન્યાની. પણ માને કે? જીવ સાંભળ સાંભળ કરે છે પણ અંદર પચતું નથી. વૈરાગ્ય ઉપશમ હોય તો ટકે. પરવસ્તુના પરિચયથી પાછા હઠવાનું છે. એને લેવા દેડે તે એને પાર આવે એમ નથી. કેઈ આત્મજ્ઞાન કરવા ધૂણી તપે છે, અનેક પ્રકારનાં તપ કરે છે, પણ એ એને રસ્તો નથી. જ્ઞાનીના ચિત્રપટનું હૃદયમાં દર્શન કરવા કરતાં પુરુષની દશા વિચારે તે એને એ દશા પ્રગટે. એ એને રસ્તે છે.
પ. આત્મજ્ઞાન થવાથી જે સમાધિ થાય તે સહજ સમાધિ છે. પરવસ્તુને આધારે એ સમાધિ છે, એમ નથી. આત્માને જાણે તે શાંતિ થાય. સાચી વસ્તુ સાંભળતાં શાંતિ થાય છે, તે પ્રગટયે તે કેટલી શાંતિ થાય ! પછી ત્રણ લોકનું રાજ્ય પણ તુચ્છ લાગે. આમા જા તે પછી સંતેષ થાય. એમાં જ પછી આનંદ આવે. સુખ એ આત્માને ગુણ છે. જેટલું આત્મજ્ઞાન તેટલું અંતરમાં સુખ અને સહજસમાધિ રહે. આત્મા સુખરૂપ છે, એમ સમજાયું તો પછી બીજી વસ્તુઓને લઈને સુખ એને લાગે જ નહીં. પરવસ્તુમાં સુખ નથી, સુખ આત્મામાં છે, તેથી પરવસ્તુની ઈચ્છા ન રહે. “સુખદુઃખ એ બને મનની કલ્પના છે” (૮) એ કપના જાય તે સહજ સમાધિ એટલે સહજે એને સુખ રહે છે. નિમિત્તમાં સમજણ જ કામ કરે છે. કૃપાળુદેવને દેવકરણુસ્વામીએ કહ્યું કે, તમે હીરાના વેપાર કરે છે તે એમાં મેહ થતું હશે? કૃપાળુદેવે કહ્યું કે, એ અમને ઝેર જેવા લાગે છે. મેહ એમાં અમને થતું નથી. પરવસ્તુ સારી લાગતી નથી. હીરાની કિંમત નથી, જે જાણે તેની કિંમત છે. હિરામાણેક ખોવાઈ જાય તોય એમને ખેદ ન થાય. આત્મામાં સુખ નામનો ગુણ છે તે પ્રગટ થાય તે આત્મસમાધિ છે. અત્યારે જે સુખ છે તે જાય ત્યારે આત્મસમાધિ પ્રગટે. એક મ્યાનમાં બે તરવાર ન રહે. પેલું સુખ જાય તે આત્માનું સુખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org