SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ બધામૃત નથી. “પ્રમાદીને સર્વથા ભય છે.” પ્રમાદમાં જે કરવાનું છે તે વિસ્મરણ થઈ જાય છે. મુનિએ દહેથી પુરુષાર્થ કરી ૭મે જાય છે. ફરી કર્મના ધકકે દહૈ આવે ફરી પુરુષાર્થ કરી ૭મે જાય. છદ્મસ્થ અવસ્થામાં બળ નથી, તેથી બે ઘડીથી વધારે વાર અપ્રમત્તમાં ટકી ન શકે. કહેથી ૭મે ન જાય તે પાંચમે, ચેાથે એમ પડી જવાને ભય છે. તેથી બે ઘડીથી વધારે ઊંઘેય નહીં. પાછા પુરુષાર્થ કરી ૭મે જાય. ૬ ઠ્ઠ ગુણસ્થાનમાં આહાર, ઉપદેશ વગેરે કરે છે. વ્યાખ્યાન કરતા હોય તે પણ બે ઘડીમાં તે અપ્રમત્ત થઈ જ જાય. મેહનિદ્રામાં જીવને કંઈ ભાન નથી. બેભાન છે. મોહમાં જ તણાયા કરે છે. તેથી મુનિને વેશ હોય તે પણ અજ્ઞાની છે. આત્મા જાણે તે પછી નિરંતર આત્મવિચારે કરી જાગૃત રહે, એમ આચારાંગસૂત્રમાં આવે છે. પ્રમાદથી ભય છે. બધા ભયનું કારણ હું દેહ છું' એમ થયું છે તે દેહાધ્યાસ છે. દેહભાવથી છૂટે તે નિર્ભય થાય. મારા બધા પ્રદેશ શાશ્વત છે. અગ્નિ, પાણી કોઇથી નાશ પામે એવા નથી. એમ થાય તો નિર્ભય થઈ જાય. એક મરણનું આરાધન કરે તેય નિર્ભય થઈ જાય. આત્મામાં પ્રીતિ, વિશ્વાસ જોઈએ. ભાવથી સ્મરણ કરે તે સમાધિમરણ થઈ જાય. માટે નિર્ભય થઈને કરવાયેગ્ય છે. તેમાં પ્રમાદ ન કરો. “જે ઈ છે પરમાર્થ તે, કર સત્ય પુરુષાર્થ.” પુરુષાર્થ ઉપર જ આ આખે પત્ર છે. મોક્ષ થાય એ પુરુષાર્થ તે પુરુષાર્થ છે. પુરુષાર્થ એટલે આત્મા ફરે એ પુરુષાર્થ. ૪“સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવા હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું એ છે.” બહુ વિચારવા જેવું છે. જ્ઞાની તે કહી છૂટે. જીવ મેઢે કરે પણ જાણવાનું ફળ શું? તેને જીવને વિચાર નથી. આત્મા જે ન જાયે તે બધું નકામું. શાસ્ત્રો ભણે પણ આત્મજ્ઞાન ન થયું તો એ જાણવું બધું નકામું છે. પિતાના ભણી વળે નહીં તે બધું એનું અલેખે જાય. પાચ ઈન્દ્રિયમાં રહી જીવે બહારનું બધું જાણ્યું છે, જાણનારને જાણ્યા નથી. જાણનારની બધી ક્રિયા કરે છે પણ ભૂલે છે. બીજી વસ્તુઓ આડે આત્મા પિતાને દેખતો નથી. કોણ દેખે છે તેનું ભાન નથી, એનો લક્ષ નથી એથી રાગદ્વેષ થાય છે. પરને દેખે છે અને પિતાને ભૂલે છે, એ દેખતભૂલી છે. એ બાહ્યત્મા છે. આત્માને ભૂલીને કરે તે બધું નકામું છે. જે કંઈ કરવું તે આત્માર્થે કરવું. એટલું મેળવણ નાખવું. આત્માનો લક્ષ હોય તો આત્માથી સૌ હીન” એમ લાગે. જેનારે તે બધી વખતે છે. આત્મા ભણી દષ્ટિ હોય તે આત્માથી તૃપ્તિ થાય, આત્મા સુખસ્વરૂપ છે એમ માને. બીજી વસ્તુઓથી શાંતિ ન થાય, તૃષ્ણા થાય તેથી દુઃખી થાય છે. બધું જાણું, સાંભળી, આત્માને ઓળખ. આત્માથે કરે તે આત્મા પોષાય. આત્માને માટે વિચારે, ભક્તિ કરે, એને માટે જ ખાય, પીયે તે આત્મા પોષાય. પણ એ પુરુષના પેગ વિના થતું નથી. આત્મજ્ઞાન ન થાય તો મોટામાં મોટી ખોટ આવવાની છે. એક પાઈ સાથે આવે નહીં. કર્મનો હિસાબ એ છે કે જરા પણ ભૂલ ન થાય. માટે આત્માને આવરણ થાય એવું ન કરવું. “નિજ છંદનસે ન મિલે, હે વૈકુંઠ ધામ; સંતકૃપાસે પાઈયે, સો હરિ સબસે ઠામ.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy