________________
વચનામૃત-વિવેચન
રર૩ પછી ચારિત્રમોહ જાય તે મોક્ષ થાય. “મોક્ષ કહો નિજ શુદ્ધતા”મક્ષ સિવાય બીજે સુખ નથી. આત્માના જ્ઞાન વગર સુખી ન થાય. સત્સંગ કરે તે આત્મા એાળખાય અને ઓળખાય તે પછી એને નિર્મળ કરવાના વિચાર જાગે અને તેથી મેક્ષ થાય. મેક્ષે જવું હોય તેને આ બધી બાબત કહી. મુમુક્ષુને માટે આ બધું કહ્યું છે. - ૩, મોહ નિદ્રામાં જીવ છે ત્યાં સુધી અમુનિ છે. એટલે અજ્ઞાનો છે. મુનિ એટલે જાણનાર. જ્યાં સમકિત ત્યાં મુનિપણું અથવા જાણવાપણું છે અને જ્યાં જાણવાપણું છે ત્યાં સમકિત છે.
“આત્મજ્ઞાન ત્યાં મુનિમણું, તે સાચા ગુરુ હોય;
બાકી કુળગુરુ કલ્પના, આત્માથીં નહીં જોય.” સંસાર છેડે તે મુનિ એમ કૃપાળુદેવે નથી કહ્યું. “આત્મજ્ઞાન ત્યાં મુનિમણું” કહ્યું છે. “મુનિ તે નિરંતર આત્મવિચારે કરી જાગૃત રહે ” (૫૬૯). એ જાગૃતિ ન હોય તે મુનિ નથી, અજ્ઞાની છે. જાગૃત રહેવાનું કારણ શું? તો કે સમયે સમયે કર્મ બંધાય છે, માટે જાગૃતિની જરૂર છે. એટલે આત્મા દેહાદિથી ભિન્ન છે એમ મનમાં રાખવું તે જાગૃતિ છે. જેમ જેમ દેહાધ્યાસ છૂટે તેમ તેમ જાગૃતિ રહે. “પ્રમાદને લીધે આત્મા મળેલું સ્વરૂપ ભૂલી જાય છે ” (૨૫). પ્રમાદથી ચાર ગતિને ભય છે. જે અપ્રમાદી છે તેને ભય નથી. પિતાની વાત તપાસવી કે આપણે મોહમાં છીએ કે કેમ? મોહને દૂર કરીએ છીએ ? સંસારને ભય લાગે છે, સાચી વસ્તુ જાણે છે, તે જાગૃત રહે છે. મનુષ્ય ભવ મળ્યો તેમાં પ્રમાદ કરે તે એળે જતો રહે. સમજણ આવી હોય તે જાગૃત રહે, નહી તે પુણ્યના ઉદયે પણ જીવને આત્માનું કંઈ ભાન હોતું નથી. માટે ચેતવાનું છે. ઝબકે મોતી પરોવી લેવું. મનુષ્યભવ ક્યારે છૂટી જશે તેની ખબર નથી, માટે લાગ આવ્યો છે તેમાં પ્રમાદ ન કરે. જે વસ્તુ જાણી તેને ભૂલે નહીં. પરવસ્તુમાં મોહ એ પ્રમાદ છે. તેથી ભય થાય છે. અપ્રમાદીને કઈ રીતે ભય નથી. માણસ બળવાન હોય, પહેલવાન હોય પણ ઉંઘતે હોય તે ના કરે પણ મારી નાખે. તેમ આત્મા બળવાન છે, પણ પ્રમાદમાં હોય તો મળેલું સ્વરૂપ ભૂલી જાય છે.
પ્રશ્ન-મક્ષ થાય એવી વાત કહી, પણ લકે કેમ ગ્રહણ કરતા નથી?
ઉત્તર–મોહનિદ્રામાં સૂતા છે તે અજ્ઞાની છે. મોક્ષ શું? આત્મા શું ? તે જાણતા નથી. જેણે આત્મા જાયે તે પ્રમાદમાં ન રહે. ભૂલે નહીં. જે વસ્તુને જાણ તે વસ્તુને ચૂકે નહીં. જીવને મનુષ્યભવ, સદ્ગુરુને વેગ અને મંત્ર મળ્યો છે. પણ એાળખાણ નથી. નહીં તે મેક્ષ થાય એવું છે. જીવને એ વિશ્વાસ નથી આવતો. પ્રભુશ્રીજી કહેતા કે મંત્ર આપીએ છીએ તે આત્મા જ આપીએ છીએ. મંત્રનું નામ સમરણ છે. એને ભૂલવું નહી. વિસ્મરણ ન કરવું. લક્ષ રાખીને જ્ઞાની પાસેથી જે સત્સાધન મળ્યું છે તેનું આરાધન કરે તો સફળતા થાય. જીવને એ જ્ઞાની પાસેથી મળેલું સત્સાધન અપૂર્વ લાગ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org