________________
રરર
બધામૃત એવું જીવને ક્યાં થાય છે? અત્યારે મોક્ષની અભિલાષા છે કે બીજી કુગુરુ એકલો અસત્સંગ છે એમ નથી, કષાયભાવો પણ અસત્સંગ છે. આત્મજ્ઞાન થવા વિચારનો અવકાશ જોઈએ. તે માટે અસત્સંગ દૂર કરી સત્સંગ કરવાનું છે. આરંભ પરિગ્રહ એટલે ઓ છે તેટલી ઉપાધિ ઓછી થાય, એમાં ચિત્ત ઓછું ખેંચાય. અવકાશ મળે તે સત્સંગ કરે. સાંગથી સદ્દવિચાર જાગે. જેમ જેમ સત્સંગ થાય તેમ તેમ બીજી વસ્તુઓ ઉપરથી વિશ્વા ઊઠી જાય. સત્સંગ થાય તે પછી અસત્સંગ એને ગમે નહીં. હીરા અને કાચ એ બને પર દૃષ્ટિ જાય નહીં. એકની કિંમત લાગે. જે વસ્તુ ન ગમે તેથી છૂટે. જે મુમુક્ષુ મુઝાતું હોય કે આત્મજ્ઞાન કરવા શું કરવું? તેને માટે આ ઉપાય કહ્યો છે કે આત્મજ્ઞાન કરવું હોય તે આરંભ પરિગ્રહ ઓછો કર અને સત્સંગ કર. મેક્ષે જવું હોય તે આ રસ્તો છે. “એક હોય ત્રણ કાળમાં, પરમારથ પંથ” સત્સંગ કરે તો સુવિચારણા જાગે. મારું સ્વરૂપ દેહથી જુદું છે. જ્ઞાનીએ જા એ આત્મા છે એ વિચાર સત્સંગે જાગે. આત્મજ્ઞાન થાય તે પહેલાં પાંચ લબ્ધિ જીવને થાય છે–
(૧) ક્ષયોપશમલબ્ધિ–મનુષ્યભવ, પાંચ ઇન્દ્રિય વગેરે મળે તે. (૨) વિશુદ્ધિલબ્ધિ–બેટા કામથી ત્રાસ પામે ને સારા ભાવ ભણી જીવ વળે તેથી
પુણ્ય બાંધે. તેથી પુરુષને વેગ થાય. (૩) દેશનાલબ્ધિ-સપુરુષને વેગ થાય, સપુરુષ કહે તે સમજવાનું માહાસ્ય લાગે. (૪) પ્રાયોગ્યલબ્ધિ–દેશનાને વિચાર કરી તેમાં જ જીવન ગાળે તેથી સીત્તેર - કડાકડીની કમ–સ્થિતિ ઘટીને અંતઃકેટકેટીની થઈ જાય. (૫) કરણલબ્ધિ–તેમાં આગળ વધતાં ગ્રંથભેદ થાય.
ગ્રંથભેદ થાય ત્યારે ઉપશમ સમકિત થાય છે. તેને કાળ અંતર્મુહૂર્તન છે, પણ તે ક્ષાયક જેવું નિર્મળ છે. આત્મા જા તે મોક્ષ જરૂર થાય એ પાંચ લબ્ધિને સાર કૃપાળુદેવે આ પેરેગ્રાફમાં મૂકી દીધું છે. “સર્વ કલેશથી અને સર્વ દુઃખથી... મક્ષ થાય છે.” સત્સંગમાં આત્માની વાતને વિચાર આવે કે શું કરવા જભ્યો છું? મોક્ષ માટે શું કરવું? તે પછી આત્માને એને નિર્ણય થાય કે આ જડ ને આ હું.” એ જ નિર્ણય જીવને આત્મજ્ઞાન પ્રગટાવે છે. આત્મજ્ઞાન થાય તે પછી મોક્ષ થાય. જ્ઞાનની સાથે ઉપાધિને વેગ થોડાને હેય છે. એવું કૃપાળુદેવને હતું. છતાં સ્વભાવમાં ટકી શક્યા અને પિતે છૂટવાની જ ભાવના રાખી છે. સત્સંગમાં રુચિ થાય તે બીજા ભાવમાં રુચિ થાય નહીં. “લેકે ગમે તેમ કહે પણ મારે સત્સંગ કરે છે એમ કરે તે આત્મા બળવાન થાય છે. જીવ ડાહ્યો થવા જાય તે આખું ગામ બોલાવે. સત્સંગે એને રસ આવે તે બીજે રસ ન આવે. નહીં તો મોટા થવું હોય, તે ગમે તેવી ખટપટો કર્યા કરે. મોક્ષે જવું હોય તે આરંભ પરિગ્રહ ઓછો કરી સત્સંગ કરે તે પોતાના દે દેખાય અને એ કાઢવાની ભાવના થાય. સત્સંગમાં સારાં નિમિત્ત મળે તે જીવ શાંત થાય. તે માટે ક્રોધાદિ કષાય ટાળવાના છે. એ ટાળ્યા વિના મોક્ષ થવાનો નથી. આત્મજ્ઞાન થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org