SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૧ વચનામૃત-વિવેચન અને એને આત્મજ્ઞાન થાય છે. આત્મજ્ઞાન એ પાયે છે. એ પછી બધે પુરુષાર્થ સવળે છે. આત્મજ્ઞાન થતાં પહેલાં જ્ઞાનીને આધારે પુરુષાર્થ કરે તે ઠીક છે, નહીં તે ક્યાંય તણાઈ જાય. જ્યાં પ્રગટે સુવિચારણું, ત્યાં પ્રગટે નિજજ્ઞાન; જે જ્ઞાને ક્ષય મેહ થઈ પામે પદ નિર્વાણ સુવિચારણા એ જ આત્મજ્ઞાનની પાસે લઈ જનાર છે. કૃપાળુદેવ અનુભવ કરીને વચને લખે છે. બધા આત્મા, આત્મા કરે, પણ આત્માને અનુભવ ચોથે ગુણસ્થાનકેથી થાય છે. શબ્દનો ભાવ સમજ મુશ્કેલ છે. શબ્દ મેઢે કરે પણ ભાવ ભાસ દુર્લભ છે. આત્મજ્ઞાન અપૂર્વ વસ્તુ છે તે થવા વિચાર જોઈએ. “પરિસર્ષણ સુવિચાર સુજ્ઞાની.” (આ. ૫.), વિચાર એ આત્મા છે. ઘણે બોધ આત્મા સંબંધી થાય ત્યારે આત્મવિચાર સ્ફરે. જીવની પાસે વિચાર તો છે, પણ તે બીજી વસ્તુમાં ખળી રહ્યો છે. અનાદિકાળથી જીવ જે કરતે આવ્યો છે તેમાં એને રુચિ છે. તેથી એવાં એવાં વચન સાંભળે છે છતાં કંઈ અસર થતી નથી. કલેશથી બધાને છૂટવું છે, પણ કલેશ લાગતું નથી. મોહથી મુઝાતે હોય એવા મુમુક્ષુ માટે આ વચને છે. અરૂપી પદાર્થને જવને પરિચય નથી. રૂપી પદાર્થના રૂપ ૨સ ગંધ સ્પર્શ શબ્દને પરિચય છે. જવ દેખત ભૂલીમાં પડ્યો છે તેથી પિતાને ભૂલી ગયા છે. મારે એ કલેશ શાથી મટે? એ વિચાર આવતું નથી. આત્મા દેહથી ભિન્ન છે. જેમ નાળિયેરમાં ગોળો જુદે છે તેમ એને આત્મા ભાસે તો પછી એની સંભાળ રાખે. આત્માને પછી મલિન ન રાખે. પણ આત્માનું ભાન નથી, તેથી એની જોઈએ એવી કાળજી નથી રહેતી, સંભાળ નથી રહેતી. આત્મા કિંમતી વસ્તુ છે, અપૂર્વ છે એમ એને નથી લાગતું. જ્ઞાનીને આત્મા અપૂર્વ લાગે છે. સર્વ સુખનું ધામ આત્મા છે. આત્મા કે ઉત્તમ વસ્તુ છે. “આત્માથી સૌ હન” તેને બદલે જીવ પૈસામાં, સગામાં સુખ શોધે છે. ૨. વિચાર નથી આવતો તેનું કારણ અસત્સંગ છે. અસત્સંગ અને અસસંગ એ બેય કારણે જેને આત્મજ્ઞાન કરવું છે તેણે ટાળવાનાં છે. “હાલના વખતમાં મનુષ્યનું કેટલુંક આયુષ્ય બાળપણમાં જાય, કેટલુંક સ્ત્રી પાસે જાય, કેટલુંક નિદ્રામાં જાય, કેટલુંક ધધામાં જાય અને સહેજ રહે તે કુગુરુ લુંટી લે એટલે મનુષ્યભવ નિરર્થક ચાલ્યો જાય.” (ઉ. છા. ૧). આરંભ પરિગ્રહ ઓછો કરે તો અપભ્રસંગ એને ન નડે. ઉપાધિ ઓછી થાય. પ્રશ્ન–અહીં તે અસત્સંગ અને અસપ્રસંગ છે નહીં, તે પછી વિચાર કેમ નથી જાગતા? પૂજ્યશ્રી–અસત્સંગ અહીં નથી, એમ નથી. ક્રોધ માન માયા લેભ કરે તે પણ અસત્સંગ છે. કષાયની ઉપશાંતતા, માત્ર મેક્ષઅભિલાષ; ભવે ખેદ પ્રાણ દયા, ત્યાં આત્માર્થનિવાસ.” Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy