________________
૨૦.
બેધામૃત નથી. અંદર આત્મસ્વરૂપ છે, તેને નમસ્કાર કરવાના છે. પ્રભુશ્રીજી પૂછતા કે કોને નમસ્કાર કરે છે? આપણને જેટલો કૃપાળુદેવના વચનને પરિચય થાય તેટલો કરવાગ્ય છે, અક્ષરે અક્ષરે આત્મા છે. વિચાર કરે તો સમજાય.
૧. આખું જગત કલેશથી ભરેલું છે. અનંતકાળથી જીવ કલેશથી બળે છે. એ બધા દુઃખથી મુક્ત થવું હોય તે આત્મજ્ઞાન કરવું. અંધારું કાઢવું હોય તે દી જોઈએ. ડાંગ મારવાથી અંધારું ન જાય. જયાં સુધી મિથ્યાત્વ છે, જન્મમરણ છે ત્યાં સુધી આત્મા કલેશિત છે. શાતા કે અશાતામાં જીવ કલેશિત જ રહે છે. એથી નિવૃત્ત થવાને ઉપાય આત્મજ્ઞાન છે. બીજા ઉપાય જુઠા છે. એક આત્મજ્ઞાન ઉપાય એવો છે કે જેથી બધા કલેશ અને દુઃખ મટી જાય. આત્મજ્ઞાન થયા પછી શાંતિ. એ આત્મજ્ઞાન કરવું હોય તો આત્મસિદ્ધિમાં કહ્યું છે કે “કર વિચાર તે પામી” અનાદિથી જીવ અવળે રસ્તે છે, ભૂલેલે છે. એ ગમે તેટલાં બાથડિયાં મારે તે પણ કામ ન થાય. આત્મજ્ઞાન એ જ દુઃખથી મુક્ત થવાને ઉપાય છે. આત્માની ઓળખાણ થાય તે પછી બધાય દુઃખ દૂર થાય. દુઃખ દૂર કરવા બધા ઈચ્છે છે, પણ જીવ બધા તાત્કાલિક ઉપાય કરે છે, તે યથાર્થ નથી. આત્મજ્ઞાન થાય તો પછી ત્રણે કાળ સુખ થાય. આત્મા કલેશિત છે એમ જીવને સમજાતું નથી. અશાતા કલેશરૂપ લાગે છે પણ શાતા કહેશરૂપ છે એમ લાગતું નથી. શાતા એ જરા એ દુઃખ છે. વિચારવાનને બધે સંસાર દુઃખને દરિયે લાગે છે. “એક તલ જેટલી જો પણ આ સંસારની ઝેર વિના રહી નથી.” (મ. પ૨). જગતમાં ક્યાંય સુખ નથી. બ્રાહ્મણ આખા ભારતમાં ફર્યો પણ કોઈ સ્થળે સુખ ન જોયું. બધે દુઃખ જોયું. પછી જ્યારે ધર્માત્મા પુરુષ મળે ત્યારે લાગ્યું કે આ સુખી છે. પણ શેઠને પૂછયું ત્યારે કહ્યું કે મને આ શાતા વેદની છે પણ ખરું સુખ મને નથી. ખરું સુખ તે મુનિઓ પાસે છે. પછી બ્રાહ્મણે પણ એ વાત માન્ય કરી. જ્ઞાની ઉપર શ્રદ્ધા હોય તો એમ લાગે કે આત્મજ્ઞાન નથી થયું ત્યાં સુધી હું દુઃખી છું. ભ્રાંતિ હોય ત્યાં સુધી સુખ શાનું હેય? જ્ઞાની ઈરછે છે તે સુખની ભાવના કરવાની છે. એ લક્ષ રાખો. નહીં તો ભૂલે પડે. આત્મજ્ઞાન હોય તે જ સુખી થાય. સુખી થવાને બીજે કઈ રસ્તો નથી. વધારે પૈસા હોય તે વધારે દુઃખ થાય. એનું દુઃખ કેવું છે, તે કોણ જાણે છે? એને આત્મા જાણે છે. લેકેમાં મોટા હોય તેમને મોટાં દુઃખ હોય છે. ચક્રવતી પણામાં, ઇન્દ્રના હૃદયમાં બધે દુઃખ છે. એમ જીવ અંતર તપાસે તો ખબર પડે કે એકાંત સુખ વીતરાગતામાં છે. “એકાંત સુખી મુનિ વીતરાગ!” વિચાર વિના એ સમજાતું નથી. જીવને દુઃખ લાગ્યું નથી જ્ઞાનીની દૃષ્ટિએ જુએ તે સંસાર દુઃખરૂપ લાગે. આત્મજ્ઞાન વિચારથી થાય છે, પણ વિચાર થવા ગ્યતા જોઈએ. જ્ઞાનીના બેધને આધારે વિચાર કરે, દોષ દૂર કરે તે આત્મજ્ઞાન થાય. ત્યારે કલેશ દૂર થાય. સુખ જોઈતું હોય, સુખનો નિર્ણય કરવો હોય તે આત્મજ્ઞાન કરવાનું છે. જેટલા જેટલા મોક્ષે ગયા તેટલા તેટલા દેહથી ભિન્ન પિતાનું સ્વરૂપ ઓળખી મે જ્યા. સંસારમાં ક્યાંય સુખ નથી એમ લાગે ત્યારે મુમુક્ષુ થાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org