SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેચન ૨૧૯ ભવમાં ટળે છે. આત્મસુખ ભોગવવા જેવી વસ્તુ છે. નિર્મળ વિચાર હોય તો આત્મજ્ઞાન થાય, બધી વસ્તુઓ ઉપરથી મેહ ઊઠે. ૧૦. બધી નાશવંત વસ્તુઓ છે, તેમાંથી વૃત્તિઓ વિરમે તે મેહ ઘટે. મેહ પટાવે છે તેથી માને છે કે મને મારવાની વાર છે. એક ક્ષણવારમાં કોઈ શીશીની જેમ ફૂટી જાય છે. જ્યાં સુધી જીવને વૈરાગ્ય ન આવે, સંસાર અનિત્ય ન લાગે, ત્યાંસુધી વિચાર ન આવે. સત્સંગ એ નિશાળ છે. સત્સંગે ઊંડી દષ્ટિ થાય. એક સત્સંગમાં જ આત્માની વાત નીકળે. સત્સંગ હોય તે વિચારે કે શું કરવા જન્મે છું? શું કરું છું? સાંભળ વાનું મળે તે થાય. મનુષ્યભવમાં વિચાર આવે તે થાય એવું છે. ૧૧. મનુષ્યભવ ચિંતામણિ જેવો છે, પણ તેની પાસે બે પૈસાનું કામ કરાવે છે – વેપાર વગેરે પૈસા કમાવાનું કામ કરાવે છે. પિતાને વિચાર નથી આવતો. આત્માની ઓળખાણ થવી મુશ્કેલ છે. સત્સંગે મનુષ્યભવની અપૂર્વતા લાગે. એની એક ક્ષણ પણ અમૂલ્ય છે. કેઈક ક્ષણમાં સમકિત થઈ જાય. બીજી વસ્તુઓ અનિત્ય લાગે તો આત્માનું મહાભ્ય લાગે. આત્મજ્ઞાન થયા પછી પણ ઉપાધિ હોય છે, પણ જ્ઞાની એમ વિચારે છે કે ઉપાધિ છૂટે તે સારું. ૧૨. જનક, ભરત આદિ રાજ્ય પણ કરતા અને આત્મામાં પણ રહેતા, એમ કરવા જેવું નથી. જ્યાં સુધી મેક્ષ ન થાય ત્યાંસુધી છૂટવાની ભાવના નિરતર રાખવી, જપવા જેવું નથી. ૧૩. ઘણા લોકે ન થયા છતાં મને આત્મજ્ઞાન થયું છે એમ કહે છે, એમ કરવા જેવું નથી. રાગદ્વેષને ક્ષય કરવાયોગ્ય જ છે. ૧૪-૧૫. પરપદાર્થનો સંગ છતાં “મારું નથી” એમ રહ્યા કરે તે ત્યાગ છે. ખરે ત્યાગ પરમાં ન લેપાવું તે છે. બધું ત્યાગે છતાં અલ્પ વસ્તુમાં પણ ઈચ્છા રહે ત્યાં સુધી ખરે ત્યાગ નથી. અંતર્યાગને અર્થે બાહ્યત્યાગ કહ્યો છે. બાહ્યથી એટલે ત્યાગ હોય તેટલો અવકાશ મળે છે. મિથ્યાત્વ ત્યાગવા માટે બાહ્યત્યાગ ઉપકારી છે. ૧૭. કૃપાળુદેવ કહે છે કે છૂટવાની ભાવના રહે છે, પણ પૂર્વકર્મને લઈને છુટાતું નથી. વિ. પ૬૯ ] ૧૯૨ શ્રી રા. આ અગાસ, ભાદ્રપદ, સુદ ૧૨, ૨૦૦૯થી ભાદ્રપદ વદ ૪, ૨૦૦૯ સુધી (ત્રીજનો ક્ષય હોવાથી ૭ દિવસ) પત્રમાં જે કહેવું છે તે મહાપુરુષની દશાની વાત છે તેથી સત્પરુષની દશાને નમસ્કાર કર્યો. જેણે સત્ પ્રગટ કર્યું છે, સત્ રૂપ થયા છે એવા પુરુષને નમસ્કાર કર્યા છે. વળી એની વાણીમાં સત્ આવે છે. “સપુરુષ એ જ કે નિશદિન જેને આત્માને ઉપયોગ છે.” (૭૬). અત્યારે જીવ કોને નમસ્કાર કરે છે? બહાર છે તે વસ્તુને નમસ્કાર કરવાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy