SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ બોધામૃત અસ...સંગથી ઘેરાયેલ છે તેમાંથી અવકાશ લે અને સત્સંગ કરે તો આત્મવિચાર જાગે. અવકાશ મળે પણ પછી કષાયની મંદતા વગેરે ન થાય ત્યાં સુધી સુવિચારણ ન જાગે. : ૩. જ્યાં સુધી મોહ છે ત્યાં સુધી મુનિપણું નથી. જાણવા જેવી વસ્તુ જાણી તે તે ભુલાય નહીં. આત્મા જેવી બીજી કોઈ વસ્તુ નથી. “આત્માથી સૌ હીન” એમ લાગે. એક સમય માત્રને પણ પ્રમાદ ન કરે એમ શ્રી મહાવીર ભગવાન ગૌતમ જેવા ગણધરને સંબોધતા હતા. પ્રમાદથી જીવ પડે છે. પ્રમાદમાં બે વખત જાય છે. લેભથી પ્રમાદ થાય છે. પ્રમાદ બહુ ભૂંડું કરે છે. ' ૪. શાસ્ત્ર વાંચે, સત્સંગ કરે ચર્ચા કરે, પણ પિતાને ન ઓળખે તો બધું જંગલમાં પિક મૂકવા જેવું છે. કેણ સાંભળે? જગતમાં ઘણી વિદ્યાશાળાઓ ચાલે છે, પણ આત્મા નથી જા બધું નકામું છે. - પ. સુખનું કારણ આત્મજ્ઞાન છે. જેટલા પ્રકારે આત્મા નિર્મળ થાય છે, તેટલી સમાધિ પ્રગટે છે. આત્મા તે સુખનું ધામ છે. ૬. તથારૂપ જેગ મળ જોઈએ. પિતાની યોગ્યતા અને સત્પરુષને વેગ, તો થાય. જે સમ્યક્ત્વ એક ક્ષણ પણ સ્પર્શ થયું તે એને મોક્ષ થાય જ. છાપ લાગી. ગાયના શીંગડા ઉપર રાઈને દાણે ટકે એટલી વાર એને પિતાના સ્વરૂપનું ભાન થયું તે જરૂર મોક્ષે જાય. પછી બીજામાં ન જાય. એને વધારે કાળ અર્ધપુદ્ગલપરાવર્તન છે. અર્ધપુદ્ગલપરાવર્તનથી વધુ સંસાર ન હોય તેને સમ્યકત્વ સ્પર્શન થાય છે. ૭. બીજી પરવસ્તુઓમાં તન્મય થાય છે, તેથી પિતાને ભૂલે છે. “જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હેત!” (૨૧-૮૩) એ ભૂલ ટાળવાની છે. સ્ફટિક રત્નની જેમ જેવું નિમિત્ત મળે તે થાય છે, નિમિત્તસંગ મળે તેમાં પોતાને ભૂલી જાય છે. દેહને હું છું એમ માને તેથી આ સંસાર છે. તેમાં જેટલી તાદાત્મવૃત્તિ છે તેટલો મેક્ષ આઘે જાય છે. ૮. મનુષ્યભવ ઘણીવાર મળે, પણ મનુષ્યપણાનું સફળપણું આત્મજગ બને તે છે. ખામી વિચારની છે. વિચાર હોય તો આત્મજ્ઞાન આવે. આત્મસિદ્ધિમાં કહ્યું છે કે “કર વિચાર તે પામ.” આ ભવમાં જે કરવા જેવું છે તે કરી લેવું. આ કાળમાં થોડું આયુષ્ય છે માટે ઢીલ કરવા જેવું નથી. દેહ છોડતાં પહેલાં આત્માનું કામ કરી લેવું. બીજા ભવમાં ન થાય. ૯. આત્મવિચાર નથી આવતે એનું કારણ અસત્સંગ છે. ધમને માટે જીવ પુરુષાર્થ કરે છે, પણ ભૂલે છે તેથી ફળ નથી આવતું. બીજા વિચાર છોડી આત્મવિચાર જાગે તે થાય. નિર્મળ વિચાર, વૈરાગ્યઉપશમના વિચાર આવે તે આત્મજ્ઞાન થાય. જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ. આત્મા આઘો નથી. એાળખાણ નથી પડતી. મનુષ્યભવમાં કરે તે થાય એવું છે. સત્સંગે એને વિચાર જાગે. ઉપાધિ એાછી કરી સત્સંગમાં રહેવું. માથા પરથી બોજો એ છે થાય અને સત્સંગે પુરુષાર્થ કરે તે થાય. જન્મમરણ કરે છે તે ભૂલ મનુષ્ય Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy