________________
૨૧૬
બેધામૃત કહે એ એક જ છે. જાણે તે જીવ અને ન જાણે તે જડ છે. એ સિદ્ધાંતિક વાત છે. કંઈક વૈરાગ્ય-ઉપશમ હોય તે સમજાય, નહીં તો કાને અથડાઈને જતી રહે. એને મુમુક્ષુ વિચાર કરે તે ભેદજ્ઞાન થાય. પર્યાય, પરિણામ, અને ભાવ એ એક જ છે. “જડભાવે જડ પરિણમે, ચેતન ચેતનભાવ.” પરિણમે એટલે એના પર્યાય થાય.
જગતમાં દર્શન બધાં ઘણાંય છે, પણ શ્રી જિને જેવું વસ્તુનું સ્વરૂપ જાણ્યું છે તેવું કેઈએ જાણ્યું નથી. માટે મુમુક્ષુએ બીજું બધું છોડી ભગવાનનાં જે અનુભવપૂર્ણ વચન છે તે વિચારવાયેગ્ય છે. એ વચનેથી જડ તે જડ અને ચેતન તે ચેતન સમજાય છે. આત્મા પમાડવા માટે જ્ઞાની પુરુષે કથા કહે, ઉપદેશ આપે, તે ત્યાં ધર્મ છે. બીજા જે એવી રીતે કરે છે તે બધી કડાકૂટ છે. જેને વસ્તુની ગમ ન પડી હોય, માર્ગને અજાણ્ય હોય તે બીજાને કેમ કરી દરે? શાસ્ત્રને આધાર સુપાત્ર જીવને છે. સુપાત્ર હોય તેને શાસ્ત્ર આધારભૂત છે. જ્ઞાની પુરુષ કે જ્ઞાની પુરુષને આશ્રિત એ બને મોક્ષમાર્ગમાં છે. બન્નેની દિશા ફરી છે. જ્ઞાનીએ આત્મજ્ઞાન પ્રાપ્ત કરી સંસાર | પૃષ્ઠ ફેરવી છે અને તેના આશ્રિતને એવી રુચિ થઈ છે, આજ્ઞા ઉઠાવે છે, તેથી એને પણ જગત જોઈતું નથી. મક્ષ સિવાય એને બીજો ભાવ થતો નથી. માત્ર મેક્ષઅભિલાષ” હોય તે આત્માથી થયે છે અને આજ્ઞાએ ચાલે છે તેથી આશ્રિત જીવ પણ મોક્ષમાર્ગમાં છે. એ “હું, મારું' ના કરે. “કઈ પણ કારણે આ સંસારમાં કલેશિત થવા યોગ્ય નથી” (૪૬૦) એ એને ચોટી જાય. જ્ઞાની પુરુષ છે તે જ મોક્ષે લઈ જનાર છે. એટલી પ્રતીતિ હોય અને સમ્યગ્દર્શન ન હોય, તે પણ એ આશ્રિતપણું છે. હું તો અજા છું, હું શું જાણું? કૃપાળુદેવે આત્મા જામ્યો છે. પ્રભુશ્રીજી પણ આપણને એમ જ કહેતા. કૃપાળુદેવ આપણને ગમે તે વચન કહે પણ તેમાં આત્મા જ છે. કુસંગથી બચવાની જરૂર છે. જ્ઞાની અને જ્ઞાનીના આશ્રિત એય સંસારમાંથી બચે છે.
આવાં જ્ઞાનીનાં વચનાનું શ્રવણ, મનન, અને નિદિધ્યાસન એટલે ભાવના કરવી. જેટલી શ્રવણ મનનમાં ખામી તેટલી નિદિધ્યાસનમાં ખામી છે. બધાં વચનો સાર આત્મા ભણી લાવવા માટે છે. ચૌદપૂર્વનું વર્ણન કર્યું તે બધું એક આત્મા જાણવા માટે આત્મજ્ઞાનીએ પોતે વસ્તુનું સ્વરૂપ જાણ્યું છે. તેને વળગે તે સાચ પ્રગટે. એંજીનને ડબ્બા જોડાયેલ હોય તે પાછળ પાછળ ચાલ્યા જાય. જ્ઞાનીને આશ્રયે પ્રવર્તે તો મેક્ષમાર્ગમાં એ છે. આશ્રયનું કેટલું બળ છે! “જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે” (૬૯૨) જે સાચો આશ્રય કર્યો હોય તે આજ ભવમાં કેવળજ્ઞાન પામી મોક્ષે જાય. સ્વચ્છેદ એ જ એને રઝળાવનાર છે. “રેકે જીવ સ્વછંદ તે, પામે અવશ્ય મોક્ષ.” સાંભળવાથી અનુભવ સુધીનો આ કમ કહો. સાંભળવી હોય તે આત્માની વાત સાંભળે, વિચાર કરવો હોય તે આત્માને કર, ભાવના કરવી હોય તે આત્માની કરવી. “નાણે વિના” શ્રવણથી જ્ઞાન અને જ્ઞાનથી વિજ્ઞાન થાય છે. તેથી સર્વ કર્મથી છૂટી મોક્ષ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org