________________
વચનામૃત-વિવેચન
૨૧૫ વાંચવા વિચારવાયેગ્ય છે. એમાં વૃત્તિ રહે તે આર્તધ્યાન મંદ પડે અને કર્મ છૂટે. સ્મર થનું વિસ્મરણ થાય ત્યારે આર્તધ્યાન થાય છે. જ્ઞાનીએ કહ્યું તેમાં લક્ષ રાખવે. જગતના બધા પ્રકાર પુણ્યપાપને આધીન છે, એને વિશ્વાસ રાખવાનું નથી. શાની સંભાળ લેવાની છે, કોને વિશ્વાસ રાખવાનું છે? તેની જીવને ખબર નથી.
વેપારને લઈને વિક્ષેપભાવ રહે છે. ત્રણ વર્ષમાં નિવૃત્તિને જેગ મળ્યો નથી. હવે ઈચ્છા નિવૃત્તિની રહે છે. પ્રવૃત્તિનું સ્વરૂપ એવું છે કે દઢ વૈરાગ્યવાન હોય તેને પણ સ્થિર ન રહેવા દે, તે પછી જેને જેવું નિમિત્ત મળે તે થઈ જતું હોય, તેને તે આત્માની સખ જ ન થવા દે. જે નિમિત્ત મળે તેમાં તણાઈ જાય તો જે સંગ મળે તે થઈને ઊભું રહે છે, જેના ચિત્તમાં વૈરાગ્ય હોય તે દઢ રહી શકે છે. નામને વૈરાગ્ય હોય અને વૈરાગ્યને લૂંટી લે એ આરંભપરિગ્રહ હોય, તે પછી કલ્યાણ ક્યારે થાય! જ કલ્યાણ કેમ સાધતા નથી? તેનું કારણ આ બધું શોધી શોધીને કહ્યું છે.
સંસારમાં કંઈ પણ સારું મનાય ત્યાં આગળ આત્મજ્ઞાનની ન્યૂનતા છે. જ્ઞાની પ્રત્યે દષ્ટિ કરવાની છે. આપણું દષ્ટિના ગજે જ્ઞાનીને માપવા જઈએ તો સમજાય નહીં. સંસારમાં કંઈક સાર એને લાગતું હોય, પરવસ્તુની પ્રાપ્તિમાં હર્ષશોક થતું હોય, તે આત્મજ્ઞાનની ત્યાં ન્યૂનતા છે. સમજ્યા હોય તે પરિગ્રહ એ પાપ છે એમ જાણે. ખેટાને ખોટું જ જાણે. સંસારમાં સાર જાણે તેટલી આત્મજ્ઞાનની ખામી છે. આ ઘર વગેરે સારું છે એમ થતું હોય, તે ત્યાં આગળ આત્મજ્ઞાન નથી. સમ્યગ્દર્શન થાય ત્યાં નિષ્કાંક્ષિત ગુણ પ્રગટયો હોય છે. કોઈ પણ પદાર્થની એને ઈચ્છા ન થાય. પૈસા સારા છે, સંસાર સારરૂપ છે, એમ લાગે છે ત્યાં સુધી એના જ્ઞાનમાં ખામી છે. કેવાં વચને છે ! બહુ વિચારવા જેવાં છે. બધા કેવલીઓએ આ સંસારને અસાર કહ્યો છે. એને સારરૂપ લાગે છે તે ઉંધું છે. આ સારું છે, આ બેટું છે, એમ સમ્યક્ત્વને થતું નથી. “જેટલા પિતાની પુલિક મોટાઈ ઈચ્છે તેટલા હલકા સંભવે” (૮૫) બધાં કર્મ ફૂટી નીકળ્યાં છે, તે રહેવાનાં નથી. બધાં જવાના છે, દે કાડ્યા વગર છૂટકે નથી. પિપાબાઈનું રાજ્ય નથી, જ્યારે દેષ કાઢશે ત્યારે જ મોક્ષ થશે. લેકે કહે તે માનવું નથી, લેકે ઈછે તે ઈચ્છવું નથી. જ્ઞાની જેને માને, ઇચ્છે તે મારે માનવું, ઇચ્છવું છે. એ લક્ષ રાખો. જ્ઞાની કહે છે કે ચેતતા રહેજે, નહી તે ઘણા દેશે અંદર પેસી જશે. દેષો જે વધારે વાર ટક્યા તે પછી જવા મુશ્કેલ છે. દેષ દેખાય કે તરત એને રજા આપવી. આત્મજ્ઞાન એ સહેલી વસ્તુ નથી. એવા બધા દે હોય છતાં આત્મજ્ઞાન માની લે છે. મને શામાં સારું લાગે છે, તે વિચારવું. ખોટી વસ્તુને સારી માને છે. કૃપાળુદેવ જેને સારું કહે છે તેને સારું ન માને અને લકે કહે તેને સારું માને, તે કૃપાળુદેવને અનુયાયી નથી, પણ લોકોને અનુયાયી છે. જ્યારે આત્મા ઓળખાશે ત્યારે તે બધું ઝેર જેવું લાગશે. જીવને વૈરાગ્ય નથી.
દરેક દ્રવ્યનાં પરિણામ તે હોય. પણ જડ જડરૂપે અને ચેતન ચેતનરૂપે સમયે સમયે પરિણમે છે. જેવું દ્રવ્ય હોય તેવાં પરિણામ હોય. જીવ–અજીવ કહે કે ચેતન–જડ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org