SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેચન ર૧૩ શ્વાસના ભેદે જાણીને ચગશાસ્ત્રમાં બધું કહ્યું છે. એટલે થાય તેટલે બાહ્ય વસ્તુઓને વિચાર કર્યો છે. લેકે શ્વાસ રોકે ત્યારે સમાધિ કહે છે, પણ એ સમાધિ નથી. ભગવાને સમાધિ શાને કહી છે? તે કૃપાળુદેવ કહે છે કે “આત્મપરિણામની સ્વસ્થતા એટલે આત્મામાં રહે, બહારના પદાર્થોમાં વૃત્તિ ન જાય તે સમાધિ છે. નહીં તે જીવ ઠગાઈ જાય. આત્મપરિણામની સ્વસ્થતા આત્મા એાળખાયા વગર ક્યાંથી થાય ? રાગદ્વેષથી આત્માનાં પરિણામ ચંચળ થાય છે. એ રાગદ્વેષ ન થાય ત્યારે સમાધિ કહેવાય. સમ્યગ્દર્શન થયા પછી એને સહજ સમાધિ રહે છે. જેથી દીપ્તાદષ્ટિમાં પ્રાણાયામનું સ્વરૂપ કહ્યું છે– “બાહ્યભાવ રેચક હો જી, પૂરક અંતરભાવ; કુંભક થિરતા ગુણે કરી છ, પ્રાણાયામ સ્વભાવ.” બાહ્યભાવને બહાર કાઢ અને અંતરભાવને અંદર પૂર અને ગુણેમાં સ્થિરતા કરવી તે રેચક, પૂરક અને કુંભક છે. એ ભાવપ્રાણાયામ છે. શ્વાસ રોકવા, કાઢવા એવું તે જીવે ઘણીવાર કર્યું છે. પ્રભુશ્રીજી એક દષ્ટાંત આપતા કે એક સમાધિ ચઢાવનાર બા હતું. તેણે યજ. માનને ઘેર જઈ કઠી થતી હતી તે માગી, પછી વાર હતી તેથી એક ખૂણામાં બેસી સમાધિ ચઢાવી, ત્યાં કેઈએ ઘાસની ગંજી લાવી ખડકી દીધી. તે બાવાજી છ મહિના તેની નીચે સમાધિ લગાવી બેસી રહ્યા. જ્યારે સમાધિ છૂટી થઈ ત્યારે “કઠી થઈ?” એમ બેલ્યા, એટલું બધું કર્યું પણ એની કઢીની વાસના ન ગઈ. બહારની બધી ક્રિયા છે, પણ વાસના નથી રેકતી. પૂર્વના સંસ્કારે જીવ ભૂલી ગયે છે. મન નવરું પડે ત્યારે નખેદ વાળે છે. સ્વપ્નાની અંદર પણ રાગદ્વેષ થાય તે કર્મ બંધાય છે. જેટલાં રાગદ્વેષ પરિણામ હોય તેટલે બંધ થયા કરે છે. ઠીક અઠીક થયા કરે છે, રતિ-અરતિ થયા કરે છે, તેથી આત્મા ચંચળ થાય છે અને તેથી કર્મ બંધાય છે. એકેન્દ્રિય જીને આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ એ ચાર સંજ્ઞા છે. ત્યાં પણ એને અવ્યક્તપણે રાગદ્વેષ પરિણામ થયા કરે છે. જેને આત્માને અનુભવ થયે તેને આ વાત સત્ય લાગે છે કે આત્મપરિણામની સ્વસ્થતા થાય તે જ કમ છૂટે. રાગદ્વેષ પરિણામ ન થાય તે સમાધિ થાય. આપણું પરિણામ તપાસવા માટે આ બધું કહ્યું છે કલ્પનાથી કર્મ બંધાય છે. “સ” છે તે કલ્પનાથી પર છે. ક૯૫ના કર કર કરે છે તેથી જીવ આઘા જાય છે. હું જાણતો નથી એમ રાખે તે કોઈ દિવસ ઠેકાણું પડે. શાશ્વત આત્મા છે એમ કહે પણ વસ્તુને જ્યાં સુધી એાળખે નહીં ત્યાં સુધી શી ખબર પડે? ઘણું મેઢેથી એમ કહે છે કે મારે સંસારથી લેવાદેવા નથી, પછી કઢી જેવું થાય કૃપાળુદેવની પાસે ગજ હતું, તેથી તપાસ્યું કે જૈનમાં જેવું વસ્તુ સ્વરૂપ છે તેવું ક્યાંય નથી. આરંભ પરિગ્રહમાં પ્રવર્તે તે એને વૈરાગ્ય વગેરે હોય તે પણ જતો રહે. જેથી આત્માનાં પરિણામ ચંચળ થાય એવાં નિમિત્તમાં પરિણામ સ્થિર રહેવાં મુકેલ છે. ઊંટ ઉપર બેસે અને હું તે સ્થિર રહીશ એમ કહે તે કંઈ સ્થિર રહે? તેમ આરંભપરિગ્રહમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy