________________
બધામૃત
૨૧૦. ગેદાવી જગાડે છે. છેવટે કૃપાળુદેવે એમને મેટા મુનિઓને દુર્લભ એવી દશા કરાવી સમાધિમરણ કરાવ્યું. “વિત જન જા” (૭૮૧) માં લખ્યા પ્રમાણે છેવટે બધી એમની વાસનાઓ છેડાવી એવો ભાવ કરાવ્યા.
- રિદ્ધિસિદ્ધિથી પૈસા મેળવવાની ઈચ્છા છે તે સટ્ટા જેવું છે. માટે તે એગ્ય નથી. તીવ્ર મુમુક્ષુ હોય તો એને પછી સંસારનાં કારણોમાં દુઃખ ન લાગે. વાસના જરાક પણ રહી હોય તે શોધીને કાઢી નાખવી. રિદ્ધિસિદ્ધિની ઈચ્છા કરવી જ નહીં. એ બન્નેને મલિન કરનાર છે. જ્ઞાનીને પણ એથી પાછળ પડવાનું થાય છે અને યાચનારને પણ પાછળ પડવાનું થાય. જ્ઞાની પુરુષ જો રિદ્ધિસિદ્ધિ ફેરવે તે અજ્ઞાનદશામાં આવી જાય. માટે એવી ઈચ્છા જે કંઈ અલ્પ માત્ર હોય તેનું મૂળ ઉખેડી નાખવું. ભગવાન પાસે પણ યાચના કરે કે મને પુત્ર થશે તો કેશર ચઢાવીશ! જેમ પીર પાસે યાચના કરે, તેમ એ જિનભગવાન પાસે પણ કરે તો એ ભગવાનને પણ પીર જેવા ગણ્યા! જ્યાં એવી ઈચ્છાઓ કરે ત્યાં આગળ એનું મિથ્યાત્વ પોષાય છે. પછી ભગવાનને છોકરાં આપનાર જ માને !
એ લકત્તર મિથ્યાત્વ છે. જ્યાં આગળ મિથ્યાત્વ છેડવાનું છે ત્યાં આગળ જીવ મિથ્યાત્વ પિષે છે. જેને સાચી ભક્તિ હોય તેને દુઃખ તે આવે. નહીં તે સાચી ભક્તિ નથી. જરાક પણ વાસના હેય તો એ ભક્તિ ન કરવા દે. એ એને ખૂચે. લોકેત્તર પુરુષ પાસે જતાં લૌકિક ભાવના છોડવી જોઈએ. લૌકિક વાસના છોડી ભગવાન પાસે જવું જોઈએ. તેને બદલે સંસારી વાસનાઓ લઈને જાય તો એને મેક્ષ થતાં ખાળે છે. રિદ્ધિસિદ્ધિ ફેરવે તે જ્ઞાનીને પણ મિથ્યાત્વમાં આવવું પડે, તેથી બહુ સાચવે છે. પ્રભુશ્રીજી કહેતા કે રિદ્ધિસિદ્ધિને તો લાત મારી કાઢી મૂકી. ઈચ્છાથી દુઃખી થાય છે. જેમ જેમ ઇચ્છા ઓછી થાય તેમ તેમ વીતરાગત્વ એની પાસે આવે, “જબ ઈચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ” કઈ ઈચછા રાખવા જેવી નથી. બીજી યાચના જે વ્યાપાર રોજગાર વગેરેની કરી, તે પણ તમને યોગ્ય નથી. કારણ કે જ્ઞાનીની સેવા કરવી જોઈએ, તેને બદલ જ્ઞાનીને નોકર બનાવે તેવું થાય. જ્ઞાની ઉપર વ્યવહારને ભાર મૂકો એ ભક્તિ નથી. એ તમને યોગ્ય નથી. તમે અમને કહો છો કે “મારો દુકાનમાં કંઈક ભાગ રાખો, તે ચોગ્ય નથી. જ્ઞાનીને પરિશ્રમ પડે એવું કરવા જેવું નથી. ચેલાએલી એ બીજા પ્રકારનો સંસાર છે. એમાં મમતા થાય તે ભવ કરવા પડે. જ્ઞાની પુરુષ અસંગ અને અપ્રતિબદ્ધ રહે છે. એ જ માર્ગ છે. કૃપાળદેવમાં એવી શક્તિ હતી કે લેવાદેવાનું કરે તે પણ એમનું મન આત્મામાં રહેતું. બીજામાં જાય નહીં. બીજા એમ કરવા જાય તે સંસાર વધે. કૃપાળુદેવ બહુ નિસ્પૃહ હતા. કૃપાળુદેવ કહે છે કે ખરાબ દષ્ટાંતરૂપ ન થઈએ એમ અમે વર્તીએ છીએ, તે પછી બીજા સમક્ષ એને તો એવી વિચારણા બળવાનપણે રાખવાની છે. બીજા જીવન હિત વિચારીને કૃપાળુદેવ કહે છે. બીજા મુમુક્ષુને કે જ્ઞાનીને તસ્દી આપીને કામ કરાવવું તે યોગ્ય નથી. તમે તે મુમુક્ષુઓમાં મુખ્ય ગણુએ છે અને તમે પણ એવી ઈચ્છા કરે તે પછી બીજા પણ એમ કરવા લાગે. કૃપાળુદેવ સેભાગભાઈને લખે છે કે તમને મારાપણું છૂટ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org