SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેચન ૨૦૯ બંધ જીવને જેટલી જિજ્ઞાસા હોય તેટલા પ્રમાણમાં પરિણમે. જે જીવને બીજે વૃત્તિ ન રહે અને જ્ઞાનીના વચનની અપૂર્વતા રહે તો વિશેષપણે પરિણમે. એ પત્રમાં મેક્ષ પમાય એવી વસ્તુઓ કહી છે. બહુ ગંભીર છે. પછી લખ્યું કે તમને જે ચગ્ય નથી તેની જ તમે વારંવાર ઈચ્છા કરે છે. જે લો છે તે ગ્ય નથી. પુરુષ પ્રત્યે જીવને જ્યારે સામાન્ય ભાવ થઈ જાય, ત્યારે આ માગવાયોગ્ય છે કે કેમ? એવું કશું ધ્યાનમાં રહેતું નથી. કૃપાળુદેવે મુંબઈમાં એક મંડળ સ્થાપ્યું હતું. બધાય મળતા. એમ કરતાં બીજા જીવોને કૃપાળુદેવ પ્રત્યે સામાન્ય ભાવ થઈ ગયે, તેથી કૃપાદેવે એ બંધ કરી દીધું. કૃપાળુદેવ સેભાગભાઈને લખે છે કે તમે અમારા પ્રત્યે બે પ્રકારે યાચના કરી છેઃ (૧) સિદ્ધિયેગાદિથી દુઃખ મટાડવાની, (૨) વ્યાપારાદિકથી દુઃખ મટાડવાની, પણ એ બનને યાચના તમારે કરવી એગ્ય નથી. એવી ઈરછા કરવાથી મુમુક્ષતા પણ જતી રહે. જ્ઞાની પુરુષ રિદ્ધિસિદ્ધિ ફેરવે નહીં. મુમુક્ષુતાની ભૂમિકા આવી હોય પણ મલિન વાસના એનામાં ઘર કરે તે પાછો સંસારી થઈ જ જાય. કૃપાળદેવ ભાગભાઈને લખે છે કે તમારે અમારા પ્રત્યે નિષ્કામ ભક્તિ રાખવી જોઈએ. કશું ઈચ્છવું જ ન જોઈએ. જનધર્મ સર્વ ધર્મથી ઉત્તમ-સર્વોત્તમ છે. કમને કાયદો હોય તે પ્રમાણે સુખદુઃખ થાય છે. કલ્યાણ કરવું હોય તેણે સંસારને ભૂલી જવો જોઈએ. સુત, દારા વગેરે બધું છૂટી જાઓ, પણ મારા આત્માનું કલ્યાણ થાઓ. કૃપાળુદેવ લખે છે કે આ કસેટીમાં હવે ટકી રહેશે તો કેટલું કલ્યાણ આગળ પર થવાનું છે તે કહી શકાય તેવું નથી. મુખ્ય તે સંસારવાસના લઈને જ્ઞાની પુરુષ પાસે જવું યોગ્ય નથી. જેમ દેર સરમાં જતાં આશાતના ટાળવાનું કહ્યું છે, તેમ જ્ઞાની પાસે જતાં ઈચ્છાઓ ટાળવાની છે. દુ:ખ આવે ત્યાં કસોટી થાય છે. બધો ક્ષયોપશમ હોય, પણ દુઃખ આવ્યે ધીરજ ન રહે તે શા કામનું ? “ જાણ્યું તો તેનું ખરું, જે મેહે નવિ લેપાય; - સુખદુઃખ આવ્યું ત્વને, હર્ષ-શોક નવિ થાય.” તે એનું જાણ્યું ખરું કહેવાય. આ દુઃખને કંઈ હિસાબ નથી. મરણ વખતે કેટલું દુઃખ હોય છે ! આત્મા દુઃખથી કંટાળી જાય તે પછી પ્રદેશ પ્રદેશથી છૂટવું એને ગમે નહીં. માટે આ દેહથી મારાપણું છેડી દેવું તો મૃત્યુમોત્સવ થાય છે. જીવને સમજણ નથી. સમજીને સહન કરે તો છૂટે નહીં તો પાછાં નવાં બંધાય. જ્ઞાની પુરુષ પાસે એક આત્માના કલ્યાણ સિવાય બીજી કશી ઈચ્છા ન કરવી. તમારા જેવા મુમુક્ષુને એમ કરવા જેવું છે. એમાં તમને ઘણે લાભ છે. પરીક્ષા વખતે પાસ થાય તે બીજા કલાસમાં જતે રહે, તેમ આ કસોટીમાં ટકી રહે તે સમકિત થાય એવું છે. શરીરના દુઃખથી એનું અહિત થાય છે, એવું જ્ઞાની જાણે નહીં. જેમ જીવનું હિત થાય તેમ જણાવે છે. નેમિનાથ ભગવાન જાણતા હતા કે ગજસુકુમારને માથે અંગારા ભરશે તેમ છતાં પાછા ત્યાં જ સ્મશાનમાં મોકલ્યા. ટકી રહ્યા તો કેવળજ્ઞાન પામ્યા. જ્ઞાની પુરુષ જીવોને ગોદાવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy