SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ બધામૃત વખતે મને એવી ગભરામણ થઈ હશે. જો કે તમે મુમુક્ષુતા ખેઈ બેસે તેવા નથી. તેથી વિશેષ ગભરામણ થતી નથી. જેમ અમને કુટુંબ માટે વ્યવસાય કરે પડે છે, તેમ તમારે માટે કરે પડે તે એમાં કંઈ ભેદ લાગતું નથી. પણ તમારે અમને કષ્ટ આપવું તે તમને નથી. રવજીભાઈને તે પૈસા જ જોઈએ છે, અને તમારે તે મોક્ષ જોઈએ છે. માટે એવી ઈચ્છાઓ ન કરશે. એવું તમને ઘટતું નથી; તમારા જેવા મુમુક્ષુને એટલાય લક્ષ ન રહે તે પછી સમજીને શમાઈ રહેવાનું કેમ થશે ? આગેવાન મુમુક્ષુ હોય તેને માથે મોટી જવાબદારી છે. જે થવાનું હશે તે થશે. કેઈને કહેવાથી કંઈ કરી આપે? તમને વિશેષ ઠપકો આપે નથી; તે પણ વિશેષ કરીને જાણજે. ડું લખ્યું છે તે પરથી વિશેષ કરી વિચારશે. [વ. ૫૫૦] ૧૮૭ શ્રીરાવ આ૦ અગાસ, ભાદ્રપદ વદ ૧૧, ૨૦૦૯ જ્ઞાની પુરુષનાં વચન છે તે લૌકિકભાવમાં ન સમજવાં. એ વચન સાંભળતાં અલૌ. કિકતા આવવી જોઈએ. “પરમ સનેહી કહ્યું તેથી આપણે જાણીએ કે આપણને જેવો નેહ છે તે એમને પણ હશે, પણ જ્ઞાની પુરુષને તો સત્સંગ ઉપર પ્રેમ છે. સમકિત સાથે સગાઈ કીધી, સપરિવારશું ગાઢી; મિશ્યામતિ અપરાધણ જાણી, ઘરથી બાહિર કાઢી હા મલ્લિજિન! એ અબ શોભા સારી. ” (આ. ૧૯) જ્ઞાનીના વચને ઘણા ગૂઢ આશયવાળ છે. એક વખત વાંચે તે સમજાય નહીં. ઘણીવાર વાંચે ત્યારે સમજાય. કૃપાળુદેવે લખ્યું છે કે મેક્ષમાળાના પાઠ કઈ જાણકાર પાસે સમજવા જે વેગ ન હોય, તે પિતે પાંચસાત વાર એક પાઠ વાંચી તે પર વિચાર કરે કે આ પાઠમાં શાની વાત આવી? પછી એમાંથી મારે ગ્રહણ કરવા શું છે? હેય શું છે? ય શું છે? એમ વિચારે. તેમ આ વચનામૃતે પણ એવાં છે. વચનામૃત ૫૪૮માં આવ્યું કે પુરુષને વેગ થાય, નિશ્ચય થાય અને આજ્ઞા આરાધે તો અનંતાનુબંધી જાય, મિથ્યાત્વ જાય, સમકિત થાય, કેવળજ્ઞાન થાય, બધું થાય, પણ તેથી પૂર્વ પ્રારબ્ધ જોગવવું પડતું નથી, એમ સમજવાનું નથી. સત્સંગથી કે લાભ થાય છે! આત્મકલ્યાણ થાય એવી વાત સત્સંગમાં થાય તો શાંતિ થાય. આત્મા ઠરે. “સપુરુષના એકેક વાક્યમાં એકેક શબ્દમાં અનંત આગમ રહ્યાં છે.” (૧૮૬). આપણે જાણીએ છીએ કે આ વાંચ્યું તે સમજી ગયા, પણ ઠેઠ મેક્ષ થતાં સુધી કામ આવે તેવા વચને છે. માટે ફરી ફરી વાંચવાં, એમ કૃપાળુદેવને લખવું પડે છે. જેમ જેમ જીવને ક્ષયોપશમ વિશેષ હોય તેમ તેમ જ્ઞાનીનાં વચને વિશેષ સમજાય. મહાપુરુષોએ જે વાત કરી તે ગંભીર છે, જેવી તેવી નથી, ઊંડા ઉતરી વિચારવા જેવી છે. જ્ઞાનીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy