SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેચન ૨૭ છેવટ અધપુદ્ગલપરાવર્તનમાં તે પાછું આવે જ. સમ્યક્ત્વ થયા પછી ફરી મિથ્યાત્વને ઉદય થાય છે, પણ એ વધારે વાર ટકે નહીં. અર્ધપુદગલપરાવર્તન સુધીમાં તે મેક્ષે જવું જ પડે. મિથ્યાત્વ કર્મ ઉદય આવે ત્યારે સમભાવ વગેરે પલટાઈ જાય અને મિથ્યાત્વભાવ આવી જાય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, બધાની અસર થાય છે. સમકિત થયા પછી અજ્ઞાનભાવ એને ગમે નહીં. જ્ઞાનીને બે જ સાંભળ્યું તે પછી બીજી વાત એને ગમે નહીં. અજ્ઞાનભાવ પ્રત્યે એને ઉદાસીનતા થાય છે. એટલે પછી ભવિષ્યકાળ સંબંધી એવું અજ્ઞાન એને બંધાય નહીં. મિથ્યાત્વને ઉદય થાય તો સમ્યગ્દર્શન આવરણ પામે. તેથી પાછું મિથ્યાત્વીની પેઠે પ્રવર્તન કરે, પણ અધપુદ્ગલ પરાવર્તનમાં મોક્ષ થાય. અનંતકાળથી રખડે છે તેમાં અર્ધપુદ્ગલપરાવર્તનને કંઈ હિસાબ નથી. પ્રારબ્ધ તે જ્ઞાન થાય તેય ભેગવવું પડે. કર્મ બાંધેલું હોય તે ભોગવવું પડે. કમ ભેગવવાના પ્રકાર ભિન્ન ભિન્ન છે, પણ ભેગવવું તો પડે. કોઈ તપથી ઉદીરણ કરીને ભેગવે, કઈ જ્ઞાનધ્યાનથી ભગવે, પણ ભેગવવું તો પડે. નહીં તો કમસિદ્ધાંત નિરર્થક ઠરે. જ્ઞાનીને નિશ્ચય થાય તે પછી એમની આજ્ઞા આરાધે અને આજ્ઞા આરાધે તો બધું થાય. અજ્ઞાનથી રુચિ આળસે તે એ બધું થાય. અજ્ઞાનથી રુચિ આળસે એટલે એને અજ્ઞાનીની વાતે, અસત્સંગ ગમે નહીં. આ મને હિતકારી છે, આ મને અહિતકારી છે એવું સમજાય. સત્સંગ મને હિતકારી છે એવું થાય પછી જ્ઞાની પ્રત્યે, તેમના માર્ગ પ્રત્યે એને ક્રોધ માન માયા લેભ ન રહે. કૃપાળુદેવે લખ્યું છે કે જ્ઞાની પુરુષ પાસે બીજી સંસારની ઈચ્છા કરે તે એ જ્ઞાનપ્રાપ્તિમાં વિધ્ર કરનાર છે, માટે અમારી પાસે આવવું હોય તો વિષય, ધન, સંસારની બધી ઈચ્છાઓ છેડીને આવવું. આત્માનું કલ્યાણ થાય, સમ્યફ થાય તે માટે જ્ઞાની પાસે જવું. દ્રવ્યાદિની ઈચ્છા થાય તો પછી આત્મકલ્યાણ કરવાની ઈચ્છા પડી રહે, સમક્ષતા હોય તેય ઈ બેસે, એટલે એને આત્મા મલિન થાય. જ્ઞાની પુરુષ પાસે એક મેક્ષની ઈચ્છા કરવી. “કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ.” નિષ્કામ ભક્તિ હોય તે ગ્રહણ થાય, નહીં તે જ્ઞાનીને દ્રોહ થાય. એમ થઈ જાય કે આટલા સુધી અહીં રહ્યો અને કંઈ આપ્યું તે નહીં. જેથી સામાં જીવને નુકસાન થાય તે બધું જ્ઞાની જુએ છે, તેથી કૃપાળુદેવે ઠપકો આપે–એવી માગણું નહીં કરવાનું સૌભાગભાઈને કહ્યું. કર્મના ઉદયે ફરી ફરી એવી વૃત્તિઓ જીવને થઈ જાય છે. ભાગભાઈને કપાળદેવ લખે છે કે, પણ હવેથી એવી વૃત્તિ ન રાખશે. એટલી શિખામણ માનશે તે હું પણ જાણીશ કે આટલી વાત માની. સોભાગભાઈને કંઈ લાભ થાય તે કૃપાળદેવને ઉ૯લાસ થાય, પણ એમની સંસારની ઈચ્છા જેટલી ખસશે તેટલો લાભ થશે, નહીં તો બંધ પરિણમે નહીં, એમ જાણુને લખે છે. જ્ઞાનીને વેગ થશે અને પછી જ્ઞાની પાસે એવી એવી ઈચ્છા કરે, તે જેઈ કૃપાળદેવને ગભરામણ થાય છે. એવી ઈચ્છાથી પરમાર્થની ભાવના જતી રહે છે. તે જોઇ એમને ગભરામણ થઈ આવે છે. જ્યારે જ્યારે તમે મને એવી વાત જણાવી હશે તે તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy