________________
૨૦૬
બધામૃત [વ. ૫૪૮]
૧૮૬ શ્રીરાવ આ૦ અગાસ, ભા૦ વદ ૯, ૨૦૦૯ સોભાગભાઈએ કૃપાળુદેવને પ્રશ્ન પૂછે કે સત્સંગ કરવાથી જીવ પુણ્ય બાંધે અને તેથી દુઃખ ન થાય. સત્સંગ કરનારને દુઃખ કેમ હોય ? એનો ઉત્તર લખે છે.
પુણ્યના ઉદયથી જ્ઞાનીને સત્સંગ થાય, પછી તેનો નિશ્ચય થાય, ઓળખાણ થાય અને તેમનું કહેલું માન્ય થાય. તેમના કહેવા પ્રમાણે વર્તે ત્યારે આશ્રિત થયો કહેવાય. જ્ઞાની પુરુષનું સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન છે તે એને પ્રાપ્ત થાય. જ્ઞાની પુરુષના બેધથી દર્શનમેહ અને અનંતાનુબંધી એને ઉપશમે કે ક્ષય થાય. દર્શનમોહને ક્ષય થાય તો પછી કેવળજ્ઞાન દૂર નથી, મોક્ષ થાય. સત્સંગનો એટલે બધે પ્રભાવ છે. અનાદિથી રખડાવનાર મિથ્યાત્વ છે, તેના ઉપર જ સત્સંગની ડાંગ લાગે છે. પહેલાં બાંધેલું કર્મ કંઈ જતું રહે એમ નથી, પણ નવાં કર્મ જે બંધાય છે, તે ન બંધાય. જે કમ ભોગવ્યા વગર છૂટે નહીં તે તો જ્ઞાનીને પણ ભોગવવાં પડે છે. પણ કેટલાંક કર્મોને તપ વગેરેથી ક્ષય કરી શકે છે. નિકાચિત કર્મને પણ રસ મંદ થાય, સ્થિતિ કમતી થા, પણ સત્તામાં હોય ત્યાંસુધી એમ થઈ શકે, ઉદયમાં આવ્યા પછી નહીં થાય. વેદનીય કર્મ અઘાતી છે, તે આત્માને ફેરવી નાખે નહીં. મેહનીયકર્મ આત્માને ફેરવી નાખનાર છે. તેથી જ્ઞાની પહેલી લડાઈ મેહનીય સાથે કરે છે. બધાં કર્મને મુખ્ય આધાર મોહનીય છે. તેમાં દર્શનમેહ વધારે બળવાન છે. જ્ઞાનીને ચગે એ દર્શનમોહ જાય છે. કરોડો રૂપીઆ મળે એના કરતાં દર્શન મેહ જાય એ મેટો લાભ છે. એથી વિપરીતતા જાય છે. જ્યારથી સમ્યગ્દર્શન થયું ત્યારથી સમ્યજ્ઞાન છે. જેમ જેમ જ્ઞાન વધે તેમ તેમ મોહનીય મંદ પડે છે. મંદ પડતાં પડતાં ક્ષય થાય છે. પછી મેહનીયકમ ન હોવાથી બીજાં કમ આવે નહીં. મોહનીય ક્ષય થાય પછી બારમે આવે ત્યારે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય ક્ષય થાય છે. પછી ચાર અઘાતી કર્મ રહે છે. મેહનીય જતાં ઘાતિયાં ક્ષય થઈ કેવળજ્ઞાન પ્રકટે છે. કેવળજ્ઞાન થાય, મોક્ષ થાય, એટલું બધું સત્સંગનું બળ છે. સત્સંગ થાય, પછી નિશ્ચય થાય, જ્ઞાનીને ઓળખે, આશ્રિત થાય, આજ્ઞા આરાધે તે એને સમ્યક્ત્વથી માંડી કેવળજ્ઞાન સુધીનું બધું કામ થાય. પણ સમ્યક્ત્વ થયા પછી પહેલાનાં કર્મ ભેગવેવાં ન પડે એવું નથી. કરેલું તો ભોગવવું પડે છે. કેવળજ્ઞાન થાય તોય ચાર કર્મ તે ભેગવવાં પડે છે, તે પછી બીજાને તો ભેગવવાં જ પડે ને ? વેદનીય કર્મ ભેગવવું પડે. પિતાનું બાંધેલું બીજું કે ભગવે ? પિતાને જ ભોગવવું પડે. કેવલીને ચાર કર્મ ગયાં, તે ભેગવવાનાં નથી અને ફરી બંધાવાનાં નથી. તેમ જેને સત્સંગ થયો હોય તેને અજ્ઞાન ગમે નહીં. તેથી નવાં કમ ન બંધાય. અજ્ઞાન, અજ્ઞાની પ્રત્યેથી એને ઉદાસીનતા થાય છે. અજ્ઞાનદશામાં જેવાં કર્મ બાંધતો હતો તેવાં કર્મ પછી ન બાંધે. અજ્ઞાન ગયું તે પાછું આવવાનું નથી. હવે નવું કર્મ પણ એ અજ્ઞાન સંબંધી બાંધતો નથી. સમ્યક્ત્વ થયું હાય પણ જે એને મિથ્યાત્વને ઉદય આવે તે વમી જાય. પણ એ મિથ્યાત્વ વધારે વાર ટકે નહીં. કેઈકને તે અંતર્મુહૂર્તમાં પાછું સમ્યકત્વ થઈ જાય છે અને કેઈકને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org