________________
વચનામૃત-વિવેચન છતાં ઉપરથી સહનશીલતા રાખે તે કંઈ કામનું નથી.
(૧૦૦) પુરુષાર્થ વગર તે આગળ વધાય એવું નથી. મનુષ્યપણું દુર્લભ કહ્યું છે. મનુષ્ય થઈને પશુપણે વતે તે હસવા જેવું છે ને?
(૧૦૧) શક્તિ મળી છે તે કમ બાંધવા માટે મળી નથી. પણ હવે ફરીથી પાપ ન બંધાય તે માટે મળી છે. ખામી છે સત્સંગની.
(૧૦૨) સરળ જીવ હોય તેનાથી ગ્રહણ થાય. હું જાણું છું, સમજું છું એમ જેને હેય તે ગ્રહણ ન કરી શકે. સરળતા સાથે પ્રજ્ઞા હોય તે તે ધર્મ પામવાનું નિમિત્ત છે.
(૧૦૩-૬) મર્યાદા ઓળંગે નહીં તે ધર્મને છે, ગમે તેમાં પણ સદ્ગુણ હેય તે વંદનીય છે.
(૧૦૫) ભગવાનની ભક્તિ, સદાચાર એ જ્ઞાનીએ વખાણ્યાં છે.
(૧૦૬) જ્ઞાનીઓ કહે છે કે સદાચાર પાળે તે જ સુખી છે. દુરાચારને લેશ પણ જ્યાં હશે તે સુખી થશે નહીં. બ્રાંતિને લીધે સુખ માને છે, પણ પાછળથી ઘણે પશ્ચાતાપ થાય. સશીલ મોક્ષને રસ્તે લઈ જાય છે. સૂક્ષ્મ વિચારથી જોશે કે સદાચારથી સુખ છે કે દુઃખ? સદાચારથી સુખ જણાશે. સત્ છે તે આત્મા છે. એ આત્માને જાણ છે. આત્માના સ્વભાવમાં રહેવું તે શીલ છે. જ્ઞાન અને ચારિત્ર એમાં આવી ગયાં.
(૧૦૭) દરેક મુમુક્ષુએ પિતાના દેષ જેવા. પિતાના દોષ જોવામાં અપક્ષપાતતા આવશે ત્યારે મુમુક્ષતા આવશે. પછી દેષ કાઢવાની તત્પરતા થશે. કૃપાળુદેવે આખી પુપમાળાનો સાર કહી દીધું કે “દેષને ઓળખી દેષને ટાળવા’ દેશ છોડવાથી જીવનું કલ્યાણ થઈ જાય, એવી વાત કહી.
(૧૦૮) પુષ્પમાળા રોજ વાંચે, આખી નહી તે ડાં પણ વચને વાંચે તેય મંગલદાયક થાય. પુની માળા પહેરે તેને લેક જેવા દોડે છે, એના કરતાં આ “પુષ્પમાળા” મોઢે કરી હોય તો કેવું ઉત્તમ થાય !
[વ. ૫] બોધવચન
૩
શ્રી. ર૦આ૦અગાસ, કારતક સુદ ૯, ૨૦૦૯
(૧) સંસારી ભાવના હોય તો ખાઉં ખાઉં થાય. જ્ઞાની પુરુષ કહે છે કે આહાર કર અથવા ખાવું એ તારે ધર્મ નથી. નિશ્ચયનયથી સિદ્ધ જેવો અણહારી છે. મારે આહાર કરે છે, હું આહાર કરું છું એમ ન થવું જોઈએ. (૨) આહાર કરવો પડે તે, આ પુદ્ગલ છે એમ જાણીને કરે. લુખ્ય એટલે આસક્ત થવાથી કર્મ બંધાય. અત્યારે સાંભળે છે, પણ જમતી વખતે યાદ રાખવું કે આહાર મારે કર નથી પણ ધર્મ, ભક્તિ થાય તે માટે કરે પડે છે. (૩–૪) સિદ્ધ સાથે સરખાવતાં અનંત દેશનું ભાજન છે. એમ વારંવાર વિચારી લઘુતા ધારણ કરવી. શું કરવાથી મારા આત્માનું કલ્યાણ થાય? તેને વિચાર કરે, પુણ્યને લઈને કંઈ મળ્યું હોય અને અભિમાન થતું હોય તે ઝટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org