SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ બધામૃત તે અભિમાન કાઢી નાખવું, જેમ કાંટે કાઢી નાખે તેમ. (૫) વિકાર થાય તેવાં નિમિત્ત તજવાં, (૬) નિમિત્તમાં ભાવ બગડે નહીં તે માટે અનિત્યભાવ વિચારે તે મેહ ન થાય. ક્ષણિક પ્રસંગમાં ઉશ્કેરાવું નહીં. (૭) નિંદકને ઉપકારી માનો કે કમ ખપે છે. (૮) આગ્રહ પિતે મૂકવા. (૯) મૂળમાર્ગ–સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રની નિરંતર સ્મૃતિ રાખવી (૧૦) મહાવીરની ત્રિપદીથી ગણધરે એ ચૌદ પૂર્વ રચ્યાં. એમાં આખી સૃષ્ટિનું જ્ઞાન આવી ગયું. ઉત્પાદ વ્યય ધ્રુવ એ ત્રણ વચને સાંભળીને બ્રાહ્મણે ગણધર થઈ ગયા. એ ત્રિપદી પિતાના આત્મા પર ઘટાવી અનુભવ કરે. (૧૧) આત્મા સિવાયનું બધું ભૂલવું તે એ અનુભવ થાય. અનાદિકાળનું ભૂલવું એ મોટામાં મોટે પુરુષાર્થ છે. (૧૨) જે સંભારવાનું છે તે સંભારતે નથી, જે નથી સંભારવાનું તેને સંભારે છે. વસ્તુ જોતાંની સાથે આ સારું છે અને આ બેઠું છે એમ થાય છે, એ ભૂલી જવા પુરુષાર્થ કરે. સંસાર પ્રત્યે વૈરાગ્ય થાય તે સંસાર ભૂલી જવાય. (૧૩) વેદ, વેદની વગેરે સર્વ કર્મ આત્માથી ભિન્ન છે. વેદના વખતે મૂંઝાય, દુઃખી થાય તે પાછું નવું બંધાય. સમભાવ રાખ. (૧૪) પિતાને જાણ એ મુખ્ય કામ છે. વેદનામાં વૃત્તિ જાય તે કરતાં આત્માને વેદ. પુદગલને વેદવાવાળો નથી. સંસારને પૂંઠ દેવાનું કહે છે. વેદ અને વેદનીથી રહિત આત્મા શુદ્ધ છે, તે કાળે કરીને થશે. (૧૫) જ્ઞાનદશાથી પરને આત્મા જેવા અને વેદને ક્ષય કર. (૧૬) ધર્મના નિમિત્ત આદિના આગ્રહ, મતમતાંતર તજવા. તે રાગદ્વેષના હેતુ છે. ઉપયોગમાં રહેવાને આગ્રહ એ રૂપ દશા ગ્રેહવી. (૧૭) તે ઉપગ શુદ્ધભાવમાં લઈ જવા બાહ્યથી નિવવું (૧૮) આત્મા સિવાયની અન્ય વસ્તુમાં મમત્વ એ જ બંધનું કારણ છે. (૧૯) બંધથી સુખદુઃખ માને, પણ સાતાઅસાતા બને દુઃખ જ છે. (૨૦) તેથી વિમુખ થવું. સુખદુઃખ બને હેય છે, નાશવંત છે. (૨૧) જગતના સંકલ્પ-વિકલપને ભૂલી જવા. આત્મામાં રહેવું. (૨૨) જગતની વિસ્મૃતિ અને સત્તા ચરણમાં રહેવું, એ જ મોક્ષને ઉપાય. (૨૩) રસ છે એટલા રોગ છે. ઈષ્ટ વિષ ન સેવવા. (૨૪) કર્મ ઉદયે ભેગવવું પડે તેમાં હેયભાવ રાખે તે અબંધ પણે ભેગવાય. (૨૫) રાગદ્વેષવાળી અવળી પરિણતિ ઉદયની છે તેમાં ન ભળે તે એવી પરિણતિ થાય નહીં. (૨૬) પિતે શું એની સમજ કરવાની છે. “શું સ્વરૂપ છે મારું ખરું?” ઈન્દ્રિય ને મન ત્યાં પહોંચતાં નથી, જ્ઞાનસ્વરૂપ છે. (૨૭) એ સમજાય તે “સંસાર મારે નહીં” એમ થાય. (૨૮) ઉદયમાં સમ, ક્ષમા. (૨૯) કર્માધીન ભાવેને છેડવા એ જ સમ્યફજ્ઞાન. (૩૦) સુગંધી ફૂલ, અત્તર, ધૂપ વગેરે ન સેવવા. કવચિત્ સુગંધી લેવાય તો ક્ષણિક, હેય માનવું, ખેંચાવું નહીં. આત્માનું સુખ નથી. (૩૧) દુર્ગધ-અનિષ્ટ વિષય પણ ક્ષણિક, માટે શ્રેષ ન કરતાં સમ રહેવું. (૩૨) એ રીતે પુદ્દગલરૂપ પાંચે ઈન્દ્રિયના ઈષ્ટ-અનિષ્ટ વિષયોથી રાજી કે નારાજ ન થતાં આત્માનું સુખ ઈચ્છવું. (૩૩) ઊંઘ અને આહાર જેમ બને તેમ ઓછાં કરે તે આત્મા તરફ વળાય. (૩૪-૩૫) શરીર, મન, વાણીને વશ કરવા કાર્યોત્સર્ગ ધ્યાન આત્મ-ઉપગપૂર્વક કરવાને અભ્યાસ દરરોજ કરે. (૩૬) તેમાં પરિષહ આવે, ન બેસી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy