SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪. બેધામૃત પહેલે અર્થ અચરમશરીરી આચાર્ય બીજાને ઉપદેશ કરે તેથી સામે જીવ મુક્ત થાય અને આચાર્ય ડાક ભવ પછી મેક્ષ પામે એ મુખ્ય ભાંગે છે. બીજો અર્થ કઈ સંસ્કારી જીવ ખોટા નિમિત્તથી તરે છે. તેમાં ખેટા નિમિત્તથી એને લાભ થયો એમ ન કહેવાય. ખોટે તે ખોટે જ છે, પણ એને આરાધન જાગ્રત થવાથી મુક્ત થયે. એ ભાગે વિશેષપણે નથી. કારણ, પૂર્વે કઈ જ્ઞાનીને યોગ એને થયો હોય છે. તે પરથી જ્ઞાની પુરુષના ઉપદેશ વગર કલ્યાણ થતું નથી, એમ સમજવાનું છે. અભવ્યના તાર્યા તરે એ અર્થ થતો નથી. ૧૮૪ [વ. ૫૪૩] જડમાં પિતાપણું માન્યું છે, દેહ છે તે જ હું, એમ જીવને થયું છે. દેહમાં ફેરફાર થાય તે પિતાને જ થાય છે, એમ માને છે. “શારીરિક વેદનાને દેહનો ધમ જાણું અને બાંધેલાં એવાં કર્મોનું ફળ જાણી સમ્યક્ઝકારે અહિયાસવાયેગ્ય છે” (૪૬૦). જ્ઞાનીએ વેદનાને દેહને ધર્મ માનવાનું કહ્યું છે, તેને પોતાનો ધર્મ માને છે. પરવસ્તુમાં તન્મય થઈ જવું એ જ મિથ્યાત્વ છે, એ દેહાધ્યાસ છૂટે તો મોક્ષ થાય. પરવસ્તુ જે એના ચિત્તથી ખસે અને આમાં આત્મારૂપે પરિણમે તે મોક્ષ થાય. પરવસ્તુના સંગને લીધે ભૂલ્યા છે. આમસ્વભાવમાં રહે તો નિ જરા થાય. એ એમને એમ થતું નથી. સત્સંગ કરે તે આમાં વિશેષ સમજાય. તેથી નિર્જરા થાય. “સિદ્ધનાં સુખ સમૃતિમાં લાવે, (૫-૫૦). સિદ્ધના સ્વરૂપને વિચાર કરે. સિદ્ધભગવાન પરવડતુને છોડીને પિતાના સ્વરૂપમાં સમાયા. એ સમયે ત્યારે સમાયા. એ એમને એમ ન થાય, માટે સત્સંગ કરવોપુદ્ગલને જાણનાર ઈન્દ્રિય છે. પર્શનાથી સ્પર્શને જાણે, જીભથી સ્વાદને જાણે, નાકથી ગંધને જાણે, આંખથી રૂપને જુએ, કાનથી શબ્દને જાણે. સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દને ઈન્દ્રિય જાણે છે, તે પુદ્ગલના ગુણો છે, એમ જીવ વિચારતો નથી. આ તે મારું છે એમ જીવને થઈ જાય છે. પરવસ્તુના ગુણ ગ્રહણ કરે તે ચેર કહેવાય. જીવન પર તે પર મનાયું નથી, એ આંટી અનાદિકાળની છે. પોતાનું સ્વરૂપ શું છે એને નિર્ણય નથી, તેથી મનાયું નથી, માટે સત્સંગ કરો. આત્મા ભુલાઈ ગયો છે, તેને પાસે લાવવાનું છે. કોઈ આપણી નિંદા કરે તે વિચારવું કે શબ્દો છે તે પુદ્ગલ છે. એ પુદ્ગલથી મારે શું ? એ ભેદ પાડવાની જરૂર છે મારામાં રૂપ આદિ કશુંયે નથી એમ થાય તો સ્વરૂપમાં રહે. એની માન્યતા બીજી છે. આ શરીર છે તે પાસે છે, પણ આત્મારૂપ થયું નથી. શરીરને સ્વભાવ સડન, પડન અને વિદવંસન છે, તે છેડે નહીં. આત્માની શ્રદ્ધા તે એવી કરવાની છે કે આત્મા મુક્ત છે. એટલા માટે “સમયસારમાં નિશ્ચયનય પર ભાર મૂકી, એ મુક્તપણાના લક્ષ વગર સાધુપણું વગેરે બધું નકામું છે, એમ કહ્યું છે. સહજસ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ મોક્ષ કહે છે” (૬૦૯). “મોક્ષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy