SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેચન ૨૦૩ છે કે અભવ્યના તાર્યા તરે, પણ એમ થતું નથી. જે એમ થતું હોય તે પુસ્તથી પણ તરાય. (૧) જે પિોતે પોતાનું કરી વહ્યા જાય તે અશેમ્યાકેવલી કે પ્રત્યેકબુદ્ધ છે. એ એક ભાંગે છે. જેને એવું પ્રારબ્ધ હોય, તે પછી પ્રારબ્ધ હોય તેમ વર્તે. કેઈ પૂછે તોય પ્રારબ્ધ ન હોય તે ન બેલે. (૨) કેઈ આચાર્ય હોય તે આ ભવે મોક્ષે જવાવાળા ન હોય, તે પણ એમના ઉપદેશથી બીજા છ કેવળજ્ઞાન પામી લે જાય, તે પોતાને ભવાંત ન કરે અને પરનો કરે. “જે સદ્ગુરુ ઉપદેશથી, પાયે કેવળજ્ઞાન, ગુરુ રહ્યા છદ્મસ્થ પણ, વિનય કરે ભગ વાન.” કેઈને ચેડાં કર્મ હોય તે ઝટ પતી જાય, કેવળજ્ઞાન થયા પછી પણ, વિનય કરે. ગૃહસ્થ અવસ્થામાં કેવળજ્ઞાન થયા પછી ઘરમાં રહે એવાં દષ્ટાંત આવે છે. કૂર્મા પુત્ર કેવળજ્ઞાન થયા પછી બાર મહિના ઘેર રહ્યા એમ કહેવાય છે. અંજનચે દીક્ષા લીધી અને અઠવાડિયા માં મેક્ષે જતો રહ્યો અને એના ગુરુ કેવળજ્ઞાન વગર રહી ગયા. મંત્ર આપનાર ગૃહસ્થ પણ રહી ગયે. અચરમશરીરી આચાર્ય પિતે મોક્ષે ન જાય અને તેમના ઉપદેશથી બીજા છો મેક્ષે જાય. એમ બીજે ભાગે છે. બીજે પ્રકારે એ ભાંગે એવી રીતે છે કે કેઈ અજ્ઞાની જીવ ઉપદેશ કરતે હોય તે સાંભળી કઈ પૂર્વ આરાધક જીવ હોય તેને એમ થાય કે આ માર્ગ કહે છે તે અજાણપણે કહે છે માટે એ બરાબર નથી. એમ વિચારતાં વિચારત એને કેવળજ્ઞાન થઈ જાય અને મોક્ષે જતા રહે. (૩) પિતે તરે અને બીજાને તારે તે તીર્થકર આદિ. (૪) પિતે તરે નહીં અને બીજાને તારી શકે નહીં, તે અન્ય કે દુભવ્ય. એ થો ભાગે છે. બીજો ભાંગે સમજવા ફરીથી કહે છે કે કેઈ અચરમશરીરી હોય, તેના ઉપદેશથી કઈ જીવ કેવળજ્ઞાન પામી મોક્ષે જાય અને આચાર્યને અમુક ભવ બાકી હોવાથી આ ભવે મોક્ષે ન જાય. તે પરને ભવાંત કરે પણ પિતાને ન કરે, પણ તેનો અર્થ અભવ્યના તાર્યા તરે એ થતો નથી. બીજી રીતે કેઈ જીવ પૂર્વે આરાધન કરી મંદ ક્ષપશમે અહીં મનુષ્યકુળમાં જન્મ્યા હોય અને એના જે કુળગુરુ હોય તેમની પાસે વ્યાખ્યાન સાંભળવા જતો હોય, પણ એને પૂર્વસંસ્કારને લઈને એમ વિચાર થાય કે આ જે માગ કહે છે તે બરાબર નથી. આંધળે છે, પિતાનું તે કરતો નથી અને બીજાને ઉપદેશ આપવા જાય છે. પૂર્વે એને જે જ્ઞાની પુરુષ મળ્યા હોય તેમની સાથે આ ઉપદેશ દેનારાને સરખાવે કે આનામાં અને જ્ઞાન માં બહુ ભેદ છે.” એમ લાગે તેથી એને પિતાના આત્માને વિચાર થાય અને તેથી કેવળજ્ઞાન પામી મોક્ષે જ રહે. પણ તેથી ખેટે ઉપદેશ દેનારાથી કેવળજ્ઞાન થયું એમ કહેવાય નહીં. એ તે એક વિપરીત નિમિત્ત હતું. એ ન મળ્યું હોય તેય એને તે જાગૃતિ થાત. તેને અર્થ અભવ્યના તાર્યા તરે એમ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy