SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેચન ૨૦૧ - ભક્તિથી જ્ઞાન થાય છે એમ કહ્યું, પણ ભક્તિ એટલે શું? તે કહે છે. જ્ઞાનીનાં વચને છે, તેને બોલવાં તે ભક્તિ છે. “આતમ ભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે” એમ બોલતાં બોલતાં કોઈને થાય કે આથી કેવળજ્ઞાન થાય છે! ભક્તિનો બીજો અર્થ ભાવ છે. ભક્તિ કરવાથી આત્મા ઉજળા થાય છે, કર્મ નિજેરે છે. જ્ઞાની પુરુષના વચને સાંભળી જાગી જવું જોઈએ. જ્ઞાની કોને કહે છે? કંઈ ભીંતને કહે? આ દેહ તે ભીંત જેવો છે. જ્ઞાની મફત આપે તો પણ લે કે શું? ઊંઘતો હોય તે કેવી રીતે લે? ભક્તિ એ જ પુરુષાર્થ છે. ' જે ઈ પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહી આત્માર્થ.” સાચો પુરુષાર્થ ભક્તિ છે. જ્ઞાનીનાં વચને સમજી એણે કહેલું માન્ય કરવું. ઉપવાસ કરે, બધું કરે, પણ બધાનું મૂળ વિશ્વાસ છે, વિશ્વાસે વહાણ ચાલે છે. એટલે પુરુષાર્થ કર્યો કહેવાય. ભક્તિ એ પુરુષાર્થ છે, એમ કહ્યું. હવે ભક્તિ એ આત્મા છે, એમ કહે છે. જે ભક્તિ નથી કરતે તે મનુષ્ય નથી. જન્મમરણ ઓછાં થાય એવું ન કર્યું તો મડદું જ છે. આત્મારૂપ થવું એ જ ભક્તિ છે. જગતમાં ભક્તિ ભક્તિ બહ કહે છે, પણ અજ્ઞાનીની આરાધના કરે છે તે અજ્ઞાનભક્તિ છે. કેઈ માતાની, કેઈ કોઈની ભક્તિ કરે એ બધી અજ્ઞાનભક્તિ જ છે. એ શું આપે ? કુવામાં પાણી હોય તો બહાર આવે. જ્ઞાનીની ભક્તિ તે જ ખરી ભક્તિ છે. જેણે આત્મા જાણે છે, તેની ભક્તિ સાચી છે. જ્ઞાનીની ભક્તિથી, શું કરવા ભક્તિ કરું છું એમ ભાવ જાગે. સાંભળે અને જ્ઞાની ઉપર શ્રદ્ધા કરે તેને કામનું છે. જ્ઞાનીમાં કંઈ અપૂર્વતા છે, તે સમજાય તો પછી પોતાના સ્વદે ન વત', આજ્ઞાએ વર્તે. આજ્ઞાએ વર્તે તે ધર્મ પ્રગટે. છ પદ શું કામ કહ્યાં છે? “અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલ એ જીવને અહંભાવ મમત્વભાવ, તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે.” મોઢે બોલે પછી હું-મારું” કરે તે કંઈ ભક્તિ કરી નથી. જાગે તે પછી ખબર પડે કે આટલા વર્ષો નકામાં ગયાં.” હે ભગવાન! હું બહુ ભૂલી ગયે.” એમ થાય. - ભક્તિમાં રંગાઈ ગયો તો આખી જિંદગીમાં જ્ઞાનીના વચન એને સાંભર સાંભર થાય. આત્મા ઊંઘે છે, તેને જગાડવાનું છે. એ જાગે નહીં, તે શું કામ આવે? ફર્યો નહીં, હતો તે ને તે રહ્યો તે પછી જ્ઞાનીએ એટલી બધી માથાકૂટ કરી તે લેખે આવે નહીં. ન સમજાય તે પૂછવું. “આ શું કહ્યું? મને ફરીથી કહે” એમ ગરજ હોય તે પૂછે. એક છેક હતા. તેણે સાંભળ્યું કે આજે દશ વાગે રાત્રે વરઘોડો નીકળવાનો છે. તેણે માને કહ્યું કે મને જગાડજે. પછી વરઘેડે આવ્યું ત્યારે મા તેને જગાડવા લાગી પણ જાગે જ નહીં. પછી એક થપ્પડ મારી ત્યારે તે જાગ્યો. અને વરઘોડો જઈ બહુ રાજી થશે. તેમ જ્ઞાનીનાં કોઈ વચનો છે તે થપ્પડ જેવાં છે. જગાડે છે. જાગે તો મોક્ષ સુધીની વસ્તુ જેવાને મળે. જાગે નહીં તે વરઘોડાની પેઠે મનુષ્યભવ જતો રહે. ૨૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy