SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ બેધામૃત કાનમાં સળી નાખી તે અંદર ગઈ પણ બહાર નીકળી નહીં. તે જોઈને તેણે કહ્યું કે આ પૂતળીની કિંમત એક કરોડ રૂપીઆ છે. પછી તે કિંમત કરાવનાર તે આવી મંત્રીને વાત કરી. તે પરથી મંત્રીએ રાજાને કહ્યું કે આપણે ત્યાં વેર કરવામાં માલ નથી. ત્યાં મંત્રી બહુ હેશિયાર છે, તેથી આપણે જીતી શકીશું નહીં. તેમ બોધ સાંભળે અને ભૂલી જાય તે પહેલી પૂતળીની પેઠે ફૂટી બદામની પણ કિંમત નથી; સાંભળ્યા પછી બીજાને કહેવા જેટલું પણ યાદ રહે તે ઠીક છે, અને તેને આચરણમાં મૂકે છે તે મોક્ષે જવાય. જે આત્મા જોતાં આવડે તો કામ થઈ જાય. આ બધા પર્યાય જુએ છે. શરીર તે એક કપડા જેવું છે. દેહથી આત્મા ભિન્ન છે. દેહથી ભિન્ન આત્મા જોતાં આવડે તે સિદ્ધ જે છે. બધા જ એ અપેક્ષાએ પૂજવાયેગ્ય છે. “ સર્વાત્મમાં સમદષ્ટિ ઘો, આ વચનને હદયે લખો. ” જ્ઞાની પુરુષનાં વચનો હૃદયમાં લખી રાખવાગ્યા છે. બધા જીવોમાં–કૂતરા, હેર, સ્ત્રી પુરુષ વગેરેમાં આત્મા છે. બધા આત્માપણે સમસ્વભાવી છે. પાણી વાટકામાં હોય કે બીજા વાસણમાં હોય પણ પાણી તો છે ને ? એટલા બધા જીવે છે, પણ જ્ઞાની ઉપર શ્રદ્ધાવાળા કેટલા નીકળે ? કેઈક વિરલા. જ્ઞાની પુરુષ ઉપર વિશ્વાસ આવે તે જ્ઞાની જ્યાં જાય ત્યાં લઈ જાય. હેડીમાં બેઠા પછી કંઈ ભય છે! હેડી જ્યાં જાય ત્યાં લઈ જાય. આત્માની વાત કરનાર પણ કયાં છે ? જ્ઞાનીનું વચન પણ સાંભળવાને ક્યાં મળે? આટલું પુણ્ય ચહ્યું ત્યારે જ્ઞાનીનાં વચને કાનમાં પડ્યાં. જેટલું સંગ્રહાશે તેટલું થશે જ્ઞાનીનું વચન કેઈ સાંભળે ને તેને બીજ જેવું ગણે તો મેક્ષે લઈ જાય. જ્ઞાનીના વચને સમજાય કે ન સમજાય, પણ અવસર આવ્યે ઊગી નીકળશે. નિજને વિષે નિજબુદ્ધિ થાય તે પરિભ્રમણદશા ટળે છે.” (પ૩૯) જન્મમરણ જન્મમરણ થયા કરે છે, તે કેમ છૂટે ? એમ જેને થયું હોય તેને આ એક વાક્ય જે સંભળાય છે એમ થાય કે આ જ હું શેતો હતો. આથી તે જન્મમરણ ટળે છે. દેહ તે હું છું એમ થઈ ગયું છે, પણ આત્મામાં આત્મબુદ્ધિ થાય ત્યારે ફરી જન્મવું ન પડે. જે જીભવડે ચાખે છે, આંખથી જુએ છે, કાનથી સાંભળે છે, તે આત્મા છે, એમ આત્માને ધે તે કામ થાય. ઝવેરીને હીરાની કિંમત હોય, બીજાને કાંકરો લાગે. તેમ જ્ઞાનીનાં વચનની કિંમત જ્ઞાનીને હાય. છૂટવાની ગરજ હોય તે તે શેલત હોય. આખી રાત નાટક જુએ અને જાગે, પણ આ જ્ઞાની પુરુષનાં વચન સાંભળતાં ડોલે, ઊંઘ આવે. કિંમત સમજાઈ નથી એ જ દુઃખ છે. જ્ઞાનીનાં વચનને બીજી વસ્તુ જેવું ગણે. આ દેહમાં આત્મા છે તેને ઓળખવાની ખાસ જરૂર છે. એને ઓળખે તે પરિભ્રમણ કરવું ન પડે. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ભોક્તા છે, મોક્ષ છે, મોક્ષને ઉપાય છે. આત્માને ઓળખવા માટે બધું કહેવાનું છે. અને ઓળખે તો કામ થઈ જાય. આયુષ્ય પૂરું થશે ત્યારે ક્યાં જશે ? એને વિચાર આવતો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy