SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ થયનામૃત–વિવેથન ૧૯૯ નથી. એ છૂટે નહીં તેા સમ્યગ્દર્શન ન થાય. પર વસ્તુની ઇચ્છા છે તે જ આ ધ્યાન છે, સત્પુરુષ પાસે મને એવું મળે, એવાં શાતાનાં સાધના મળે એ બધી નિદાનબુદ્ધિ છે, એ રહે ત્યાં સુધી જીવને સમ્યગ્દર્શન ન થાય, [વ. પ૩૯] ૧૮૧ પથરાડિયા, ચૈત્ર ૧૬ ૮, ૨૦૦૯ પૂજ્યશ્રી—“ સર્વ જીવ આત્માપણું સમસ્વભાવી છે” (૫૩૯) એવી દૃષ્ટ પહેલી કરવાની છે. બધાય જીવેાના મૂળ સ્વભાવ સરખા છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર એ મૂળ સ્વભાવ જોતાં બધા સરખા છે. મારે આત્માનું કલ્યાણ કરવું છે એવું જ્યારે થાય ત્યારે થંભે અને આત્મામાં આત્મબુદ્ધિ થાય. હું આત્મા છું, દેહ નથી. દેહમાં રહેલેા તે હું છું. ઉપરનું શરીર તે ખારદાન જેવું છે એમ નિજને વિષે નિજમુદ્ધિ થાય તેા પરિભ્રમણદશા ટળે છે. “ આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે” એ ભાવના થાય તા કેવળજ્ઞાન થાય, પછી માક્ષ થાય. પરમાં નિજમુદ્ધિ થાય તે પરિભ્રમણદશા થાય અને નિજમાં નિજમુદ્ધિ થાય તે પરિભ્રમણદશા ટળે. સમજ્યા વગર નિજમાં નિજભુદ્ધિ કેમ થાય ? · આ આત્મા ' એમ થાય તે નિજમુદ્ધિ થાય. જ્ઞાનીના મેધ પરિણામ પામ્યે વસ્તુ ઓળખાય છે. , "" સત્પુરુષના એક એક વાકયમાં, એક એક શબ્દમાં અનંત આગમ રહ્યાં છે. ” (૧૬૬), એવું વચન કાનમાં પડ્યા પછી કામમાં ન આવે તે બેદરકારી કર્યાં જેવું થાય. પ્રભુશ્રીજી દૃષ્ટાંત આપતાઃ— ** એક રાજા હતા. તેને અને બીજા રાજાને સરહદ માટે તકરાર ચાલતી. રાજાએ વિચાયુ કે ઘણીવાર તકરાર થાય છે, તેના કરતાં રાજ્ય લઈ લેવું સારું' તેથી પ્રધાનને વાત કરી. પ્રધાને કહ્યું રાજ્ય લઈ લેવાય તે સારુ પણ તે લેવું કેમ ? આપણે જીતી શકીએ કે નહીં ? તેને માટે હું તપાસ કરીશ. પછી તેણે ત્રણ પૂતળીઓ કરાવી. એકને તે કાનમાં સળી નાખે તેા ખીજા કાને થઈને નીકળી જાય. મીજીને કાનમાં સળી નાખે તે તે મેઢે થઈને નીકળી જાય. ત્રીજીને નાખે તે તે પેટમાં જતી રહે. પાછી નીકળે નહીં. તે ત્રણે પૂતળીઓને તેણે દૂત સાથે પેાતાના શત્રુ રાજા હતેા તેની પાસે મેાકલી. તે સભામાં જઈ તે ત્રણ પૂતળીઓની કિંમત કરવા કહ્યું. શત્રુના મંત્રીએ તે ત્રણે પૂતળીએ જોઈ અને વિચાર્યું` કે આ પૂતળીએની કિંમત તે બજારમાં પણ થઈ શકે છે. અહીં લાવ્યેા છે, તેમાં કંઈક રહસ્ય હાવું જોઈ એ. એમ વિચારી તેણે એક પૂતળીના કાનમાં જોયું તે ખીજા કાન સુધી ૨પ્ર દેખાયું. તેણે સળી નાખી કે તે તરત ખીજા કાનમાંથી બહાર પડી. તે પૂતળીને જોઈને તેણે કહ્યુ` કે આ પૂતળીની કિંમત ફૂટી બદામની પણ નથી. પછી બીજી પૂતળીના કાનમાં સળી નાખી તેા મેઢ થઈને નીકળી. તે પૂતળીને જોઈને તેણે કહ્યુ કે આ પૂતળીમાં જેટલું વજન છે તેટલા સેના જેટલી કિંમત એની છે. પછી ત્રીજી પૂતળીના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy