________________
૧૯૮
બોધામૃત કર્તવ્ય છે. પાપને ઉદય કે પુણ્યનો ઉદય પણ હંમેશાં રહેતું નથી. માટે ધીરજથી સહન કરવું. મરણની વેદના હતી તે પણ શ્રીકૃષ્ણને ધીરજ રહી હતી.
[વ. પ૩૭]
૧૭૭ શ્રીરાવ આ૦ અગાસ, તા. ૨૮-૯-૪૪ મુમુક્ષુ જીવને....સંસાર કારાગ્રહરૂપ છે, રાગદ્વેષનાં પ્રાપ્તફળથી બળતે છે એ વિચાર નિશ્ચયરૂપ વર્ત છે” આ પ્રમાણે મુમુક્ષુ જીવને નિશ્ચય થઈ જાય ત્યાર પછી અજ્ઞાનથી મુક્ત થઈ જ્ઞાન પ્રાપ્ત કરે છે. અથવા આવા નિશ્ચયવાળા જીવ જ્ઞાનને લાયક હોય છે. મુમુક્ષુને સત્સંગ, સપુરુષને વેગ થયા પછી પણ પૂર્વકર્મના ઉદયે સંસારમાં રહેવું પડતું હોય તે સંસાર કારાગૃહ જેવો છે એમ લાગે છે. ધીરજ રાખવી એમ કહ્યું તેથી પુરુષાર્થહીન ન થવું. પુરુષાર્થ વધાર, પણ ઉતાવળ ન કરવી. કામ, માન અને ઉતાવળ એ ત્રણ મોટા દેશ છે. કામથી છવ આંધળો થઈ જાય છે, કંઈ ભાન રહેતું નથી. એવી રીતે માનમાં પણ જીવ ચઢી જાય છે અને ત્રીજી ઉતાવળ એ ત્રણ મોટા દોષ છે. અકળાવું નહીં, ધીરજ રાખવી અને પુરુષાર્થ વધારે. સમકિત થયું હોય તે જ્ઞાનાવરણય કર્મના પશમ મુજબ જીવને માલમ પડે છે. તે જાણવા માટે ઘણા પ્રકાર બતાવ્યા છે. તે મુજબ પિતાના ભાવ તપાસવા. જે તેમના કહ્યા મુજબ ગુણે પ્રાપ્ત થયા હોય અને તેવા ભાવ વર્તતા હોય તેવો તાળે મળે તે ખાત્રી થાય તેમ છે. જેમકે, સમ્યગ્દશાનાં પાંચ લક્ષણો બતાવ્યાં છે, તે પિતામાં છે કે નહીં? તે તપાસ્ય જણાય તેમ છે. ગોમટ્ટસારનું વાચન થતું ત્યારે આપણને તે કઈ બાબત આવે ત્યારે સાધારણ લાગે, પણ પ્રભુશ્રીજી સૂતા હોય તે બેઠા થઈ જાય અને ફરીથી તે વંચાવે. આવી વાત અનુભવની છે. જેમ પિતાને લાગ્યું હોય તેમ શાસ્ત્રમાં આવે ત્યારે રોમાંચ થઈ જાય અને એમ પ્રતીત થાય કે આ તે મારી વાત આવે છે! સમકીતિને આગળના ભાવે પલટાઈ જાય તે માલમ કેમ ન પડે? સમકિતીનું ચિત્ત વારંવાર આત્મા પ્રત્યે જાય છે. “બાલ–ધૂલીઘર-લીલા સરખી ભાવચેષ્ટા ઈહાં ભાસે છે.” આ પ્રમાણે તેને સંસાર પ્રત્યે ભાવ વર્તે છે.
[વ. ૫૩૮].
૧૮૦ શ્રી રા. આ અગાસ, ભાદરવા વદ ૧૩, ૨૦૦૯ - પૂજ્યશ્રી-પુરુષને સંગ થયો તે પછી સંસારની બધી વાતે ભૂલી જવી. એમનું માહામ્ય રાખવું જોઈએ, આ આજીવિકાની મુશ્કેલી જતી રહે તે પછી નિરાંતે સત્સંગ કરીએ, એમ સોભાગભાઈ એ કૃપાળુદેવને લખ્યું હશે. કોઈ પુરુષને ભક્ત હોય તેને કંઈ મુશ્કેલી હોય તે પુરુષને લખે, તે પુરુષને થાય કે એને બિચારાને કર્મને એ ઉદય આવ્યો છે. તે જોઈને એમને પણ ખેદ થાય છે, કારણ કે પુરુષ પાસે એવી સંસારની ઈચ્છા કરે તે સમ્યગ્દર્શનને ધનાર છે. કુટુમ્બમેહ છેડડ્યા વિના તો છૂટક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org