SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત–વિવેચન ૧૯૭ ભાવના રહે, એ વિના ચિત્ત ખીજે જાય નહીં એવું કરવાનું છે. આ પત્ર વાંચી પ્રભુશ્રીજીને બહુ લાગી આવ્યું હતું કે મારું સાધુપણું જપતપ બધુ... નકામું ગયું. પછી રાત્રે ઊંઘ ન આવે. ત્યારે વીશ દોહરાના સ્વાધ્યાય આખી રાત કરતા. અને આંખમાંથી આંસું પડવા લાગતાં. એમ આ વીશદેહરાની અનુપ્રેક્ષા કરવાચેાગ્ય છે. આટલા કાળ સુધી જે ક" તે બધું નિષ્ફળ થયુ, પણ હવે સત્પુરુષના ચેત્ર થયે છે માટે લાગ આવ્યે છે. સમયે સમયે જીવ કમ ખાંધે છે. કેંડ ખાંધીને પુરુષાર્થ કરવાના છે. ‘યમનિયમ' વિચારે તેા સત્પુરુષાર્થ જાગે, યમ નિયમ બધુ કર્યું... પણ ખાકી શું રહ્યું ? તા કે “ બિન સદ્ગુરુ કેય ન ભેદ લહે. '' સદ્ગુરુના આધારે કરવાનું છે. આપણું કલ્યાણુ શાથી થાય? સદ્ગુરુ જાણે છે. સંસાર ઉપરથી સથા વૃત્તિ ઊઠે તા પ્રભુ પ્રત્યે પરમ પ્રેમ પ્રગટે. ઉપર ઉપરથી મુમુક્ષુ કહેવરાવવાથી કંઈ નથી. ‘છૂટુ છૂટુ ભાવના થવી જોઈએ. બાહ્યક્રિયામાં આગ્રહ છે, પણ પરિણામ ફેરવવાં એ મુખ્ય છે. અમે સાધુ છીએ, શા વાંચીએ છીએ, એમ માને છે, તેથી સાધુએ સત્સંગ કરતા નથી. એ સાધન રહી ગયું છે એ ધ્યાનમાં આવતું નથી. ઉત્તરાધ્યયન વૈરાગ્ય માટે વિચારવાનું છે. કુળસંપ્રદાયના બધા આગ્રહ છેડી ત્યાગવૈરાગ્યની જે વાત છે તે બહુણુ કરવાની છે. ઉત્તરાધ્યયનમાં ઘણી કથાએ આવે છે. એ બધી ત્યાગવૈરાગ્યની વાત છે. જે કુળમાં જન્મ્યા તેમાં ધર્મ કર્યો પણ એને વિચાર જાગ્યા નથી કે એથી મને શા લાભ છે? એ સાચુ છે કે જીઠું છે ? એના વિચાર આવતા નથી. જૈનધમ કેવા છે? એ સમજવા જેટલી બુદ્ધિ છે કે કેમ ? એના વિચાર નથી. પુસ્તકો બધાં ત્યાગવૈરાગ્યની વૃદ્ધિ થાય તે માટે લક્ષ રાખીને વાંચવાનાં છે. પ્રત્યક્ષપુરુષ કહે તે બધાના સારરૂપ હોય છે. તે સમજવા માટે શાસ્ત્રા વિચારવાનાં છે. [વ. ૧૩૫] ૧૯૮ શ્રી રા॰ આ॰ અગાસ, ભાદરવા વદ ૧૩, ૨૦૦૯ પૂજ્યશ્રી—ગતિ જેમ સમ્યગ્દર્શન થતા પહેલાં બાંધેલી તે પ્રમાણે થઈ, પણ કૃષ્ણનું જીવન જોતાં એમ લાગે છે કે એમને સમ્યગ્દશ ન હતું. ત્રણ ખંડનું રાજય ભાગવ્યું અને પછી માણુ વાગ્યું ત્યારે કેટલેા ક્રોધ થયા ! પછી કહ્યું કે જે મારનાર હાય તે આવી ઊભે રહે. એટલામાં એમના નાના ભાઈ જરાકુમાર આવ્યા, ત્યારે કહ્યું કે તું જતા રહે નહીં તે મળદેવ આવશે તે તને મારી નાખશે. એમ એમને દયા તે વખતે આવી. ત્રણ ખંડનું રાજ્ય હતું પણ મરણુ વખતે એમને પાણી પીવાનું, પાથરવાનું પણ ન મળ્યું. છતાં એમને ક ંઈ લાગ્યું નહીં. નહીં તેા ખીજો હાય તા કેટલા ખેદ્ર થાય ! માટે મુમુક્ષુએ દુ:ખમાં ધીરજ રાખવાની છે. શ્રીકૃષ્ણને નેમિનાથ પાસેથી જે સમજણ પ્રાપ્ત થયેલી તે, તે વખતે આવીને હાજર થઈ. પ્રારબ્ધ જેવી દશામાં મૂકે ત્યાં સમભાવ રાખવેા. ધીરજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy