________________
વચનામૃત-વિવેચન
૧૯૫ તમારું ગમે તે કામ કરવું હોય તે અમે કરીએ, પણ તમને તે યોગ્ય નથી. તમે જે કહે તે અમે કરીએ પણ તેનું તમને સારું ફળ નથી. કમને ઉદય તીવ્રપણે હોય ત્યારે જીવને ગભરાવે છે, પણ મંદ પડે ત્યારે ગભરામણ મટી જાય. ગમે તે ઉદય આવે પણ ગભરાવું નહીં, સ્મરણમાં ચિત્ત રાખવું, આપણાથી સહન ન થતું હોય તે પણ સ્મરણ કરવું. શું થશે? કેમ થશે? એવા વિચાર આવે તે ઉપશમાવી દેવા. કેઈ પણ પ્રકારને ભય રાખવા જેવું નથી. દુઃખ કંઈ લાંબો કાળ રહેવાનું નથી. આ કાળનાં આયુષ્ય કેટલાં? ચક્રવતી સનકુમાર મુનિ થયા ત્યારે એમને ભયંકર સેળ રોગ થયા અને તેય પાછા સાત વર્ષ સુધી રહ્યા. એક એક રોગ એ કે પ્રાણ લઈ લે. તે બધું એમણે સમભાવે સહન કર્યું, આત્મામાં રહ્યા. તેથી એમને અનેક પ્રકારની લબ્ધિ અને સિદ્ધિઓ પ્રગટી. ધર્મ છે એ જ સારી વસ્તુ છે. ગમે તે ઉદય હોય પણ ધર્મનું આરાધન કરવું. મુમુક્ષુ છું, એમ કરી મુમુક્ષુને ઘટે એવું કરવું. કાળ એ છે કે વધારે બળની જરૂર છે, નહીં તે મુમુક્ષતા ઈ બેસે. મને વૃત્તિની તપાસ રાખવાની છે કે કષાય ઘટે છે કે વધે છે? મનુષ્યભવમાં કષાય ઘટાડવા હોય તે ઘટે અને વધારવા હોય તો વધે. આ ભવમાં જેવું કામ થાય તેવું બીજા ભવમાં ન થાય. દેવલેકમાં જાય છે ત્યાં શું કરે? તેત્રીસ સાગરપમ સુધી બિચારા બેઠા રહે, પણ આ મનુષ્યભવમાં ભાવ વધારવા હોય તો વધે અને ઘટાડવા હોય તો ઘટે.
[વ. ૫૩૪]
૧૭૭ શ્રીરાઆ અગાસ, વૈશાખ વદ ૧૧, ૨૦૦૮ પૂજ્યશ્રી–પ્રભુશ્રીજીએ જ્યારે સુરતમાં ચોમાસું કર્યું હતું તે વખતે કૃપાળુદેવે આ પત્ર તેમના ઉપર લખ્યો હતો. આ પત્ર લખ્યા પહેલાં ગવાસિષ્ઠ” નામનું પુસ્તક વાંચવા ભલામણ કરેલી. એમાં બધી આત્માની જ વાત આવે છે. જેમકે આત્મા શુદ્ધ છે, અસંગ છે, “ અદૃ ગ્રહરિ એટલે પોતે જ પરમાત્મા છું. એવું વાંચ્યા પછી પ્રભુશ્રીજીને એમ થયું કે હું પરમાત્મારૂપ જ છું. પછી કૃપાળુદેવને પણ પત્ર લખ્યું કે અમે પરમાત્મા છીએ. તમે અમે એક જ રૂપ છીએ. આ પત્ર કૃપાળુદેવને મળ્યો. કૃપાળુ દેવને એમ લાગ્યું કે ઉકળતા દૂધથી ઉભરે આવ્યો છે, પણ એ બેસી જવાનું છે. એમ વિચારી તે પત્રને ઉત્તર લખ્યો નહીં, અને એમને એમ મૂકી દીધા. પત્રને ઉત્તર નહિ આવવાથી પ્રભુશ્રીજીએ બીજે પત્ર ફરીથી લખે. તેને ઉત્તર પણ કૃપાળુદેવે આપે નહીં. ત્રીને પત્ર આવ્યો ત્યારે કૃપાળુદેવે આ પત્ર લખ્યો હતો. ત્રીજા પત્રમાં પ્રભુશ્રીજીએ જણાવ્યું હતું કે મારે કંઈ દેષ તો નથી થયો? તમારા વિના અમારે દેષ કેશુ બતાવશે ? માટે જવાબ આપવા કૃપા કરશે. ત્યારે કૃપાળુદેવે આ પત્ર જવાબરૂપે લખેલ છે.
પ્રભુશ્રીજીને કૃપાળુદેવે આ પત્રમાં લખ્યું કે “વૈરાગ્યચિત્ત” “સત્સંગગ્ય' એટલે કે તમને ચિત્તમાં વૈરાગ્ય છે તેથી સત્સંગ કરવાગ્યા છે. સત્સંગથી જીવનું કલ્યાણ થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org