SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત વિવેચન ૧૯૩ આત્મવિચાર થયા વિના તે કલ્યાણ થાય નહીં. જ્યાં સુધી લૌકિકભાવ હોય ત્યાં સુધી આત્મવિચાર ન આવે. લૌકિકભાવથી નિવૃત થઈને આત્માની કાળજી ન કરે ત્યાં સુધી આત્મવિચાર કર્યાંથી જાગે? આત્મવિચાર જાગે એવું આ ભવમાં કંઈક કરી લેવું. એ આત્મવિચાર પ્રગટે તે આત્મજ્ઞાન દૂર નથી. પ્રભુશ્રીજી કહેતા કે “થપ્પડ મારવાની છે, નાક વાઢી નાખવાનું છે !” શું કહે? સંસારમાં દઢ થઈને જવ બેઠે છે. વિચારણા જગાડવા માટે સત્સંગ છે, ત્યાં સાંભળીને વિચાર કરે નહીં, તો સત્સંગ નિષ્ફળ થાય. મારા દહાડા શામાં જાય છે? એ જીવ વિચારતો નથી. પુરુષ પાસે પરાણે કમાણી થઈ હોય પણ સંભાળ ન રાખે તે આવરણ આવી જાય. માટે કંઈક સત્સંગ થયો હય, બોધ સાંભળે હોય તો તેથી ચેતવાયેગ્ય છે. આત્મામાં આત્મબુદ્ધિ કરવાની છે, તેને બદલે બીજે આત્મબુદ્ધિ થઈ છે. હું પુરુષ, મારી સ્ત્રી, મારા પુત્ર–એ મારાપણું ટાળવાનું છે. એ ન છૂટે ત્યાંસુધી સત્સંગ પણ કેમ ફળવાન થાય? પર્યાયદષ્ટિમાં જીવ પડયો છે. પર્યાયમાં રમતા કરે છે. દેખતભૂલીમાં જીવ છે. જે દેખે તેમાં તન્મય થઈ જાય; મારું મારું કરે. ઇન્દ્રિ બધી પુદ્ગલરૂપ છે. અનંતકાળથી જીવે પુદ્ગલે આઘાં પાછાં કર્યા છે. આ મનુષ્યભવ જળપરપોટા જેવું છે. પર્યાયદષ્ટિ છેડી દ્રવ્યદષ્ટિ કરવાની છે. આ પરમાણુના ઢગલા છે, તે મારે નથી જોઈતા. “એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા,” એવું કરવાનું છે. વ્યાપાર આદિનું કામ કરવું પડે તે કરવું પણ ભાવના તે સત્સંગ ક્યારે થાય? એ જ રાખવી. પ્રારબ્ધ હોય તેથી કરવું પડે પણ ભાવના જ રાખી શકાય છે. કૃપાળુદેવને પ્રારબ્ધ હતું તેથી સંસારમાં રહેવું પડયું, પણ ભાવના છુટવાની હતી. મહાવીર ભગવાનને જન્મથી જ ત્રણ જ્ઞાન હતા, મેરુપર્વત ચળાવી દે એવી શક્તિ હતી, સંસારના બધા ભાગો હતા, છતાં બધું છોડીને જંગલમાં ચાલી નીકળ્યા. ત્યાં કઈ શિOો પણ કર્યા નહીં, ઊંધ્યા પણ નહીં, ખાધું પીધું પણ નહીં. સાડાબારવર્ષ સુધી મેહને ક્ષય કરવાનો પુરુષાર્થ કર્યો. મેહ કેમ થાય છે? કમ કેમ બંધાય છે ? તે કેમ છૂટે? એના જ વિચારમાં રહ્યા, ત્યારે કેવળજ્ઞાન પામ્યા. એવા તીર્થકર જેવાએ પણ એટલે પુરુષાર્થ કર્યો તે આપણે તે કેટલા પુરુષાર્થની જરૂર છે. આ જીવ જાણે મેક્ષમાં જ બેઠો હેય તેમ રહે છે. “જ્ઞાની તે કહે, આપણું કામ તો ઊંઘવાનું” એમ કરે છે. પ્રભુશ્રીજી કહેતા “ઠગારું પાટણ છે. મૂઠી પુણ્ય લઈ આવ્યો પણ જે હિત ન કર્યું તે બધું લુંટાઈ જશે. કંઈ સાથે આવશે નહીં.” મુખ્ય તે જીવને દેહાધ્યાસ છે. પિતાને દેહરૂપ માને છે તેથી બીજાને પણ દેહરૂપ માને છે. આત્મવિચારમાં જીવ આવતું નથી. સંસારના વિચારમાં જ જીવ ફરે છે. “ છૂટે દેહાધ્યાસ તો નહીં કત તું કર્મ, નહીં ભક્તા તું તેહને, એજ ધર્મને મર્મ. ” [વ. પર૯] ૧૭૪ પૂજ્યશ્રી–હે ભગવાન! મને તારજે. પણ મારે સંસાર જોઈએ છે. એમ ઈ છે તેનું ૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy