________________
૧૯૨
બધામૃત જે વસ્તુની આત્માને જરૂર નથી, તે વસ્તુના વિચાર કરવા તે આર્તધ્યાન છે. અવસર આવ્યા વગર તેના વિચાર કરે તે અનવસર આર્તધ્યાન છે. છૂટવું હોય તેના વિચાર કેવા હોય છે? પરવસ્તુ સંબંધી જે ઈચ્છા છે, તે બધું આતધ્યાન છે. એ સૂમ વાતે સમજીને જ્ઞાની પુરુષ આચારમાં મૂકે છે. આર્તધ્યાનથી બચવું.
[વ. પર૮].
૧૭૩ શ્રીરાત્રે આ અગાસ, ભાદરવા વદ ૧૪, ૨૦૦૯ જ્ઞાનીની દશા કેવી હોય તે કહે છે. સંસારનાં સુખનું પાંચ ઇન્દ્રિયના વિષયસુખનું મને સ્વનુંય ન છે એમ જેને લાગે છે, સંસારનું સ્વરૂપ નિઃસાર જેને લાગ્યું છે, દેવક આદિમાં જેને કયાંય સુખ લાગતું નથી. એમ પુરુષની દશા વિચારીને ભક્તિ કરે તે વિશેષ લાભ થાય. વિષયકષાયમાં વૃત્તિ જાય નહીં, સ્વનેય પણ એની ઈચ્છા ન થાય તે જ આપણે કૃપાળુદેવના અનુયાયી છીએ. એ જ આપણે કરવાનું છે. સંસારમાં કયાંય સાર નથી, એવા વૈરાગ્યની જરૂર છે. આ જગત ચાર ગતિરૂપ છે, પરિભ્રમણ કરાવનાર છે. આ સંસાર દુઃખરૂપ જ છે. “તલ જેટલી જગ્યા પણ એ સંસારની ઝેર વિના રહી નથી.”(મે. પર) એવા સંસારમાં શું મળે? પરિભ્રમણ કરવાનાં, દેહ ધારણ કરવાનાં કારણ મળે. એમ જાણવા છતાં શા માટે સંસારમાં ભમે છે? સાધન મળ્યું નથી તે તે શું કરે? પણ જેને મળ્યું છે, તેણે તો કરવા જેવું છે. જ્ઞાનીને ખાવું પીવું પડે તોય આનંદ ન આવે. એ જ આપણે કરવાનું છે. જેને સંસારમાં કયાંય સાર નથી એમ લાગ્યું છે, તેને ઉદાસીનતા રહે. “સમર્થં જોવા મા ઘHIS I” (મે. ૫૦) એ જેવું તેવું નથી. સમય માત્ર પ્રમાદ ન કર એવું ગણધર જેવાને કહ્યું તે પછી બીજા ને તો કહેવું જ શું? સંસારનું સ્વરૂપ કેવું ભયંકર છે! જ્ઞાનીને પણ વ્યાસેહ કરાવે એવું સં સારનું સ્વરૂપ છે. તેમાં આપણે આંખે મીંચીને દેડ્યા કરીએ છીએ. જેણે આત્મા જાગ્યો છે, તેની સંભાળ રાખે છે, તેવા જ્ઞાનીને પણ સંભાળ રાખીને વર્તવાનું છે. નહીં તે મિથ્યાત્વમાં તણાઈ જાય. માટે સંસારમાં કષાય અને ઇન્દ્રિરુપી ચોર રહ્યા છે, તેનાથી ભય પામવે. આત્માને વિસારે અને કલ્યાણ ઈછે, તે એ બેયને મેળ ખાય નહીં. જ્ઞાની જુદા અને સાધારણ છે જુદા છે. જ્ઞાની પણ બહુ સંભાળ રાખીને વતે છે, તો પછી સાધારણ જીવનું તે કહેવું જ શું? લેકો જેને ઈરછે તેને જે છે તે મુમુક્ષુનું કલ્યાણ કેમ થાય ? સત્પષે તે એ છોડવાનું કહ્યું છે. પણ જીવ તેમાં જ રમણતા કરે છે. વૃત્તિઓની છેતરામણી છે. બધા ધર્મને આધાર ભાવ ઉપર છે. ભાવ વગર ધર્મ થાય નહીં. લૌકિકભાવ નિવતે તે પરમાર્થભાવ આવે. પૂર્વ અને પશ્ચિમ બે રસ્તા છે. પશ્ચિમમાં ચાલે તે પૂર્વમાં ન ચલાય. સંસાર પ્રત્યે પૂંઠ દીધી હશે તે મોક્ષ આવશે. બેય કામ સાથે ન થાય. જેથી આત્માનું અહિત થાય એવા અહિતકેતુ જે સંસારના પ્રસંગે તેમાં જીવી રહ્યો છે. પ્રભુ શ્રીજી કહેતા કે “લેક મૂકે પિક, તું તારું કરઆત્મહિત કંઈક કરી લે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org