SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેચન સદ્દગુરુની ભક્તિ કરતે હોય તે એ બેમાં વિશેષ હિતરૂપ કોણ છે? તે તમે વિચારીને લખશે. પ્રશ્ન બહુ સરસ છે. જીવને વિચારવાગ્યા છે. અત્યારે પ્રત્યક્ષ ભગવાન તે છે નહીં પણ એમની પ્રતિમાને ભગવાન સર્વજ્ઞ જાણીને ભક્તિ કરે છે અને કેઈ પ્રત્યક્ષ સદ્દગુરુની ભક્તિ કરે છે, તો બેમાં વિશેષ લાભ કોને થાય? એક મુમુક્ષુ–પ્રત્યક્ષ યોગ વિના સ્વરૂપનું તો ભાન ન જ થાય. પુણ્ય બાંધે પણ સ્વરૂપનું ભાન ન થાય. બીજા મુમુક્ષુ–મહાવીર સ્વામી સર્વજ્ઞ હતા, પણ અત્યારે પ્રત્યક્ષ છે નહીં. હવે પ્રતિમા છે, તે તે મોઢે બેલે નહીં. પ્રત્યક્ષ સદ્ગુરુનો યોગ હોય અને બોધ મળે તે તેથી જીવને વિશેષ જાગૃતિ આવે, એમ લાગે છે. પૂજ્યશ્રી—“અરિહંત' એમ કહે, પણ અરિહંત કોને કહેવાય છે તે સમજાતું નથી. કરેજ બેલીએ છીએ– પ્રથમ નમું ગુરુરાજને, જેણે આપ્યું જ્ઞાન; જ્ઞાને વરને ઓળખ્યા, ટળ્યું દેહ અભિમાન. ” એ સદ્ગુરુ વિના ઓળખાય નહીં એવા વીર છે. સ્વરૂપ સમજવામાં સદ્ગુરુ એ પરમ કારણ છે. કેઈને પૂર્વના સંસ્કારે પ્રતિમા જોઈને જાતિસ્મરણ થાય છે, પણ એ વાત જુદી છે. “ પ્રત્યક્ષ સરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર; એ લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર.” અરિહંત, અરિહંત' આખું જગત કહે પણ અરિહંત શું? એ સદ્ગુરુ વિના સમજાય નહીં. કૃપાળુદેવે લખ્યું છે કે “કેણુ ભાગ્યશાળી ? અવિરતિ સમ્યગ્દષ્ટિ કે વિરતિ ?” (૨૧–૧૨૫) એકને સમ્યગ્દર્શન છે, પણ વ્રત નથી અને બીજાને સમ્યગ્દર્શન નથી અને વ્રત છે. જે સમ્યગ્દર્શન નથી તે તે ભાગ્યશાળી નથી. ઘભાવે જીવ વર્તે છે ત્યાંથી વિચારદશામાં આવવા માટે આ જણાવ્યું છે. સદ્ગુરુ વિના આત્મવિચાર ન જાગે. જ્યારે ત્યારે સદ્ગુરુનો ચોગ થશે ત્યારે આત્મવિચાર આવશે. જીવને બહારની વસ્તુનું માહાભ્ય લાગે છે, પણ આત્માનું માહામ્ય નથી લાગતું. જીવને આંધળી દે છે અને એ દેડમાં મહીકર્મ એને મદદ આપે છે. પ્રભુશ્રીજીને કૃપાળુદેવ મળ્યા ત્યારે કૃપાળુદેવે કહ્યું કે “તમે મુનિ શાના ?” મુનિ નહીં, એમ કહ્યું, એવું કોણ કહે? એમના ગુરુ પણ ન કહે. પિતાને જાગવાનું છે. પ્રત્યક્ષ સદ્દગુરુગે સ્વછંદ રેકાય છે. કેઈ કહે કે અરિહંત ભગવાને ચાર કર્મ ક્ષય કર્યા છે અને સિદ્ધ ભગવાને આઠ કમ ક્ષય કર્યા છે, તે સિદ્ધ ભગવાનની ભક્તિ કેમ ન કરીએ? વળી અરિહંત તે સમવસરણમાં બેસે છે, દેહ સહિત છે અને સિદ્ધ ભગવાન તે નિરાકાર છે. એ વધારે મહાન છે તે એમની ભક્તિ કેમ ન કરીએ? પરંતુ, ખરેખર તો દેહધારી પરમાત્મા અરિહંત છે તે સિદ્ધ કરતાં વધારે ઉપકારી છે. એ લક્ષ રાખીને નવકારમાં પહેલું “નમો અરિહંતાણું” એમ કહ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy