________________
બેધામૃત છે, તેમ સંસારપર્યાય છૂટી જાય તે મેક્ષે જાય ત્યાં બધા જીવ એકરૂપે થઈ જતા હશે? એમ સોભાગભાઈને પ્રશ્ન છે. મોક્ષમાં બધા જ એક જ ચિતન્યઘન થઈ જતા હશે? એમ પ્રશ્ન છે. કૃપાળુદેવ એને ઉત્તર આપે છે કે સેનું પુદ્ગલરૂપ છે. એ મૂળ દ્રવ્ય નથી. જગતના છ દ્રવ્યમાં સુવર્ણ દ્રવ્ય આવતું નથી. પણ એ બધું પુદ્ગલ જ કહેવાય. અનંત પરમાણુ એકઠાં થાય ત્યારે એ સેનારૂપે પુદ્ગલ દેખાય છે. મૂળ દ્રવ્ય તે પરમાણુરૂપે છે. પછી ઘણુ પરમાણુ મળીને આકાર વગેરે કરે તે બધા સંયેગે છે. એ સંગોને તે નાશ થાય, પણ મૂળ જે પુદ્ગલપરમાણુ તેને નાશ ન થાય. અનંત પરમાણુ એકઠાં થાય ત્યારે પુદ્ગલ દેખાય. પરમાણુ કોઈ નવાં ઉત્પન્ન થતાં નથી. અને જે પરમાણુ છે તે પિતાનું સ્વરૂપ છોડતાં નથી. આ સેનામાં આટલા પરમાણુ છે એમ જ્ઞાની જાણે છે. એક પુદ્ગલ પરમાણુ પોતાનું સ્વરૂપ છોડી બીજા પરમાણુરૂપ ન થઈ જાય. પિોતપોતાના સ્વભાવમાં રહીને રૂ૫ રસ ગંધ સ્પર્શ પલટવારૂપ પર્યાય પલટે છે મોક્ષમાં સિદ્ધભગવાન બધા ભિન્ન ભિન્ન છે. જેમ સેનું બધું એકઠું કરી એક લગડી કરે પણ દરેક પરમાણુ જુદાં જુદાં છે, તેમ સિદ્ધ છે પણ ભિન્ન ભિન્ન છે. એક પુદ્ગલપરમાણુ બીજારૂપે થાય જ નહી. દરેક પરમાણુ પિતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને તજતાં નથી. તજે એમ બની શકતું નથી. અનંત સિદ્ધ જીવો છે. એક સિદ્ધ બીજારૂપે ન થાય. પિસ્તાળીસ લાખ જનની સિદ્ધશિલા ઉપર સિદ્ધના બધા જીવે છે તે જુદા જુદા છે.
હોય તેનો નાશ નહિ, નહીં તેહ નહિ હોય;
એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જય.” (૨૬૬) જે આત્મા છે તેને કદી નાશ થાય એમ નથી અને જે આત્મા નથી તે ઉત્પન્ન થાય એમ નથી. દરેકનાં કર્મ, મોક્ષ અવસ્થા એ સૌ સૌનાં જુદાં છે. સૌ સૌનાં કર્મો પણ જુદાં હતાં તે ખપાવી મોક્ષે ગયા. એટલે બધે પુરુષાર્થ કર્યો અને તેનું ફળ નાશ આવે તો શા કામનું એને પિતાને નાશ થાય કે પોતે પિતાનું સ્વરૂપ ત્યાગે એમ નથી. અવ્યાબાધ ગુણ આત્માને છેએ આત્મસ્વરૂપ બાધા પામે એવું નથી. સિદ્ધભગવાન બધા એકરૂપ થઈ જાય એમ નથી.
[વ. પર૭]
૧૭૨ શ્રીરાત્રે આ અગાસ, ભાદરવા વદ ૦)), ૨૦૦૯ પૂજ્યશ્રી જ્ઞાની પુરુષના વચન ઉપરથી અથવા બીજા કેઈ લખનારના વચન ઉપરથી કૃપાળુદેવને ખબર પડતી કે આ અમુક દશામાં રહીને લખેલાં છે.
કૃપાળુદેવને માણેકલાલ ઘેલાભાઈએ પ્રશ્ન પૂછળ્યો કે ભગવાનનું શાસન છે, એમને માટે ઉપકાર છે. એમની ભક્તિથી વિશેષ લાભ થાય કે જે આપણને હિતમાં પ્રેરે છે, અહિતથી વારે છે, તેમની ભક્તિથી વિશેષ લાભ થાય? કૃપાળુદેવે એને ઉત્તર લખવાનું ભાગભાઈને કહ્યું કે મહાવીર સ્વામીની પ્રતિમા હોય તેને કઈપૂજતે હોય અને પ્રત્યક્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org