SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ વથનામૃત-વિવેચન છે. સ્વભાવમાં રહે તે છૂટે. છૂટવાને રસ્તે લેવાને છે કોટિ વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતાં સમાય; તેમ વિભાવ અનાદિને જ્ઞાન થતાં દૂર થાય.” [વ. પર૩] ૧૭૧ શ્રીરાત્રે આ અગાસ, આસો સુદ ૧, ૨૦૦૯ જેને આવા કાળમાં કંઈ ધર્મની ઈચ્છા હોય તેવા જીવેથી કૃપાળુદેવે પ્રેમ રાખ્યો છે. સત્સંગને યેગ્ય જીથી પ્રેમ રાખે છે. સાચા માગની પ્રભાવના થાય એવી સભાગભાઈની ઈચ્છા હતી. જ્યારે પ્રભાવના કરશે ? એવી જિજ્ઞાસા એમને રહે છે. એ પ્રભાવના થાય તે એ જોઈને એમને બહુ હર્ષ થાય. કૃપાળુદેવ લખે છે કે જો કલ્યાણને અર્થે દીક્ષા લે છે, તપ કરે છે, પણ એક્ષમાર્ગની ખબર નથી. જેથી તમને પ્રભાવનાની ભાવના રહે છે તેવી અમને પણ રહે છે. સાચે માગ જ પામે એવી કૃપાળુદેવની ઈચ્છા છે. એને બદલે અજ્ઞાનમાર્ગમાં જીવે ખેંચાયા જાય છે, તે જોઈને ખેદ રહે છે. અજ્ઞાનનું રાજ્ય વર્તે છે, તે મટાડવાની જરૂર છે. ભાવના તે છે, પણ જ્યારે થવાનું હશે ત્યારે થશે, આપણી ઉતાવળે થાય એવું નથી. પ્રભાવના થાય તે સારું એમ રહે છે. તેની સાથે એમ પણ કહે છે કે જ્યારે થવાનું હશે ત્યારે થશે. બીજા જીવનું કલ્યાણ કરવું એમ કરવા જતાં આત્મા બાહ્યભાવમાં જાય એવું પણ કરવાગ્ય નથી. જીવનું કલ્યાણ કરવાની ભાવનાથી પ્રવર્તન થાય, સમજીને સમાઈ જવાને બદલે બાહ્ય પ્રવર્તન થાય, તેથી ભાવ બાહ્યમાં તણાઈ ન જાય એ સાચવવાનું છે. આત્મા પિતાની શાંતિ વિશેષ વધારે એ કરવાની જરૂર છે. બહારની વસ્તુઓમાં જીવ ધર્મ માને છે. એને ભય રાખવાગ્યા છે. પ્રભાવના કરવાને કૃપાળુદેવને વિચાર રહે છે અને બાહાભાવમાં જીવ ન જાય, એનું માહાસ્ય ન લાગે એ બને વિચાર આવે છે. બાહ્યભાવમાં જીવ ખેંચાઈ જાય છે. પ્રભાવના કરવાનો વિચાર તે રહે છે, પણ એ ભાવનાનું ફળ સમીપમાં જણાતું નથી. તેથી તમને લખ્યું નથી. તમારી એ ભાવના છે કે દીક્ષા , દિક્ષા આપે. તે વિષે અમારી જે ભાવના છે, તે તમને જણાવી છે. હમણાં પ્રભાવના નહીં થાય એમ વિચારી તમારે ઉદાસ ન થવું. ઉદય થડા વખતમાં ભગવાય એવું થતું હોય તે ગમે તેવી મુશ્કેલી હોય તો પણ અમારે એમ કરવું છે. ઘણા વખત થયાં બાહ્ય માહા મ્યમાં વૃત્તિ જતી નથી. તેમ છતાં હજુ અમારે ભય રાખવાનું છે. ગમે તેમ થાય પણ આત્મા બાઢા પરિણામ ન ભજે એવી સ્થિતિ થવામાં કંઈક અમને ઓછાઈ છે. પણ એ વધારે વખત રહે તેમ નથી, થોડા વખતમાં નાશ પામે છે. નિર્ભય પુરુષનાં વચને મુમુક્ષુને ધર્મપુરુષાર્થમાં નિર્ભય કરે છે. અનેક અલંકાર સેનાના હોય પણ એને ગાળી નાખે તે એક સેનાની લગડી રહે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy