SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત વિવેચન ૧૮૭ તેના વિષેગ થશે, એક આત્મા જ ત્રણે કાળ રહે એવા છે તે ખરા લાગ આવ્યે છે એમ જાણી જીવ બીજે ખાટી ન થાય. થાડા કાળમાં કલ્યાણ કરવું છે એવી ભાવના કરે. બીજા આડાઅવળા વિચાર કયે ન થાય. બધું અહીં પડયું રહેવાનું છે. ખાર ભાવનાના વિચાર કરે તેા વૃત્તિ આત્મામાં જાય. જ્ઞાનીપુરુષને ચેાગ થયા પછી જીવમાં ત્યાગવૈરાગ્ય વિશેષ વૃદ્ધિ પામવા લાગે છે. માક્ષના માગ જ સાચા છે એમ લાગે. જ્ઞાનીપુરુષના ચેગ થયા પછી બધું વન પલટાઈ જાય છે. મહત પુણ્ય હોય ત્યારે સપ્રુરુષના ચેાગ થાય છે. પુરુષાર્થ કરે તેા અપૂર્વ તા જાગે. બધા જીવ સુખને ઇચ્છે છે, પણ સાચા સુખને જાણતા નથી. પાંચ ઇન્દ્રિયાના વિષયા આત્માને લૂટી લેનાર છે. મારે એનાથી છૂટવું જ છે, મારે આત્માનું હિત કરવું જ છે, એવા નિશ્ચય થાય તે છુટાય. જેને છૂટવું છે તેને કોઈ બાંધતું નથી. દીવા લાગેલા ઢાય ત્યાં દીવેટ મળે તે દીવા થાય. તેમ જ્યાં જ્ઞાન હાય, તેના ચેાગ થાય તે જ્ઞાન થાય. સત્પુરુષને ચેાગ થયા પછી અપૂર્વ તા લાગે તે સાચા ર`ગ ચઢે. બધું પલટાઈ જાય. સત્પુરુષના યાગે આત્મજ્ઞાન થવું સુલભ છે, પણ પ્રેમ આવવા જોઈએ. એને ગરજ જાગે તે પુરુષાર્થ કરે. જીવની પાસે ખરી મૂડી પ્રેમ છે. એ પ્રેમરૂપી મૂડી પાંચ ઇન્દ્રિયાના વિષચેામાં વેરી નાખી છે. તેથી સાચી કમાણી થતી નથી. એ પ્રેમરૂપી મૂડી સત્પુરુષમાં વાપરે તે ખરી કમાણી થાય. “ પર પ્રેમપ્રવાહ મઢે પ્રભુસે. '” જ્ઞાનીપુરુષ તા પાકારીને કહે છે કે હું જીવ ! તું માહનિદ્રામાં ઊંઘે છે, માટે જાગ. જ્યાંસુધી સત્પુરુષ પ્રત્યે અને તેમના વચન પ્રત્યે તથા તે વચનના આશય પ્રત્યે પ્રેમ ન આવે ત્યાંસુધી આત્મવિચાર ઉદય પામે નહીં. અનાદિકાળથી જીવની બાહ્ય વૃત્તિ છે. અરૂપી આત્મા ભણી વળવી મુશ્કેલ છે. પેાતાની પાસે જ આત્મા છે તેની ઓળખાણ કરવાની છે. સત્પુરુષ ઉપર વિશ્વાસ આવે તે થાય. જ્યારે એને સત્પુરુષ પ્રત્યે પ્રેમ આવે ત્યારે એને લાગે કે આટલા કાળ સુધી બધાં સાધને વૃથા કર્યાં. માટે હવે લક્ષ રાખીને આત્માનું કરવું. વિશ્વાસ આવ્યા પછી બધું સહેલું છે. જ્યાંસુધી પરવસ્તુઓમાં પ્રેમ છે, ત્યાંસુધી સાચી વસ્તુ પર વિશ્વાસ આવે નહીં. વિશ્વાસ આત્માના કરવાના છે. છ પદ્મને વિશ્વાસ દૃઢ કરવાના છે. આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભાક્તા છે, મેાક્ષ છે અને મેાક્ષના ઉપાય છે. એની શ્રદ્ધા કરવા પુરુષાર્થ કરશે તા વિશ્વાસ આવશે. જ્યાંસુધી સંસારના લક્ષ હાય ત્યાંસુધી સંસાર છે. જ્ઞાનીના ચેાગે, જ્ઞાનીપુરુષની આજ્ઞા પ્રમાણે વર્તે ત્યારે એને જ્ઞાનીની અપૂતા લાગે, એ યેાગ ફરીથી મળવા દુČભ છે, જેટલુ કરુ તેટલુ સફળ થશે એમ એને લાગે. મનુષ્યભવ છે ત્યાંસુધી કરી લેવું. દેહથી હું ભિન્ન છું એ લક્ષ રાખવા. તેમાં મેહનું લશ્કર લૂંટી ન લે એ માટે ચેતતા રહેવું. જીવને કલ્યાણુ થવામાં કઈ કઈ વસ્તુઓ રોકી રાખે છે? એ વિચારે છે. (૧) અભિમાન. એમાં તણાયા તે બધાં સાધના નિષ્ફળ જશે. જાણતા નથી છતાં હું જાણું છું એમ જીવ અભિમાન કરે છે. (૨) લેાકભય. હું. ધમ' કરુ' છું પણ લાકે મને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy