SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેચન ૧૮૫ તેમ આત્મા આ જ સ્પષ્ટ પ્રત્યક્ષ દ્રવ્ય છે એવું જ્ઞાન બનારસીદાસને થયું નથી, પણ નિરંતર એની એ (આત્મવિચારની) રમણતા હોવાથી અને આત્માની છાયા અંદર પડવાથી ગ્રંથ રચતાં ક્ષાયિક સમ્યકત્વ થાય એવી દશાએ એ પહોંચ્યા છે. રાતદિવસ એમાં ને એમાં રહેવાથી ક્ષાયિકની લગભગ દશાએ બનારસીદાસ પહોંચ્યા છે. ડું આગળ વધાય તે ક્ષાચિક થઈ જાય એવી દશા ગ્રંથ કરતાં એમને રહી છે. બનારસીદાસની દશા કેવી હતી તે એમના વચને ઉપરથી કૃપાળુદેવે માપી લીધી હતી. આ બધું પ્રારબ્ધ છે તે છેડીને દીક્ષા લઈએ, વપરનું કલ્યાણ કરતા હોઈએ એવો ઉદય કયારે આવશે ? એવું થાય ત્યારે આત્માના બધા પ્રદેશે શિથિલ થઈ જાય છે. આત્મા નિત્ય છે તેથી છવાય છે, નહીં તે મરી જવાય. થોડોક વખત થાય કે ફરી ફરી એ વાત સાંભરે છે. દેહ છૂટી જાય એવું ઘણું વખત થઈ આવે છે. એક પત્રમાં કહ્યું છે કે “હવે આ ઉપાધિકાર્યથી છૂટવાની વિશેષ વિશેષ આર્તિ થયા કરે છે.” (૫૬). એ દશામાં કેવું થાય છે તે આ પત્રમાં જણાવ્યું છે. જ્ઞાનીને કેવું દુઃખ છે તે જ્ઞાની જાણે છે. ઘણી વખત એવો ખેદ થાય તે શમાવી દઈએ છીએ. આત્મા સમભાવમાં આવી જાય છે, ત્યાં આગળ શાંત થઈ જાય છે. સંસારના બળવાન કારણે છે તે અમને રોકે છે. સાધારણ કારને તે અમે ગણતા નથી. બળવાન કારણે છે તે જ રોકે છે. ભેગને માટે કે કમાણીને માટે અમે ખળી રહ્યા નથી. ક્યાં કારણે અમને નડે છે તે અત્રે તમને કહેવા જેવાં નથી. પ્રમાદને લઈને ઢીલ કરીએ છીએ એમ નથી. બુદ્ધિપૂર્વક પ્રમાદ નથી તેમ અબુદ્ધિપૂર્વક પ્રમાદ રહેતું હેય એમ પણ નથી. કદાપિ એમ ધારીએ કે અમને પ્રમાદ છે, પણ તે ખાળે એવો નથી. અવરોધક કારણે પ્રત્યે પૂઠ દીધી છે, દિક્ષા લઈએ અને પછી મોટા મોટા આચાર્યોની વિરુદ્ધ કહેવું પડે તેથી માનભંગ થશે એવું પણ અમને રહેતું નથી. પાંચ ઈન્દ્રિયોના વિષય ભોગવવાની ઈચ્છા હોય એમ પણ જણાતું નથી પાંચ ઈન્દ્રિયેના વિષયે પ્રત્યે કદી મન ન જાય એ કેવળ થયું નથી, પણ એમાં નીરસપણું ભાસે છે. આજ સુધી જેટલા પ્રભાવક થયા છે તેમના કરતાં અમારી વિચારદશા બળવાન હશે એમ પણ લાગે છે. હાલમાં જે પ્રભાવના કરે છે તે તે નહીં જેવી છે. પ્રભુશ્રીજી કૃપાળુ દેવને શ્રુતકેવળી કહેતા. મુમુક્ષુ-શ્રુતકેવળી એટલે શું ? પૂજ્યશ્રી–શ્રુતજ્ઞાન પૂરું જાણે તે શ્રુતકેવળી. ચૌદ લપૂિર્વનીધ જેને પ્રગટી હોય કે જેથી તેનાથી શાસ્ત્રમાં આવેલી કઈ વસ્તુ અજાણી ન રહે તે શ્રુતકેવળી છે. ગોમટ્ટસારમાં આવે છે કે તીર્થકર અથવા શ્રુતકેવળી પાદકમળમાં ક્ષાયિકસમકિત થાય છે. કૃપાળુદેવ પણ શ્રુતકેવળી છે એમના પાદમૂળમાં પ્રભુશ્રીજીય ક્ષાયિક સમકિત પામ્યા.* * શ્રી સૌભાગ્યભાઈ પણ ક્ષાયિક સમકિત પામેલા. ૨૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy