SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેચન વિષ્ટા પડતી હોય, એવું શરીર હોય તો તે જોવું ન ગમે. ચામડીથી ઢાંકયું છે તેથી મેહ થાય છે કામને સ્ત્રીનું શરીર મોડ કરાવનાર છે. અંતર્દષ્ટિથી વિચારવું. યથાર્થ વિચારે તે મોહ ટળે. (૯) મનુષ્યભવ શાથી મળે છે? પૈસા ખર્ચવાથી મળે છે કંઈ? પુરુષની કૃપાથી મળે છે. ધમ કરીને શું કરવું છે? ખાવું-પીવું ને લહેર કરવી એમ કેટલાક માને છે, પણ આ દેખાય છે તે બધું આંખ મીંચાશે ત્યારે અહીં જ મૂકીને જવું પડશે. વિચાર કરે તે લાગે કે પૂર્વે કંઈક ધર્મ કર્યો હતો તે આ બધું મળ્યું છે. (૧૧) ગમે તે ધર્મ માનતા હેય, તે પણ સર્વ પ્રાણીમાં સમદષ્ટિ રાખવી. એ સમદષ્ટિ આવે તે બધા સુખી થાય. (૧૨) દયામૂળ ધર્મ છે, કેઈ પ્રાણીને હણવાં નહીં. આપણને જેવું દુઃખ થાય તેવું તેને પણ દુઃખ થાય છે. જે પ્રાણીઓને પાળ્યાં હોય તેનાથી ગજા ઉપરાંત કામ ન લેવું. (૧૩) જે વાટે પુરુષે ચાલ્યા તે જ ધર્મ છે. (૧૪) બધા મહાપુરુષને એક જ રસ્તો છે. બધાય એ રસ્તે આવ્યા ત્યારે મેક્ષ પામ્યા. મૂળતત્વમાં ભેદ નથી, માન્યતામાં ફેર પડે છે. (૧૫) જગત સારું છે એમ જીવ માને તે મેહ છે. જેથી આત્મા પવિત્ર થાય તે ધમને તું માન. જેથી આત્મા પવિત્ર થાય તે જ સાચે ધર્મ છે. સંસારમળ-રાગદ્વેષ અને અજ્ઞાન નાશ થાય તે ધર્મને માન. પછી ગમે તે તે વેદાન્ત હો, વૈષ્ણવ હો કે જેન છે. જેથી સંસારમળ નાશ થાય તે ભક્તિ, ધર્મ અને સદાચારને તે સેવ. (૧૬) કોઈને ત્યાં નોકરી કરતે હેય, પણ મારે પવિત્ર થવું છે એ લક્ષ રાખજે. પવિત્રતાથી મેલ થાય છે. (૧૭) પાંચ ઈન્દ્રિયના વિષયમાં પડયો છે, માથે મરણ છે તે મારી શી વલે થશે? એમ વિચારવું. ઘણુ જીવનું કલ્યાણ થાય એવાં વચને છે. (૧૮) કોઈને દુઃખ આપવા ઈછે તે પહેલાંના તારા સુખદુઃખના બનાવો સંભારી જા, (૧૯) ડીક વાર પછી મરી જવાનું છે, માટે સદાચાર સેવજે. મુખ્ય વાત સદાચાર ભણી આવવાની છે. (૨૦–૨૨) રાજા હે તો પણ પ્રમાદ ન કરીશ. ગમે તે સ્થાનમાં પણ તું ભલે થા. બૂરો થઈશ તે તું પણ દુઃખી થઈશ અને બીજાને પણ દુઃખી કરીશ માટે ભલે થા. વકીલ છે તે પણ એ જ કરવાનું છે. (૨૩) શામાં પૈસા વાપરું છું તે વિચારજે. પોતાનું જીવન બગાડવા માટે પૈસા નથી. ખાવા માટે પિસા કમાઉં છું કે શા માટે ? પૈસા કંઈ સાથે આવવાના છે? એ વિચારવા પડે છે. બધાને વિચારવાનું છે. (ર) અનાજના વેપારમાં ઘણું પાપ છે, માટે એ વેપાર છેડી બીજું કરજે અથવા બહુ પાપ ન થાય તેમ કરજે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy