________________
૧૮૨
બધામૃત
કમ નથી. ઉત્કૃષ્ટ બંધાય તે સીતેર કડાકોડી સાગરોપમની સ્થિતિ બંધાય. અનંત કાળથી અજ્ઞાન સેવતે આવ્યું છે. એ પરિણામ ફેરવે નહીં તે કઈ દહાડે મોક્ષે ન જાય. એવું અજ્ઞાનનું બળ છે. અનંતકાળ ભેગવવું પડે એવું કમ એક સમયે ન બાંધી શકે. ક્ષાનીપુરુષ કે સમીપમુક્તિગામી જીવ હોય તેની વાત અહીં કહેવી નથી. તેમની વાત જુદી છે. અનંતકાળથી અજ્ઞાન પરિણામ સેવતે આવ્યા છે, તે અજ્ઞાન હજુ જીવે એ છું કર્યું નથી. એવું ને એવું જ છે, એને મંદ ન કરે, એને જ સેવ્યા કરે તે કંઈ અજ્ઞાન એમ ન કહે કે હવે તું મોક્ષે જ. અગ્નિના તણખામાંથી જેટલે અગ્નિ કરવો હોય તેટલે થાય, પણ એને એવાં નિમિત્ત મળે તે વધે. નહીં તે ઓલવાઈ જાય. અજ્ઞાનને જ સેવ્યા કરે તે અનંત જન્મમરણ થાય એવું અજ્ઞાનનું બળ છે. એ જીવને ભટક ભટક કરાવે છે. જીવમાં એટલી શક્તિ નથી કે સમયે સમય સિત્તેર કલાકેડી બાંધ્યા કરે. એ ભોગવવા પાછે એકેન્દ્રિય આદિમાં જ જાય. ત્યાં પછી એટલી શક્તિ નહીં હોવાથી એવાં કમ ન બંધાય. ફરી મનુષ્યભવ મળે તો ફરી એવું બાંધી શકે. બીજા ભવમાં પણ બાંધી શકે. આયુષ્ય બાંધ્યું હોય તે જે ગતિનું બધું હોય તે ગતિ ન ફરે. આયુષ્યની સ્થિતિ વધઘટ તે થાય. જીવને છૂટવાને અવકાશ છે. કમ કેમ બંધાય છે તેની જ્ઞાનીએ કર્મ ગ્રંથમાં પ્રરૂપણા કરી છે. જી પિતે ફરવું જોઈએ. દઢપ્રહારી હવે તેણે કેટલાય પાપ કર્યા પણ ફરી ગયે તે છ મહિનામાં મેક્ષે જ રહ્યો. કર્મ સ્થિતિ બંધાય છે પણ એમાં મોક્ષને અવકાશ છે, પોતે જ કર્મ બાંધ્યાં છે, અને પિતે જ છોડે છે.
જ્ઞાનીની આજ્ઞા છ ઉઠાવી હતી તે સંસારમાં રહેતા નહીં. ભગવાન ઋષભદેવજી અઠ્ઠાણું પુત્રને સંબોધતા હતા કે “હે આયુષ્યમાનો! આ જીવે સર્વ કર્યું છે, એક આ વિના, તે શું? તે કે નિશ્ચય કહીએ છીએ કે પુરુષનું કહેલું વચન, તેને ઉપદેશ તે સાંભળ્યા નથી, અથવા રૂડે પ્રકારે કરી તે ઉઠાવ્યાં નથી.” (૧૯૪). આજ્ઞા ઉઠાવી હતી તે ફરી જન્મવું ન પડત. આજ્ઞા આરાધે ત્યાં ધર્મ પ્રગટે છે, સાધન કરે પણ જ્ઞાનીની આજ્ઞાએ ન કરે તો કંઈ નહીં. મેક્ષના કામમાં ન આવે. બહુ વિચારવા જેવું છે. આજ્ઞા આરાધવી અઘરી છે. મારે આજ્ઞા આરાધવી છે, એ દઢ નિશ્ચય હોય તે વૈિરાગ્ય રહે અને કલ્યાણ થાય. જીવે પાત્રપણું આવે એવું કરવાનું છે. કેટલાક “મને આત્માની ખબર પડી ગઈ” એમ માની બેસે છે, પણ અરૂપી પદાર્થ છે, તે આજ્ઞા સિવાય સમજાય નહીં. અપૂર્વ વિચાર આવે તો અપૂર્વ જ્ઞાન થાય. “આજ્ઞાથી જ મારું કલ્યાણ છે” એવું જેને થયું હોય તે ભલે પછી બીજાં કામ કરતે હોય પણ ચિત્ત તેમાં જ ચાટે. આ જીવ સમયે સમયે અનંત કમની વર્ગણ ગ્રહણ કરે છે અને અનાદિકાળથી એમ કરતે આવ્યા છે. કર્મની પ્રકૃતિએ વિચિત્ર છે. અભવિ સિવાય બધાય છેને છૂટવાને અવકાશ છે.
ક કાળ અનંતનાં શાથી છેદ્યાં જાય ?” એમ શિષ્ય ગભરાઈને પૂછે છે ત્યારે સદ્ગુરુ એનું સમાધાન કરે છે કે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org