________________
વચનામૃત-વિવેચન
૧૮૧ જીવ સિદ્ધ જે છે પણ સમજાતું નથી. સમજવા મા “સદ્દગુરુ આજ્ઞા જિનદશા નિમિત્ત કારણ માંય.” એ બેય નિમિત્ત જોઈશે તે સિદ્ધ થાય. આજ્ઞાથી જ મેક્ષ છે, એવું દૃઢ થયું હોય તે બીજું કરતાં પણ એને રસ ન રહે. જીવને માક્ષમાર્ગની ખબર નથી, તેથી અનંતકાળથી રઝળે છે. પાંચ ઈન્દ્રિયમાં સુખ લાગ્યું છે, તેથી એની પાછળ દોડે છે. ધનને માટે આ ભવ ગાળે છે, પણ દુઃખ પામે છે, તે જોઈને જ્ઞાનને દયા આવે છે, કે તું આ શું કરે છે ! જ્યાં સુધી ધર્મ સંબંધી પણ દુષ્ટ અભિમાન હોય ત્યાં સુધી જીવનું ઠેકાણું કેમ પડે? અમે ધર્મ કરીએ છીએ એમ અભિમાન હોય તેને ભગવાનનાં વચન ગ્રાહ્ય થાય નહીં. ઊલટો વિરોધ કરે. દુષ્ટ અભિમાન સંસારને આડે રસ્તે ચઢાવે છે. સમજણનો આગ્રહ છે. એ આગ્રહ તો છોડવો પડશે. મને આત્માનો સાક્ષાત્કાર થયો એમ છવ માને છે. આત્મસ્વરૂપ તે એવું છે કે જેવી કલ્પના કરે તેવું દેખાય. ચિતામણિ જે આત્મા છે. પણ એને છે એમ આમાં માન નથી. બીજી કલ્પના કરે છે. જે જીવોને પોતાની મતિનું અભિમાન હોય તેને એમ આગ્રહ થઈ જાય છે કે મને સાક્ષાત્કાર થયો છે. અભિમાન આકાશ કરતાં મેટું છે. એને અંત નથી. અનાદિથી ક૯૫નામાં પડયો છે. પુરુષને યોગ થાય તોય એ કલ્પના કરે છે. એની કલ્પનાએ આખું જગત રચે છે. કલ્પના કરતાં હારે એવું નથી. પ્રભુશ્રીજી કહેતા કે જ્ઞાનીએ આત્મા જાય છે તેને માન. તારી કલ્પના મૂકી દે. કલ્પના કરી જીવ આઘો જાય છે. ખબર ન હોય અને ખબર નથી એમ માને છે એટલું સાચ આવ્યું કહેવાય. આત્માનું કલ્યાણ થાય તે કરવું. જ્ઞાનીના બંધને પ્રકાશ પડે તો એને કલપના બધી ખાટી લાગે. એ અપૂર્વજ્ઞાન પ્રગટયા વિના ક૯૫નાની જાળને ઉકેલ આવે એમ નથી. એ અપૂર્વજ્ઞાન અપૂર્વ જ્ઞાનમાં છે. “જ્ઞાન જ્ઞાનીમાં કળે.” એ જ્ઞાન પ્રગટાવવું હોય તે અપૂર્વ વિચાર જોઈશે. જ્ઞાન જ્ઞાનીથી જુદું નથી. અપૂર્વ વિચારથી અપૂર્વજ્ઞાન થાય. એ વિચાર અપૂર્વજ્ઞાનીની સેવા વગર આવતું નથી. જ્ઞાનીને ઓળખવામાં ભૂલ થઈ તો પછી બધામાં ભૂલ થશે. મેક્ષે જવું હોય તે જ્ઞાનીની આજ્ઞાનું આરાધન એ બધાથી ઉત્તમમાં ઉત્તમ સાધન છે. મેક્ષે જવું હોય તેને જ્ઞાનીની આજ્ઞા હૃદયમાં ચાટવી જોઈએ. મોક્ષે જવું છે એમ જેને થયું તેને માટે જ્ઞાનીની આજ્ઞા વગર મિક્ષ નથી. જ્ઞાનીની આજ્ઞા આરાધે તો પછી એને લેભ વગેરે બધું એ છું થાય. “બીજું કાંઈ શોધ મા, માત્ર એક પુરુષને શોધીને તેના ચરણકમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વત્યે જા.” (૭૬). - અજ્ઞાનદશામાં જીવ અનંત કર્મ પુદ્ગલે ગ્રહણ કરે છે. અનંતકાળથી જીવ અનંત કમ સમયે સમયે બાંધતે આવ્યું છે, તે તે કેમ છૂટે? “કર્મો કાળ અનંતનાં શાથી છેદ્યાં જાય?” સંચય બહુ થઈ ગયો છે, અનંતકાળથી બાંધ બાંધ કરે છે અને અત્યાપણ સમયે સમયે કર્મ બંધાય છે. તો કેમ છેદ્યાં જાય ? એમ સેભાગભાઈનો પ્રશ્ન છે. તેના ઉત્તરમાં કહે છે કે જીવને અનંતકાળ સુધી જોગવવું પડે એવું કર્મ ન બાંધે. અનંતાનુબંધી હોય ત્યાંસુધી અનંત સંસાર ઝળાવે, પણ અનંતકાળ સુધી પહોંચે એવું કંઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org