SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ બેવામૃત મરણનાં દુઃખથી છૂટવાની ભાવના થઈ હોય તેણે આ બહુ વિચારવા જેવું છે. “સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય; સત્સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય ? ” જીવ અનંતવાર મનુષ્યભવ પાપે, પણ કંઈ સફળપણું થયું નથી. એટલે સાધન તે ઘણાં કર્યા પણ સત્સાધન, એટલે કે જે જ્ઞાનીની આજ્ઞાનું આરાધન છે તે, જીવે કર્યું નથી. સંસારમાંથી જીવ નથી નીકળતો તેનું કારણ એ કે જ્ઞાનીને માર્ગે ચાલતો નથી. એ વાત સંદેહ રહિત છે. જ્ઞાનીને યોગ થાય ત્યારે સંસારને છેડો હાથ આવે છે. આજ્ઞા પ્રાપ્ત થવી દુર્લભ છે, એમાં એકતાન થવું બહુ દુર્લભ છે. જ્યાં સુધી આજ્ઞામાં એકતાન ન થવાય ત્યાંસુધી મોક્ષ ન થાય. બધું કાઢી નાખ્યું. તારું કરેલું બધું ધૂળ, બધું નકામું. જ્ઞાનીની આજ્ઞાએ કર્યું નથી. તારે સ્વછંદ પિગ્યા છે. જ્ઞાનીની આજ્ઞા આરાધે તે મોક્ષ થાય, જન્મમરણ થાય નહીં. આજ્ઞામાં ચિત્ત રહે તે કર્મ ન બંધાય, રાગદ્વેષથી કમ બંધાય છે અને રાગદ્વેષમાં ન જવું એ જ જ્ઞાનીની આજ્ઞા છે, તેમાં રહે તો મોક્ષ થાય. જ્ઞાનીનું માહામ્ય લાગે તે આજ્ઞાનું માહાસ્ય લાગે. જ્ઞાની નિઃસ્પૃહ છે. પૂર્વપ્રારબ્ધને લઈને રહે છે. એ જ્ઞાની પિતે જે માગે ગયા તે જ બીજાને બતાવે. તેમને બીજો સ્વાર્થ નથી. પિતે છૂટે છે અને બીજાને છોડાવે છે, એમને હવે કરવાનું કંઈ બાકી નથી. પૂર્વ પ્રારબ્ધને લઈને સંસારમાં રહે છે. એ પ્રારબ્ધ પૂરું થયે મોક્ષે જવાના છે. એવા જ્ઞાનીની આજ્ઞા તે સંસાર ભણી જીવને પ્રેરે નહીં. સંસારમાં જતાં રોકે એટલે કે મોક્ષે લઈ જાય. જ્ઞાની જેવું કોઈ સુખી નથી. એ સુખ મારે પ્રાપ્ત કરવું છે, એવી ભાવના રાખવી. જ્યાં સુખ નથી ત્યાં જીવ સુખ કપે છે. આ આયુષ્ય છે તે હેડ જેવું છે. હેડમાં પુરાયે તો છુટાય નહીં. છતાં તેની જ છવ ઈછા કરે છે! મોક્ષમાર્ગ તે જાણ્યો નથી એને ધર્મક્રિયા કરી અભિમાન કરે તેથી જ્ઞાનીની આજ્ઞાનું માહાસ્ય ન રહે. એ અભિમાન એને સમકિત ન થવા દે. તેથી એને દુષ્ટ અભિમાન કહ્યું છે. આત્માને ભૂલ એ જ એનું કામ થઈ પડયુ છે. આત્માને ભૂલીને બધું કરવું એવી એની દશા થઈ ગઈ છે, તેની જીવને દયા આવતી નથી. આત્મસ્વભાવ ધર્મ છે તે જ્ઞાનીની આજ્ઞાએ પ્રગટે છે. તે મૂકીને ધર્મ કરીએ છીએ એમ અભિમાન થયા કરે છે તે અનંતાનુબંધી માન છે. તેમાં રુચિ છે, તેથી કરવાનું છે તે રહી જાય છે અને માનમાં જીવ તણાઈ જાય છે. “જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હેત” (૨૧-૮૩). અધમાધમ છું, એવું કરવાનું છે. એ નિશ્ચય આવ્યા વિના જ્ઞાની સાધન બતાવે તેય શું કામનું? જીવને ભાન નથી, ભુલવણમાં છે. તેથી અભિમાનમાં ફૂલી જાય છે. સંસારપરિભ્રમણનું કારણ માન છે, એ ખાડામાંથી નીકળવાનું છે. બધેથી મને સંકોચી જ્ઞાનીની આજ્ઞામાં ચિત્ત રાખવું. માન આવ્યું તો કર્મ બંધાય અને તેથી પરિભ્રમણ કરવું પડે. આત્મા આત્મબ્રાંતિથી માંદો થયેલ છે. જ્ઞાનીના બાધ વગર આગળ પગ ચાલે એમ નથી. જ્ઞાનીએ કહ્યું હોય તેના ઉપરથી પિતા ઉપર વિચાર આવે તે જ્ઞાનીએ કહ્યું હોય તે દઢ થઈ જાય, એવું થાય તે સમ્યક્ત્વ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy