SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેચન ૧૭૮ બને તેમ બીજાં કામોથી છૂટી જ્ઞાનીનાં વચને વિચારવાં. સારાં કામમાં વખત ગાળ. તીર્થસ્થાનમાં આવીને કંઈ શીખવું, એ લક્ષ રાખ. કંઈક સાંભળવાનું મળ્યું તો ગાંઠે બાંધવું. હું કંઈ જાણતો નથી, માટે હવે મારે જાણવું છે એમ થાય તો પ્રહણ થાય. જ્ઞાનીનાં વચને આત્મા ભણું વાળે છે. વચનથી પ્રેરણા મળે છે. એથી આત્મા ભણી વળે તે અલૌકિક વસ્તુ કઈ આત્મા છે તે સમજાય. એટલે મેહ એછે તેટલે સત્સંગ સફળ છે. જેવી દષ્ટિ તેવી સૃષ્ટિ. કંઈક સાંભળ્યું હોય તે થાય. અનિત્યભાવનામાં બધું અનિત્ય છે એમ બતાવ્યું છે, એક આત્મા નિત્ય છે એમ સિદ્ધ કર્યું છે. અશરણભાવનામાં કઈ બચાવે એવું નથી માટે કે સાચું શરણુ-ગ્રહણ કરું. સમાધિમરણ કરવાનું છે એમ બતાવ્યું છે. બીજાં કામ કરે તેમ આ પણ એક કામ છે, તે માટે ધર્મને અભ્યાસ કરવાને છે-સત્સંગની વિશેષ જરૂર છે. પ્રશ્ન—આ વાત અલ્પકાળમાં ચેતવાગ્ય છે એમ કેમ લખ્યું હશે? પૂજ્યશ્રીરોગ અને મોહને ઊગતા દાબી દેવા, કારણ કે જે રોગની વૃદ્ધિ થાય તે પાછળથી ઉ૫યાર, દવાનું બળ ચાલતું નથી, તેમ મોહની વૃદ્ધિ થાય પછી સત્સંગ કે બંધની અસર ન થાય, તેને ગણકારે નહીં. રાગદ્વેષ અને અજ્ઞાનથી કર્મ બંધાય છે. મેહ છૂટે તે કર્મ છૂટે. એ માટે ભક્તિ, સત્સંગ, વાંચવું, વિચારવું, સ્મરણ વગેરે છે. અનાદિકાળથી જીવ મોહમાં ઊંઘે છે. તેને આ જ્ઞાનીનાં વચનેથી જગાડીને ઊભું કર. કેટલું જીવવાનું છે તેની ખબર નથી માટે ચેતતા રહેવું. જેટલું જીવવું છે તેટલું સારું જીવવું છે. જીવનને છેડે સમાધિમરણ આવે એવું કરવાનું છે. તે જ્ઞાનીને શરણે આ ભવમાં થાય એવું છે. કરે તે બની શકે છે. કડાકૂટમાં એમની એમ આખી જિંદગી જતી રહે છે, માટે નિવૃત્તિને અવકાશ લે. [વ. ૫૧૧] ૧૬૮ શ્રીરા. આ. અગાસ, આસો સુદ ૩, ૨૦૦૯ જેનાથી ધર્મમાં મદદ મળે તે ધમસનેહી છે. જ્ઞાનીને સગાંવહાલાં બધાં પર લાગે છે. એક સત્સંગ જ એમને રસરૂપ લાગે છે. કૃપાળુદેવને ભાગભાઈ ઉપર ધર્મપ્રેમ છે, બીજે પ્રેમ નથી. જે પ્રશ્નનો લખ્યા તે બધા મુમુક્ષુઓને વિચારવાયોગ્ય છે. જ્ઞાનીની આજ્ઞા કેમ વિચારવી? એવો પ્રશ્ન પૂછ હશે તેને ઉત્તર કૃપાળુદેવે લખે છે. આજ્ઞાથી ધમ થાય છે. એ વગર ધર્મ ન થાય તેનું કારણ શું? જ્ઞાનીની આજ્ઞાથી સાધન કરે તે મોક્ષ થાય. જીવને જન્મવું પડયું છે તે જ્ઞાનની આજ્ઞાએ સાધન કર્યા નથી. જીવે ધર્મ તે કર્યો પણ જ્ઞાનીની આજ્ઞા એ જ ધર્મ છે. ધર્મ એ આત્મસ્વરૂપ છે. આત્મસ્વરૂપમાં પ્રવેશ કરાવે એવી જ્ઞાનીની આજ્ઞા છે અને આત્મસ્વરૂપમાં પ્રવેશ થાય તે મેક્ષ થાય. જેને ગર્ભાવાસનાં દુઃખ લાગ્યાં હય, જન્મ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy