SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેચન ૧૭૭ “શારીરિકવેદનાને દેહને ધર્મ જાણી અને બાંધેલાં એવાં કર્મોનું ફળ જાણ સમ્યક્પ્રકારે અહિયાસવાયેગ્ય છે” (૪૧ ૦). એમ તે જાણે છે. વેદના વેદતાં વિષમભાવ ન થાય એ જ્ઞાનનું ફળ છે. વેદના આત્મગુણને ઘાત કરનાર નથી. જેને સ્વરૂપજ્ઞાન થયું છે, તેને દેહ અને આત્મા ભિન્ન ભાસે છે. જે જ્ઞાન વેદનાથી ખસી જાય તે જ્ઞાન જ નથી. જ્ઞાનીપુરુષને એમ નથી થતું કે મને વેદના થઈ છે. દેહને વેદના થઈ છે એમ જાણે છે. એ દેહને ધર્મ છે. વેદની આત્માને હાનિકારક નથી. જ્ઞાની પુરુષને જ્ઞાન થયું છે તેથી વિષમભાવ થતો નથી. કારણ કે તેઓ વસ્તુસ્વભાવને જાણે છે. જીવ દેહાધ્યાસને લઈને મને થયું છે એમ માને છે. વેદનીકમે છે તે જ્ઞાનને આવરણ કરનાર નથી. મેહનીયકર્મને લઈને જ બધું થાય છે. શાતાઅશાતા મોહથી જ લાગે છે માટે જ્ઞાની પુરુષે એ પહેલાં મોહનીયને જ નાશ કરવાનું કહ્યું છે. શાતા હોય તે સારું અને અશાતા હોય તે ખોટું એમ થાય છે, એ અજ્ઞાનનું જ લક્ષણ છે. બન્ને પદાર્થ ભિન્ન સમજાયા પછી આ સારું અને આ ખોટું એમ નથી થતું. બધાને પાયે વૈરાગ્ય છે. જેને વૈરાગ્ય હોય તેને જ એ જ્ઞાન વસ્તુ ઠરે છે. [વ. ૫૧] ૧૬૭ શ્રીરાત્રે આ અગાસ, આસો સુદ ૫, ૨૦૦૮ પ્રશ્ન–બંધવૃત્તિઓ એટલે શું? પૂજ્યશ્રી–જે વૃત્તિથી જીવને બંધ થાય તે અંધવૃત્તિ છે. કોઈ પ્રત્યે રાગ અને કોઈ પ્રત્યે દ્વેષ થાય તે બંધ થાય છે. બધી ક્રિયાઓમાં સારું બેટું, ગમતું અણગમતું થયા કરે છે, તેથી કમ બંધાય છે. જેથી બંધ થાય તે વૃત્તિઓને ઉપશમાવવી અથવા ક્ષય કરવી. જેમ કઈ સામાયિકમાં બેઠા હોય ત્યારે તે વૃત્તિઓને રેકે તે ઉપશમાવી કહેવાય અને મારે હવે રાગદ્વેષ નથી જ કરવા એમ બિલકુલ છોડી દે તે નિવર્તાવી કહેવાય. જેમ કેઈ નિયમ કરે કે આજ મારે લીલોતરી નથી ખાવી તે એટલા સુધી વૃત્તિ ઉપશમાવી કહેવાય અને આ લીલેરી ખાવામાં પાપ છે માટે મારે જિદગી સુધી નથી ખાવી તો વૃત્તિ નિવર્તાવી કહેવાય. બંધવૃત્તિઓને ઉપશમાવવાને અથવા નિવર્તાવવાને સતત અભ્યાસ કરવાનું છે. સતત એટલે હંમેશાં. હંમેશાં વૃત્તિઓ ક્ષણે ક્ષણે થાય છે તે ક્ષણે ક્ષણે ઉપશમાવવી વા ક્ષય કરવી. વિચાર જ ન કરે તે વૃત્તિ રોકાય કેમ? વિચાર આવે ત્યારે એને રોકવાને પુરુષાર્થ કરે. વિચાર અને પ્રયાસ કર્યા વિના વૃત્તિઓ ઉપશમે કે ક્ષય થાય નહીં. જે કામ કર્યું ન હોય તે ક્યાંથી થાય? વૃત્તિઓને રોકવાનું કામ કઈ વાર કર્યું ન હોય તો ક્યાંથી થાય? ઘણી વાર પૂર્વે જીવે વૃત્તિઓને રોકવાનું અભિમાન કર્યું છે, પણ વૃત્તિઓ રોકી નથી. “મેં વ્રત લીધું, મેં તપ કર્યું' એમ કરે, પણ વૃત્તિએ તે બહાર ભટકે. હું સાધુ થયે એમ અભિમાન કર્યું, પણ વૃત્તિઓ કંઈ રોકી નહીં. ત્ર: નિયમ લઈને “હું વ્રત પાળું છું' એમ અભિમાન કરે, પણ વૃત્તિ ૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy