________________
બેધામૃત સંસારમાં કશું ગમતું નથી. સંસારનું સ્વરૂપ એવું છે કે ગમે તેવા મોટા રાજા મહારાજા હોઈએ પણ એમાં કંઈ રસ નથી. ગમે તેટલા પૈસા કમાતા હોઈએ તે પણ ગમતા નથી. પણ એ ઉદય હોવાથી એમાં જ વૃત્તિ રાખવી પડે છે. વિચારવાન જીવ હેય તેને સંસાર ગમેય નહીં. સંસારમાં ચિત્ત જાય તે શું મળે? કલેશ મળે. એમ જેણે સંસારને કલેશરૂપ જાયે હોય તે એમાં કેમ જાય? ભગવાને એક સમયને પણ પ્રમાદ કરવાની ના કહી છે. તેમ છતાં ઉદયને લીધે પ્રમાદમાં વર્તવું પડે છે. પ્રમાદરહિતપણે ન વતીએ તે પણ એ સંસાર અસાર જ લાગે છે. વિચારવાનને સંસાર ભયરૂપ અને અસાર લાગે છે. બધા જ્ઞાનીને એમ લાગે છે. શરીરનાં દુઃખ લાગતાં નથી, પણ સમયે સમયે આત્મામાં ઉપગ રાખવાનો છે તે રહેતું નથી તેને ભય લાગે છે, બીજે ભય નથી. પોતાના ચિત્તમાં સંસારનું સ્વરૂપ કેવું લાગ્યું છે, તેને આ શબ્દોમાં જાણે ફેટે પાડ્યો હોય તેવું છે. બીજા ને મરણ ભયરૂપ લાગે છે, પણ એમને આત્મસ્વરૂપ ગૌણ કરવું પડે છે તેને ભય લાગે છે. વ્યાપાર કરતાં ક્યારે પૂરું થાય, ક્યારે પૂરું થાય, એમ નિત્ય થયા કરે છે “નિત્ય છૂટવાને વિચાર કરીએ છીએ અને જેમ તે કાર્ય તરત પતે તેમ જાપ જપીએ છીએ.” (પ૬૯) અનેક પ્રકારે વિચારતાં એમને સંસાર ખાર લાગે છે. તેમ છતાં પરાણે તેમાં જ્ઞાનીને પણ રહેવું પડે છે.
ઉપાધિમાં રહી શું લખવું? એમ એમને રહ્યા કરે છે. કાગળ લખવા બેસે કે મનમાં એમ ખેદ થાય કે આપણને ઘટે નહીં એવી પ્રવૃત્તિ કરીએ છીએ તે શું લખવું? જ્ઞાનીની પ્રવૃત્તિ જ્ઞાની જાણે છે. વસ્તુનું સ્વરૂપ જાણે તેમ છતાં તજવાયોગ્ય હોય તેમાં રહેવું પડે એ એમને ગમે નહીં.
[વ. ૫૯]
૧૬૯ બેંગલોર સિટી માગશર સુદ ૨, ૨૦૦૮ કાયા અને આત્મા અને જુદા પદાર્થ છે. જે પદાર્થ જુદા તે જુદા પડી શકે છે. જેમ દૂધ અને પાણી ભેગાં હોય, પણ ગરમ કરવાથી જુદાં પડે છે, તેમ જીવ અને કાયા ક્રિયા કરવાથી જુદાં પડે છે. બન્ન ભિન્ન છે. દેહ એ કર્મનું ફળ છે. જેણે જીવ ન જાયે હોય તે પણ ક્રિયા થતી દેખીને જીવ છે એમ કહે છે જ્ઞાન થાય ત્યારે સ્પષ્ટ જુદાં લાગે છે.
પ્રશ્ન–બન્ને પદાર્થ જુદા છે તે એને વેદના શાથી થાય છે ?
પૂજ્યશ્રી–સૂર્યને તાપ લાગવાની જેમ પત્થર ગરમ થઈ જાય છે અને સૂર્ય આથમ્યા પછી પણ થોડીકવાર ગરમ રહે છે, તેમ અજ્ઞાનરૂપી સૂર્યથી તપ્ત થયેલા જીવને વેદના રહે છે. દેહ હોય ત્યાંસુધી વેદના તે રહે છે, પણ આત્મજ્ઞાન થવાથી ભેદ પડે છે. જ્ઞાની પુરુષને દેહાધ્યાસ છૂટયો છે તેથી ફરીથી વેદના ઉત્પન્ન થાય એવાં કર્મ ન બાંધે. , દેહથી આત્માને ભિન્ન જાણ્યા પછી ભૂલતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org