________________
વથનામૃત-વિવેચન
૧૫ આત્મા જેવી એકકે વસ્તુ નથી. “આત્માથી સૌ હીન.” આત્મા ઓળખાય તે સફળપણું છે. સદ્દવિચારણાથી ચેતન તે જ જડને જાણી નિર્ણય કરવો. મોહ એ મુખ્ય કર્મ છે. એ જાય તે કેવળજ્ઞાન.
- જ્યારે મેહ વિશેષ મંદ પડે ત્યારે સમકિત થાય. જેમ જેમ વૈરાગ્યઉપશમ વધશે તેમ તેમ મહ મંદ પડશે અને સુવિચારણા જાગશે. પરિગ્રહ એ પાપ છે. એટલે પરિબહુ વધારે તેટલું પાપ વધે છે. પુરુષને યેગે કંઈક વૈરાગ્યઉપશમ થયા હોય પણ પાછા આરંભ પરિગ્રહમાં પડે તે બધું જતું રહે. આરંભ અને પરિગ્રહ એ વૈરાગ્યઉપશમના કાળ છે વૈરાગ્ય ઉપશમ વધારવા માટે આરંભ પરિગ્રહની નિવૃત્તિ કરવી. સમજણ ફેરવવાની છે. સમજણ ફરી તે બધું ફરી જાય.
આરંભ પરિગ્રહ સાપ જેવા છે. એ હોય તે વૈરાગ્ય ઉપશમ ક્યારે નાશી જાય તેનું કંઈ કહેવાય નહીં. ભલે થોડો પરિગ્રહ હોય, પણ “મારું છે” એમ થયું ત્યાં આગળ ચિતા ફિકર ઊભી થઈ એનું નામ જ મિથ્યાત્વ છે. આત્માનું જે જ્ઞાનધન છે તેના ઉપર બીજું ધન લેવા જતાં આવરણ આવે છે. જ્યાં સુધી આરંભપરિગ્રહ હોય ત્યાં સુધી કેવળજ્ઞાન ન થાય. કેવળજ્ઞાન ન થાય ત્યાંસુધી આરંભ પરિગ્રહ છે.
કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી ક્યાંય વૃત્તિ ખળી રહે છે. આરંભ પરિગ્રહ શત્રુ છે, જ્ઞાની ઝેરને ઝેર કહે છે. પણ જીવથી મનાતું નથી. ઘણા કાળથી જીવે અસત્સંગ સેવ્યું છે, તેથી આરંભ પરિગ્રહ ઉપરથી વૃત્તિ ઊઠતી નથી. જીવને પિતાની વૃત્તિ છેતરે છે. ખરા પુરુષાર્થ તે એ જ છે કે અનંતકાળથી જે જાયું છે તે ભૂલી જાય. આ કાળમાં “ભક્તિ અને સત્સંગ એ વિદેશ ગયાં છે” (૧૭૬). વૈરાગ્ય અને ઉપશમની જીવને કિમત નથી.
[વ. ૫૦૮]
૧૬૫ શ્રી. રાત્રે આ અગાસ, આસો સુદ ૫, ૨૦૦૯ પૂજ્યશ્રી-ઉપાધિનું પ્રમાણ કૃપાળુદેવને કેટલું હશે ? તે આ ઉપરથી જણાય છે. પત્ર લખવાનો પણ વખત નથી. જ્યારે પોતાની પરમાર્થ દશા હોય. આત્મામાં ઉપયોગ વર્તતે હોય, બીજી વૃત્તિઓ ન હોય અને પરમાર્થને જ ઉદય હોય ત્યારે જ લખતા, નહીં તે નહીં આટલાં અસરકારક વચને નીકળ્યાં છે તેનું કારણ એ જ છે.
તે ઉપાધિગ અને આરંભ પરિગ્રહની વૃત્તિઓ તે વૈરાગ્યઉપશમના કાળ છે. આખી જિંદગી એ ઉપાધિગ રહે તે જે સમાધિભાવ હોય તે પડયો રહે અને પ્રમાદાગ જેવું થાય. અપ્રમત્ત રહેવું જોઈએ તેને બદલે પ્રમત્તયોગમાં રહેવું પડે છે.
આવી અપૂર્વ વૃત્તિ અહો ! થશે અપ્રમત્ત ધોગ રે.” અપૂર્વવૃત્તિ આવી છે પણ વચ્ચે પ્રમાદ થાય છે. છઠ્ઠાથી આગળ બધાં ગુણસ્થાનક અપ્રમત્ત દશાનાં છે. આખી જિંદગી પ્રમાદમાં જાય એમ તે કરીએ નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org