________________
૧૭૪
બેધામૃત આવશે ત્યારે સિદ્ધાંત પરિણમશે. ઉપદેશબધ આ શરૂ આતની ભૂમિકા છે ઉપદેશબંધમાં ત્યાગવૈરાગને ઉપદેશ હોય છે. એથી પુરુષાર્થ વર્ધમાન થાય છે. “આત્મસિદ્ધિ એ સિદ્ધાંતબોધ છે. “આત્મસિદ્ધિ જ બેલે, પણ જ્યાં સુધી યોગ્યતા ન હોય ત્યાં સુધી પરિણમે નહીં. છએ દર્શનના સારરૂપ જ્ઞાની પુરુષનાં વચને છે જે ત્રણે કાળ ફરે નહીં તે સિદ્ધાંતબોધ છે. એટલે ત્યાગવૈરાગ્ય હશે તેટલું સમજાશે અને સમકિત થશે. મિથ્યાત્વ અનાદિકાળથી જીવને અવળું સમજાવે છે. વિપરીત બુદ્ધિ ઉપદેશબંધ વગર જાય નહીં તેથી જ્ઞાની પુરુષનું કહેવું શું છે તે લક્ષમાં ન આવે. જીવ કર્મથી ઘેરાય છે. જેને મોક્ષે જવાની ભાવના છે, તે પાંચ ઇન્દ્રિયના વિષયેથી સતેષ માનતા નથી. પિતાનું મૂળ સ્વરૂપ વિચારીને પ્રાપ્ત કરવા જેવું છે. જેમ છે તેમ સમજી લેવાનું છે. જીવ મોહને આધીન છે તેથી મોહમાં રાજી થાય છે. તુચ્છ વસ્તુમાં આનંદ માને તે સાચી વસ્તુ હાથ ન આવે. એ વિપરીતતા મટવાને ઉપાય ત્યાગવૈરાગ્ય ઉપશમ છે. જીવની યોગ્યતા વધે, સંસાર દુઃખરૂપ લાગે એ માટે ઉ દેશબોધ છે. એ વિના જીવ આગળ ન આવી શકે. પાત્રતા વિના સમજાશે નહી. “પાત્ર થવા સે સદા બ્રહ્મચર્ય અતિમાન.” વિચાર જ નથી. સાચા સ્વરૂપને વિચાર આવતું નથી. ત્યાગવૈરાગ્ય પણ સાધન છે.
ઉપદેશબોધ વિના સિદ્ધાંતબંધ ન થાય. જીવની બુદ્ધિ સંસારમાં છે, તેથી સંસારમાં જ અનુકૂળતા શે ધે છે. મુખ્ય તે દેહભાવ જ આગળ રાખ્યા કરે છે. સંસારથી કંટાળે ત્યારે પરમાર્થની અપૂર્ણતા લાગે. ઉપદેશધથી વિપસબુદ્ધિ મંદ પડે છે. જેને ગાઢ વિપર્યાસપણું છે, તેને તે જ્ઞાનીને શું કહેવું છે. તે પણ ન સમજાય. વૈરાગ્ય ઉપશમ જોઈશે. એ હશે તો જ છૂટવાની ભાવના થશે. વિપ બુદ્ધિ ગયા વિના સ્પષ્ટ સ્વરૂપ સમજાય નહીં. વિપર્યાયબુદ્ધિ છે ત્યાં હું અને મારું' છે, એ જ મહ છે વિપર્યાયબુદ્ધિ વાળાનું વર્તન બધું અવળું છે. વૈરાગ્ય ઉપશમ આવે તો વિપર્યાસપણું ઘટે. - જેને વૈરાગ્ય હોય તેને પરિગ્રહ વધારવાનું મન ન થાય. જેને ઉપશમ હોય તેને કષાયભાવ ન હોય. વૈરાગ્ય ઉપશમ હેય તે વિપર્યાયબુદ્ધિ ટળીને સદ્બુદ્ધિ થાય છે. અહંભાવ મમત્વભાવ મટાડવાના છે અને વૈરાગ્ય ઉપશમ વધારવાના છે. અહંભાવ મમત્વભાવ જાય તો ઉપશમ આવે, ઉપશમ આવે તો કપાય શરમાઈ જાય. સત્તામાં કષાય રહે પણ એ કામ ન કરે. ઉપશમ સમકિત પણ ક્ષાયક જેવું છે. બે ઘડી રહે છે પણ ક્ષાયક જેવું જ નિર્મળ છે. તેમ ઉપશમભાવ કષાય રહિત ભાવ લાવવાનું છે. જે કષાય ઉપર જય મેળવશે તેનું કલ્યાણ થશે.
“ કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ;
ભવે ખેદ પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ. ” છે. આવે જ્યાં એવી દશા, સક્સસ બેધ સુહ ય; તે બધે સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદય.
જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજજ્ઞાન; જે તને ક્ષય મેહ થઈ પામે પદ નિવણ. ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org