________________
૧૭૨
બધામૃત છે. એ ભાવનાથી અપૂર્વ ફળ થશે. ભાવના ભવને નાશ કરનારી છે, ભાવના એવી કરે કે જન્મમરણ છૂટી જાઓ, માયા આદિ ભાવ છૂટી જા છે, તે મોક્ષ થાય. ભાવના પણ સાચી રીતે થવી જોઈએ. સાચી ભાવના કરે તે કામ થઈ જાય. જે સંસારથી કંટાળે હોય, તેનાથી એવાં વચને કહેવાય. જન્મમરણ બંધન લાગે ત્યારે છૂટવું શરૂ થાય.
આ જીવને બંધન નથી લાગતું. અનંતકાળથી જે કંઈ કરતે આવે છે તેનું ફળ કલેશ આવ્યું છે. આવા રતે તું ન જા, એમ જ્ઞાની પુરુષ પોકારી પિકારીને કહે છે. વિચાર આવે ત્યારે સમજાય કે આ રસ્તો દુઃખને છે. બધા જ્ઞાની પુરુષેએ આ સંસારને અસાર કહ્યો છે. જેને જ્ઞાની પુરુષ ઉપર શ્રદ્ધા છે, તેને સંસાર કલેશરૂપ લાગે છે. એવું લાગે ત્યારે જ છૂટવું થાય છે. પ્રમાદ એ માટે શત્રુ છે. પ્રમાદ છોડીને જાગૃત થવાનું છે. જ્ઞાનદશા આવ્યા પછી પણ જાગૃત રહેવાનું છે. ચાર જ્ઞાનના ધરાવનાર ગૌતમ જેવા જ્ઞાની પુરુષને પણ ભગવાન મહાવીર સંબોધતા હતા કે “સમજું નોરમ મા પમા” સમય માત્રને પણ હે ગૌતમ! પ્રમાદ ન કર. જીવને અનાદિથી રખડાવનાર વિપર્યાસપણું છે. એ વિપર્યાસબુદ્ધિ માટે ત્યારે પરિભ્રમણ મટે. જાગૃતિ રાખવાની જરૂર છે. મહિને લીધે જીવ અગ્યારમેથી પડે છે. જીવને મોક્ષ થતાં સુધી અનંત ભય છે. સંસાર તે અનેક વિધ્રોથી ભરેલું છે, એમ તીર્થકર ભગવાને કહ્યું છે. મરીચિ જે મહાવીર ભગવાનને જવ, તે એક વિરોધી વચન બોલ્યો, તેથી તેને કેટલાય ભવ કરવા પડયા ! માટે તીર્થકરો ચેતાવે છે કે જ્યારે પ્રારબ્ધને ઉદય હેય ત્યારે વધારે ચેતતા રહેવું. નહીં તે કોણ જાણે કેવાં કર્મ બંધાશે ? તેનું કંઈ કહેવાય નહીં. જ્ઞાની પુરુષ કહે છે કે જે તને માગું સમજાય છે, તે હવે પ્રમાદ ન કર. મનુષ્યભવ દુર્લભ છે. કોઈક વાર મળે છે. એવા મનુષ્યભવ પણ પૂર્વે અનંતવાર પ્રાપ્ત થયા, છતાં કંઈ પણ સફળ૫ણું થયું નહીં. માટે જ્ઞાની પુરુષે ચેતાવે છે કે, હે જીવ! મોહમાંથી જાગૃત થા, જાગૃત થા. મનુષ્યભવની એક ક્ષણ પણ રત્નચિંતામણિ જેવી છે.
મનુષ્યભવમાં મોહને ક્ષય કરી શકાય છે. મોહને ક્ષય કર હોય તે કરી શકાય એવી વસ્તુ મળી છે, તે જ્ઞાની પુરુષની આજ્ઞા છે. આજ્ઞા મળી હોય તે ઉપાસવી. ધર્મ આરાધન વિના રૂચિ પલટાય નહીં. ગમે તેમ કરી મને જ્ઞાનીની આજ્ઞા પ્રાપ્ત થાઓ, એવી ભાવના રાખવી. જ્ઞાનીની આજ્ઞાથી જ મોક્ષ છે એવું જીવને દઢ થવું જોઈએ. આજ્ઞાનું માહાતમ્ય લાગે ત્યારે સ્વછંદ વગેરે દોષ જાય. આજ્ઞા એ જ ધર્મ છે.
[વ. પ૦૬]
પ્રશ્ન-નિર્ભય કણ કહેવાય ?
પૂજ્યશ્રી–જેણે ઘાતી ચારનો ક્ષય કર્યો છે તે નિર્ભય છે અગ્યારમા સુધી ભય છે, ચોથે, પાંચમે, છ બધે ગુણસ્થાનકે ચેતવાનું છે. મોહનીય કર્મને ક્ષય કર્યા પછી જય નથી. પહેલાથી અગ્યારમા સુધી ભય છે, માટે ચેતતા રહેવાની જરૂર છે. મેહ કેટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org