________________
વચનામૃત-વિવેચન
૧૭૧ છે. વ્રત કલ્યાને અર્થે છે અને પુરુષ પાસે જવું છે પણ કલ્યાણ અર્થે છે. આત્માનું કલ્યાણુ થાય એવું હોય તે એમાં બધા વ્રતે આવી જાય છે.
પત્ર વગેરે વ્યવહાર કરવાથી સાધુને પ્રતિબંધ થશે એમ જાણીને ના કહી છે. તેમ છતાં જ્ઞાની પ્રત્યે પત્ર લખવામાં તે અપવાદરૂપ છે. કેઈ શંકા હોય અને તે શંકા નિવારણ કરવાવાળે અહીં કેઈન હોય તે જ્ઞાનીને પત્ર લખી શંકા-સમાધાન કરે જ્ઞાની પ્રત્યે પત્ર લખવાથી ઊલટે સંસાર ઘટે છે. બધું કરીને, વ્રત લઈને સંસાર ઘટાડવાને છે. જ્ઞાનીની આજ્ઞાથી પત્ર લખવામાં આજ્ઞાને અતિક્રમ નથી. પત્રવ્યવહાર કરે તો કંઈ દેષ નથી પહેલાં જે પચવખાણ લીધાં તે ભંગ ન કરવાં જ્યાં સુધી જીવમાં રાગદ્વેષ અજ્ઞાન છે ત્યાં સુધી એ જે નિર્ણય કરે તે બધા અજ્ઞાનરૂપ જ હોય છે. જ્ઞાનીને ભેગે કર્યું હોય તે સાચું છે. પિતાની ઈચ્છાએ મુનિને પત્રાદિ લખવામાં વર્તવાનું નથી. પિતાની ભૂલ કબૂલ કરવી. નહીં તે નાનામાંથી મોટું ફળ આવે, ઢેબ વધી જાય.
સંસાર બધા અસાર છે, નાશવંત છે પ્રમાદથી દેશે થાય છે.
[વ. ૫૦૫]
૧૬૩
ગુડિવાડા, મા વદ ૦)), ૨૦૦૮ વીતરાગને માર્ગ ભગવાને કહ્યું છે, તેની શ્રદ્ધા કરવાની છે. રાગ, દ્વેષ, મોહ વગેરે છૂટે ત્યારે વીતરાગ થાય. ભગવાને કહ્યું છે તેમ વર્તાશે ત્યારે છુટાશે. ક્રોધ, માન, માયા, લેભથી જીવને રહિત કરે તે વીતરાગમાગે છે. પરમ શાંતિને રસ જીવને આવવો જોઈએ. સમભાવ એ શાંતરસ છે. ઉપશમપણું, વીતરાગપણું આ કાળમાં દુર્લભ છે. સુખી થવું હોય તે વીતરાગ માગ સેવ. કેમ છુટાય ? એ વીતરાગમા વિને જાણવા ન મળે. સમજણ આવવી મુશ્કેલ છે. યેગ્યતા આવે ત્યારે સમજાય, જીવની યેગ્યતા અને સત્પરુષને યે હેાય તે સાચી સમજણ આવે. કોઈ વખત જીવની ગ્યતા હતી તે પુરુષ ને એગ ન મળે અને કોઈ વખત સપુરુષ મળ્યા તો જીવની યેગ્યતા નહીં. એમ અનંતકાળથી થતું આવ્યું છે. તેથી જ અનંતકાળથી જન્મમરણ કર્યા કરે છે. એ બને સાથે ન મળવાથી પરિભ્રમણ થયું છે. એ બને ન મળે ત્યાં સુધી સંપૂર્ણ હિત થવાનું નથી. બેય વેગ મળશે ત્યારે જ છુટાશે. ત્યાગવૈરાગ્ય જોઈશે. જ્ઞાની પુરુષે સંસારને રોગરૂપ જાણે છે. બીજા રોગો તે મટી જાય. વધારે રહે તે આયુષ્ય સુધી રહે, પણ આ સ સારોગ તે અનાદિથી અનંત કાળ થઈ ગયે છતાં મટયો નથી. સંસારરૂપી રેગ મને વળગે છે એવું દુઃખ લાગશે ત્યારે પુરુષને શેધશે. અંદરથી સંસાર દુઃખરૂપ લાગે ત્યારે જ્ઞાની કહે તે માન્ય કરાય. સંસારમાંથી રુચિ ફેરવવાની છે.
હવે તે મેક્ષને માટે જ જીવવું છે. મેક્ષ માગ એ જ પરમતત્વ છે. તેને મને સદાય નિશ્ચય રહો. નિશ્ચય એ જ સમકિત છે. એ યથાર્થ સ્વરૂપ મારા હદયને વિષે પ્રકાશ કરે. એ જ પરમધર્મ છે, એ જ માનવું. એ જ કરવું. એની જ ભાવના કરવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org