SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦. બોધામૃત પિતાના દોષ પ્રત્યે દષ્ટિ રાખી બીજાના ગુણ જોવા. વૈરાગ્યઉપશમની જરૂર છે. એ ભૂલવા જેવું નથી. સંસાર કહે છે તે એને મીઠો લાગે છે, તે અવિવેક છે. વૈરાગ્ય ઉપશમ વધે તે અવિવેક જાય. વિરાગ્યઉપશમ વધારવા છે, એ વાત પહેલાં મરણમાં રાખવાની છે. પાંચ ઈન્દ્રિયના વિષયથી જીવને વૈરાગ્ય થાય ત્યારે સદ્દગુરુ કરે છે. મંત્રમરણ એ સમાધિમરણ થવાનું કારણ છે. મરતી વખતે મન મરણમાં રહે તે સમાધિમરણ થાય. પરભવને માટે એ ભ તું છે. પૈસાટકા બધા અહીં પડયા રહેશે. આજ્ઞાએ વર્તતાં સિદ્ધાંતબોધ થાય છે. [વ. ૫૦૩] ૧૬૨ શ્રી રા. આ૦ અગાસ, ભાદ્ર વદ ૧૨, ૨૦૦૮ - પહેલું મહાવ્રત પ્રાણાતિપાત વિરમણ નામનું છે. એટલે હિંસા ન કરવી. આત્માને પરભવથી છોડાવવા માટે બધાં સાધન કહ્યાં છે. સર્વ પ્રકારની હિંસાથી હું વિરમું છું, એમ પચ્ચખાણ કર્યું છે, તેમ છતાં નદી ઉતરવા આદિની ભગવાને આજ્ઞા કરી છે. આ બાજુ નદી હોય અને પેલી બાજુ નદી હેય તે વચમાં થોડોક પ્રદેશ રહે, એટલે બધા ઓળખીતા થઈ જાય અને તેથી એકે મહાવ્રત ન પળાય. તેથી નદી ઉતરવાની આજ્ઞા આપી છે. પ્રશ્ન-દ્રવ્યપ્રાણાતિપાત એટલે શું? ઉત્તર-દશ પ્રાણ છે તે જડ છે. તેથી એને દ્રવ્ય હિંસા કહેવાય છે. જગતની જેટલી વસ્તુઓ છે તે બધી વસ્તુઓને ત્યાગ મુનિને કરાવાય છે. તેમ છતાં પુસ્તક, કમંડલું, વસ્ત્ર આદિ રાખવાની આજ્ઞા કરી છે. શાતાને અર્થે વસા વગેરે ન રાખવાં. શરીર સારું લાગે, આપણને લોકે વખાણે એવા ભાવથી ન રાખે. શાતા અર્થે કંઈ ન રાખે, આત્માથે રાખે. જીવતા રહેવાય તે માટે કહ્યું છે પરિગ્રહ શાતા અર્થે રાખે નહીં પણ આત્માથે રાખવાનું કહ્યું છે. શાતા અર્થે તે ત્યાગ કરાવ્યા છે. નિસ્પૃહતા હોય. કેઈની પાસે પૃહા કરે નહીં. વસ્ત્રમાં મૂછ ન થાય અને શરીર રક્ષાય, પૃહા ન રહે એ માટે વસ્ત્ર રાખવાનું. જ્યાં સુધી પરિપૂર્ણ જ્ઞાન ન થયું હોય અથવા જ્યાં સુધી પૂર્ણજ્ઞાનને વિકાસ ન થયું હોય ત્યાંસુધી મુનિને પુસ્તકાદિ રાખવાની આજ્ઞા કરી છે. કેઈ ને એમ લાગે કે ભગવાન એક વખત બધાને ત્યાગ કરાવે છે અને પાછું બીજી વખત પ્રહણ કરવાનું કહે છે? ભગવાને તે બધું સવળું કહ્યું છે. મહાવ્રત આપ્યાં તેય કલ્યાણને અર્થે અને છૂટ આપી તે પણ કલ્યાણને અર્થે. પણ વિષમભાવે આપી નથી. અલ્પ બુદ્ધિ હોય તેને વિષમ લાગે, પણ વિચારવાનને તે લાગે કે ત્યાગ એ કલ્યાણ અર્થે અને છૂટ પણ કલ્યાણ અર્થે આપી છે. બીજા વ્રતોમાં છૂટ–અપવાદ આપે, પણ મૈથુનને તે સર્વ પ્રકારે ત્યાગ કરાવ્યું છે. કારણ કે એમાં આત્માની હાનિ જ થાય છે. એને માટે કોઈ પ્રાયશ્ચિત પણ આપ્યું નથી. ગૃહસ્થ આર્ય દેશમાં દિશાનું પરિમાણ કર્યું હોય છતાં અનાર્ય દેશમાં પણ મહાપુરુષ વિચારતા હોય તો ત્યાં જવામાં કલ્યાણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy